Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

ભક્તિનિધિ પદ:-૦૧

રાગ:- આશાવરી સંતો ભક્તિ ઉપર ભય શાનો, તેતો મન કર્મ વચને માનોરે; સંતો૦ । ટેક- જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો । પામી પુન્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનોરે; સંતો૦ ।।૧।। ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો । ટકે નહિ કેદિ ટોકર વાગે, તો શિયો ભરૂંસો બીજાનોરે; સંતો૦ ।।૨।। જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધરપર, જાણો નથી ફજેતો એ છાનો । નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઇ લીધો દાખડો ઝાઝાનોરે; સંતો૦ ।।૩।। સર્વે પર વિઘન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો । નિષ્કુલાનંદ કે’ ન ટળે ટાળતાં,  ટળે તોય કળશ સોનાનોરે; સંતો૦ ।।૪।। પદ ।।૧।। read more
0 Views : 1460

ભક્તિનિધિ કડવું:- પ

રાગ:- ધન્યાસરી નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી । સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ।।૧।। રાગ :- ઢાળ – અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની । તે  વિના ત્રિલોક સુખને, માને શોભા મીયાંનની ।।૨।। મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર । અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે નિરસ નિરધાર ।।૩।। એમ માની માને સુખ ભાવમાં, કરે ભક્તિ ભાવે સહિત । ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત ।।૪।। અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી । ભાવે નહિ હરિ ભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી ।।૫।। નિષ્કામ ભક્તિ નાથની, જેને કરવા છે મને કોડ । બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ એની હોડ ।।૬।। એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ । તેમ સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ ।।૭।। મેલી ગમતું નિજ મનનું, હાથ જોડી રહે હરિ હજાુર । સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભિંતરમાં ભરપૂર ।।૮।। ભાવે જેવું ભગવાનને, સમો જોઇ કરે તેવી સેવ । પણ વણ સમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ।।૯।। એવા ભક્તની ભગતિ, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથજી, તે ઉપર થાય પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૫।। read more
0 Views : 1388

ભક્તિનિધિ કડવું:- ૬

રાગ:- ધન્યાસરી પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી  હામજી । જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ।।૧।। રાગ :- ઢાળ ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે ત્રિલોક માંહિ, સમઝી જાુવો નહિ નિસરે ।।૨।। જેણે આલોકસુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં । એક ભક્તિ ભાવી ભગવાનની, વિષયસુખ વિષ સમ ર્યાં ।।૩।। જેણે પંચ વિષયશું પ્રિત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા । તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા ।।૪।। રાજી કુરાજીયે કોઇને, નવ વણસે સુધરે વાત । નથી એથી સુખ મળવા ટળવા, જોઇએ હરિ રાજી રળીયાત ।।૫।। પરબ્રહ્મને પ્રસન્ન કરવા, કરે ભક્તિ માહાત્મ્યે સહિત । ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ રીત ।।૬।। નિષ્કપટ નાથની ભગતિ, સમઝો સુખ ભંડાર છે । એની બરાબરી નોય કોઇ બીજું, એતો સર્વે સારનું સાર છે ।।૭।। સાચી ભક્તિ ભગવાનની, સર્વે શિર પર મોડ છે । બીજાં સાધન બહુ કરે, પણ જાુઓ એની કોઇ જોડ છે? ।।૮।। જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં સરસ તુપ । જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ।।૯।। એવી અનુપમ ભગતિ, ભાવી ગઇ જેને ભીંતરે ।  નિષ્કુલાનંદ કે’ સર્વે સાધન, એની સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૬।। read more
0 Views : 1398

ભક્તિનિધિ કડવું:- ૭

રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી । પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી,  તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી ।।૧।। રાગ :- ઢાળ કે’વાતો નથી કલ્પતરૂં, નવ નિધિને સિદ્ધિ સમેત । કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઇ રીત ।।૨।। જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ ।  સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ  ।૩।। જેમ પન્નગારી પંખીયોમાં સરસ, શૈલમાં સરસ ૩સુમેર । તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઇ ફેર ।।૪।। જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશિ । તેમ ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી ।।૫।। જેમ પાત્રમાં  ક્ષયપાત્ર સરસ, નાણામાં સરસ સુવર્ણમો’ર ।  તેમ ભક્તિ સરસ છે ભવમાં, એમ લખ્યું છે ઠોરમઠોર ।।૬।। જેમ પંચભૂતમાં શૂન્ય સરસ, સર્વે અમરમાં અમરેશ । તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર લવલેશ ।।૭।। જેમ કુંપે સરસ રસ કુંપકા, ભૂપે સરસ પ્રિયવ્રત । રૂપે સરસ કામદેવ કહીયે, તેમ ભક્તિથી નૂન્ય બીજાં કૃત્ય ।।૮।। કર્તવ્ય કરીને કાંઇક પામે, તે વામે કોઇ કાળે કરી । ભક્તિ એ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહેછે શ્રીહરિ ।।૯।। એમ ભક્તિ ભગવાનની, વર્ણવી સહુથી સરસ । નિષ્કુલાનંદ કે’ તે વિના બીજાં, નિશ્ચે દેખાડ્યાં નરસ ।।૧૦।। કડવું ।।૭।। read more
0 Views : 1376

ભક્તિનિધિ કડવું:- ૮

રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારૂં છું મનજી । જેસારૂં જન કરેછે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી ।।૧।। રાગ :- ઢાળ સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ । માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ ।।૨।। જેમ સોનરસથી સોનું કરતાં, જોયે સવાલાખ ચડી-ચોટ । એક લાખ તૈયે ઉપજે, જાયે પા લાખની ખોટ ।।૩।। તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહિથી સુખ । તે સુખ જાય જોતાંજોતાં, પાછું રહે દુઃખનું દુઃખ ।।૪।। જેમ વટે અમટ અરુણ ફળ, ખાવા કરે કોઇ ખાંત । રાતાં છે પણ રસ નથી, એમ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।। તેમ સુખ સર્વે લોકનાં, સુણી કરે હૈયે કોઇ હામ । જેમ અવલ ફુલ આવળનાં, પણ નાવે પૂજામાંહિ કામ ।।૬।। જેમ ત્રોડતાં ફળ તાડતણાં, થાય મહેનતના બહુ માલ । ખાતાં થાય બહુ ખરખરો, વળી વાધે શોક વિશાળ ।।૭।। અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભુંડી વિષવેલ । તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ ।।૮।। પંચ્યાણ આપે પાંચ રોકડા, લપોડ શંખ કહે લેને લાખ । પણ ગણીને ગાંઠે બાંધ્યાતણી, વળી કોયે ન પુરે સાંખ ।।૯।। તેમ હરિભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય । નિષ્કુલાનંદ કહે નરને, જાણી લેવું એવું મનમાંય ।।૧૦।। કડવું ।।૮।। read more
0 Views : 279

ભક્તિનિધિ પદ:-૦ર

રાગ:- આશાવરી સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારીરે; સંતો૦ ટેક જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમઝયા વિના સંસારી । ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારીરે; સંતો૦ ।।૧।। વણ પૂછે વળી ચાલેછે વાટે, જે વાટે નહિ અન્ન વારી । નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારીરે; સંતો૦ ।।૨।। આ ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી । જિયાં તિયાં આ જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારીરે; સંતો૦ ।।૩।। ભક્તિ વિના ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી । નિષ્કુલાનંદ કહે  નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારીરે; સંતો૦ ।।૪।। પદ ।।૨।। read more
0 Views : 264

ભક્તિનિધિ કડવું:- ૯

રાગ:- ધન્યાસરી ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામેછે ખેદજી । એક બીજાનો કરેછે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।। રાગ :- ઢાળ નિર્વેદ વિના ખેદ પામી, કરેછે ખેંચાતાણ । નંદે વંદેછે એક એકને, એ સહુ થાયછે હેરાણ ।।૨।। નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે ભેદ । નિષ્કામ થઇ કોઇ નર કરે, તો શીદ પામે કોઇ ખેદ ।।૩।। પણ અંતર ઉંડો અભાવછે, બહુ બળ દેખાડેછે બા’ર । જયાન થયું તે જાણતા નથી, કથી શું કહીયે વારમવાર ।।૪।। જેમ લેખક કરમાં લેખ આવે, તે  લઇ લેખણ લીટો કરે ।  હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી  હવે શું સરે? ।।૫।। તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ ભુંડાઇનો ।  ખીર બગડી ખારૂં લુણ પડયું, ટળ્યો ઉમેદ એના ઉપાઇનો ।।૬।। તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ । પ્રભુ પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ ।।૭।। માટે નિરમમત થઇ નાથની, ભક્તિ કરો ભરી ભાવ । નિરાશી વા’લા નારાયણને, શીદ બાંધોછો જયાં ત્યાં દાવ ।।૮।। સકામ ભક્તિ સહુ કરેછે, નથી કરતા નિષ્કામ કોય । તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય ।।૯।। ઘોઘે જઇ કોઇ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોઇ કામ । નિષ્કુલાનંદ એવી ભક્તિ, નવ કરવી નર ને વામ ।।૧૦।। કડવું ।।૯।। read more
0 Views : 166

ભક્તિનિધિ કડવું:- ૧૦

રાગ:- ધન્યાસરી ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી । તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાગજી ।।૧।। રાગ :- ઢાળ તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ ।।૨।। પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મુઝાય । ઉભય ભાતનો અંતરે, હર્ષ શોક ન થાય કાંય ।।૩।। જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ । પણ નટ ન જુવે કોઇને, જો જુવે તો બગડે કામ ।।૪।। તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ । ગુણ અવગુણ કેના ગોતતાં, અતિ થાય અપશોષ ।।૫।। વળી આલોકની જે આબરૂં, રહો કે જાઓ જરૂર । ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર ।।૬।। જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક । જોઇ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઇ શોક ।।૭।। ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઇને ગુણ અવગુણ । જેની નજર પો’તી છે પરાથી પર, તેને અધિક ન્યૂન કહો કુણ ।।૮।। જેને આવડ્યું જળ તરવું, તેને ઉંડું છિછરું છે નહિ । મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ।।૯।। ખેચર ને ભૂચરની, જાણવી જુજવી ગતી । નિષ્કુલાનંદ કે’ નોખું રહી, ભજાવી લેવી ભગતી ।।૧૦।। કડવું ।।૧૦।। read more
0 Views : 149
Powered By Indic IME