Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

વચનવિધિ કડવું:- ૩૧

હરિવિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પે’ચાણજી પે’ચાણ પડશે પાપની, જયારે જડશે  જોડા મૂંડમાં ।। ત્યારે આંખ્ય ઊઘડશે, પડશે માર જયારે પંડમાં ।। ર ।। જાણી જોઈ જગદીશનાં, વિમુખ લોપે છે વચનને ।। મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને ।। ૩ ।। ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં ।। રાત દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ।। ૪ ।। શીશ ડોલાવી શોક કરશે, કે’શે કયાંથી વચનદ્રોહી થયો ।। સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહમાની રહ્યો ।। પ ।। કિયાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું ।। મોટાની મરજાદ મૂકી, કર્યું મેં મન ભાવતું ।। ૬ ।। એમ પસ્તાશે પાપિયો, લેશે ફળ વચન લોપ્યાતણું ।। દુઃખના દરિયા ઊલટશે, સુખ નહિ રહે એક અણું ।। ૭ ।। એમ  કે’છે  આગમમાં,  સંત  વળી  મોટા  મુનિ ।। નિષ્કુળાનંદ કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખૂની ।। ૮ ।। read more
0 Views : 143

વચનવિધિ કડવું:- ૩ર

વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી નહિ તો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વે’લું તે વળીજી વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર ।। તે સરવે સાચી માનજો, જૂઠી જાણશો મા જવભાર ।। ર ।। માની ઈરષ્યાવાનની, સંત અસંતની વાત વર્ણવી ।। તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી ।। ૩ ।। જે જે ગયા જમપુરીએ, તે તો વિમુખને વચને કરી ।। માટે સમજુ સમજી, મેલો પાપીને પરહરી ।। ૪ ।। ભોળા મનુષ્યને ભોળવી, વળી ફાંસી નાંખશે કોટમાં ।। જીવ બિચારા જીવિતવ્ય હારી, ખ્વાર થાય છે ખરી ખોટમાં ।। પ ।। એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી ।। સહુ જન એ સાવચેત રે’જો, શીખની વાત આવી સાંભળી ।। ૬ ।। જેમ છે તેમ જણાવિયું, સર્વે વાતનું સ્વરૂપ ।। હિતકારી છે હરિજનને, છે વિમુખને વિષરૂપ ।। ૭ ।। પૂરણ સુખને પામવા, ઇચ્છા કરે કોઈ ઉર ।। નિષ્કુળાનંદ તે જનને, જોઈએ જાણવું આટલું જરૂર ।। ૮ ।। read more
0 Views : 125

વચનવિધિ પદ:- ૮

રાગ-ધોળ:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. જયાન છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે; આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે.  જયાન૦ ।। ૧ ।। વિમુખ આપે છે પાંતી પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે; અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર રે.   જયાન૦ ।। ર ।। ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે; વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે.   જયાન૦ ।। ૩ ।। પછી અટક ન રહે આજ્ઞાતણી, રાખે જયાં ત્યાં ન રે’વાય રે; નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે.        જયાન૦ ।। ૪ ।। read more
0 Views : 137

વચનવિધિ કડવું:- ૩૩

મનમુખી દુઃખી ભેળા થાય જયારેજી, પરસ્પર નર કરે વાત ત્યારેજી; હું તો નીસર્યો વચનથી બા’રેજી, સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી. સુખ પામ્યો સાંકડ્ય ટળી, નીસર્યો બંધનથી બારણે ।। કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ।। ર ।। ડાહ્યા સાધુએ આપ ડા’પણે, વળી રાખ્યો’તો મને રોકીને ।। પણ કેણ ન માન્યું મેં કોઈનું, આવ્યો હું મંડળી મૂકીને ।। ૩ ।। માહાત્મ્ય મહિમા મોટપ્ય દેખાડી, જકડી બાંધ્યો’તો મારા જીવને ।। નીસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું કેમ દૈવને ।। ૪ ।। ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા ।। પાસલામાં મને પાડવા, રાખી નો’તી કાંઈ મણાં ।। પ ।। પણ સમો જોઈને હું સબકયો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો ।। ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો ।। ૬ ।। અર્ધી રાતે હું ઊઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને ।। સુતાં મૂકી હું સહુને વળી, આવ્યો છું દાંતુંમાં  દઈને ।। ૭ ।। એમ વિમુખ જન કરે વડાઈ, વિમુખ જનને આગળ્યે ।। નિષ્કુળાનંદ કહે નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે ।। ૮ ।। read more
0 Views : 149

વચનવિધિ કડવું:- ૩૪

વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભયુર્ં મૂકયું’તું ઘરજી અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે ।। જૂનું અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું’તું સઘળે ।। ર ।। ગળી રસોયું ગામો ગામમાં, ઘણી આપશે ઘેરેઘેર ।। જનમ ધરી જે જડી નથી, તે પામશું બહુ પેર ।। ૩ ।। એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગ માંઈ ।। ઇયાં તો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાયે કાંઈ ।। ૪ ।। પોષ ભરી પાણી નાંખવું, અમૃત સરિખા અન્નમાં ।। ભેળું કરેલ ભાવે નહિ, અતિ મૂંઝવણ્ય થાય મનમાં ।। પ ।। વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું, ઉપડાવે ઈંટ પથરા ઘણું ।। ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જયારે રહ્યું એનું એ કૂટણું ।। ૬ ।। જાણ્યું ખાશું પીશું ખૂબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં ।। ત્યાં તો અટાટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં ।। ૭ ।। એમ બોલે અભાગિયા, હરિ સેવામાં શ્રદ્ધા ખોઈ ।। નિષ્કુળાનંદ એવા નરનું, મુખ રખે જોતા કોઈ ।। ૮ ।। read more
0 Views : 118

વચનવિધિ કડવું:- ૩પ

વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’આજ્ઞામાં અનુરાગોજી તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ ન લાગોજી લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે અંગે ।। ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે ।। ર ।। પછી ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા કેરડો ।। જાણે અણચેલે રહે એકલો, જેવો ઊજડ ગામનો એરડો ।। ૩ ।। એવો ઓશિયાળો મેત મળ્યો, તે તો કઠણ કેમ કહી શકે ।। દા’ડી રહિયે ડરાવતાં, વળી ટોકિયે તકે તકે ।। ૪ ।। સ્વપ્ન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે ઉપવાસ ।। થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ ।। પ ।। સર્વે નિયમ સતસંગના, પળે ન પળે પુરા વળી ।। કે’નાર તેનો કહો કોણ છે, કળી લીધી છે વાતો સઘળી ।। ૬ ।। બા’રે બણી ઠણી બેસિયે, સાધુ સુંદર સારા સરખા ।। અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા ।। ૭ ।। એવા કપટી કુટિલનો, સંગ તે સારો નહિ ।। નિષ્કુળાનંદ નકી વારતા, કે’વાની હતી તે કહી ।। ૮ ।। read more
0 Views : 124

વચનવિધિ કડવું:- ૩૬

વચન વા’લાનું લોપીને લબાડજી, પાપે પ્રવરતે છે જે પાપના પા’ડજી ભાંગી ભૂંસાડી વચનની વાડ્યજી, પછી જીયાંતીયાં થાય હાડ્ય હાડ્યજી હાડ્ય હાડ્ય થાય છે હરિ વિમુખ, વર્તતાં વચનથી બારણે ।। જીયાં તીયાં જડે છે જૂતિયાં,૯ એવું કરે છે શિયા કારણે ।। ર ।। આ લોકે પરલોકે આબરુ, જેની જડે નહિ જરા જેટલી ।। ભવમાં  જે ભૂંડાઈ રહી છે, પાપી પામે છે તેટલી ।। ૩ ।। ખાય છે ફટકાર ખલકની, મલકનો લિયે છે મેલ જો ।। એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમજાણું સે’લ જો ।। ૪ ।। પ્યાજ પેજારું ખાઈને પૈસા, અંતે જેહ આપવા પડે ।। તે મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા ઘડે ।। પ ।। દંડ ભોગવી ડા’પણ કરે, તેને ડા’યો કેદિયે ન દેખવો ।। પૂંઠ્ય પખાળી પુરીષ૯ તજે, તેને મોટો મૂરખ લેખવો ।। ૬ ।। લૂંટાવી સર્વે લૂગડાં, પછી નાગો થઈ ભાગ્યો ઘણો ।। એવું કર્યું એ અભાગિયે, હવે ડા’યો કે ભોળો ગણો ।। ૭ ।। સમો ન શકયો સાચવી, આવી તકમાં અવળું પડ્યું ।। નિષ્કુળાનંદ એ નરને, કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું ।। ૮ ।। read more
0 Views : 118

વચનવિધિ પદ:- ૯

રાગ-આશાવરી:- ‘શ્રીનાથ સાથે મન માનિયું’ એ ઢાળ. પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે; કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાય રે. પાપ પૂર્વનાં૦ ।। ૧ ।। સુખમાંહી તે સુખ ન સૂઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાય રે; ખોટાને પણ ખરું કરી માને, સાચામાં સાચું ન લેખાય રે. પાપ પૂર્વનાં૦ ।। ર ।। એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષસમ લાગે રે; જેહ વચનથી જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગે રે. પાપ પૂર્વનાં૦ ।। ૩ ।। એમ કુબુદ્ધિને ઊંધું સૂઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાય રે; નિષ્કુળાનંદ એ નરનું ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાય રે.પાપ પૂર્વનાં૦ ।। ૪ ।। read more
0 Views : 121
Powered By Indic IME