Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧ર૯

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું અલૌકિક એહ । સાંભળજયો સહુ શ્રવણે, કરી અધિક સનેહ ।।૧।। મોટા સંત મહારાજના, છે શિરોમણી સંતદાસ । ફરે એકલા ઉત્તરે, જેને નહિ જન મન ત્રાસ ।।૨।। માની વચન મહારાજનું, ધાર્યું અંતરે અનૂપ । તે દિના તનભાન ભૂલી, થયા તેહ તદરૂપ ।।૩।। તેની વારતા સાંભળો, લખું છું લવલેશ । જે દેહછતે સિધ્ધદશા પામી, ફરે છે ઉત્તર દેશ ।।૪।। ચોપાઇ- ધન્ય ધન્ય સાધુ સંતદાસ, જેને નહિ આ તન અધ્યાસ । પિંડ છતાં પામી સિધ્ધગતિ, ફરે લોક પરલોકે સુમતિ ।।૫।। તેને કૃપા કરી કહે કૃપાળુ, દેખી આવો દલુજી દયાળુ । તિયાં જાવું તું અવશ્ય અમારે, સરશે અર્થ તે ગયે તમારે ।।૬।। કહેજયો આંહિની સરવે વાત, સુણી દલુ થાશે રળિયાત । બીજા મુક્ત તિયાં ષટ દશ, એક બાઇ સુંદર સુજશ ।।૭।। તેને કહેજયો આશિર વચન, જાઓ વેગેશું વેલેરા જન । સુણી વચન ચાલ્યા સંતદાસ, દૂરદેશમાં દલુજી પાસ ।।૮।। અતિ અગમ વિકટ વાટ, ઘણું નદીના ઓઘટ ઘાટ । નરતને તિયાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય ।।૯।। તિયાં ચાલ્યા સંતદાસ જન, માની મહાપ્રભુનું વચન । કરી ઇચ્છા ને મિંચિ છે આંખ્યો, ઉડ્યું પંડ આવી જાણે પાંખો ।।૧૦।। પળ એકમાંહિ તિયાં પહોતા, દિઠા દલુજીને મુક્તે સોતા । ઉઠી આવ્યા સામા સંતદાસ, હેતે મળીને બેસાર્યા પાસ ।।૧૧।। કરી પૂજા મળી વળી જન, […] read more
0 Views : 105

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૦

પૂર્વછાયો- દિયે પરચા દાસને, દિનબંધુ દીનદયાળ । જોઇ સામર્થી શ્યામની, મન મગન રહે મરાળ ।।૧।। જણજણ પ્રત્યે જુજવા, આપી પરચા અપાર । તેણે ખુમારી તનમાં, મન મસ્ત રહે નરનાર ।।૨।। વળી કહું એક વારતા, વિધવિધ કરી વખાણ । સાંભળજયો સહુ શ્રવણે, સત્યવાદી જન સુજાણ ।।૩।। મોટા સંત મહારાજના, વંદુ હું વ્યાપકાનંદ । તેની ર્કીિત સુણતાં, આવે ઉરમાં આનંદ ।।૪।। ચોપાઇ- ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવૃંદ । ત્રિશ સંતગુણે તેતો શોભે, કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે ।।૫।। અષ્ટ સિધ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચિત્ત ન ચળે । એવા સંત શિરોમણી સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા ।।૬।। થઇ જે દિની સહજ સમાધ્ય, દીઠી સામર્થી હરિની અગાધ્ય । સર્વે લોક ધામ ધામધણી, જાણી સામર્થી મહારાજ તણી ।।૭।। સર્વે કારણના જે કારણ, દેખે હરિને કરી ધારણ । આપે વર્તે પંડે અંડપાર, નહિ દેહદશા તે લગાર ।।૮।। અણઇચ્છાએ ઉતર્યા ઝાડી, આવ્યો આગળ દેશ અનાડી । તિયાં આવ્યું શહેર એક જાણો, તેનો રાજા મલેચ્છ પ્રમાણો ।।૯।। તેનો દિવાન વણિક જન, કર્યું રાજકાજ બહુ દન । એક દિન આવ્યો વાંકમાંઇ, કર્યો બંધિવાન રાયે ત્યાંઇ ।।૧૦।। બહુ દિન બંધિખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો । ઠેરાવિયા રૂપિયા કરોડી, લઇ જામીન ને મૂક્યો છોડી ।।૧૧।। માસ એકનો કર્યો ઠેરાવો, ભરે રૂપિયા તો નહિ દાવો । નહીં […] read more
0 Views : 109

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૧

પૂર્વછાયો- એક અનુપમ વારતા, સુણજયો સુંદર સાર । મુક્તાનંદ મહારાજની, હું કહું કરી વિસ્તાર ।।૧।। મુક્તાનંદ માહંતને, મળ્યા શ્રીમહારાજ । તોય ઉંડી અંતરે, દલમાંઇ રહેતી દાઝ ।।૨।। કરે કથા બહુ વારતા, અંતરે વિન ઉછરંગ । સંકોચ રહે શરીરમાં, નહિ અંગમાંહિ ઉમંગ ।।૩।। તેનો તે સંશય કાપવા, આપવા અતિ આનંદ । વાળી વરતી અંતરે, દેખાડ્યા શ્રીરામાનંદ ।।૪।। ચોપાઇ- મુક્તાનંદ સંત શિરોમણી, મુખે શું કહીએ મોટ્યપ ઘણી । કરે વાત પ્રભુની વિસ્તારી, સુણી સુખી થાય નરનારી ।।૫।। એક દિન કરી બહુ વાત, સુણિ સંત થયા રળિયાત । પછી બેઠા આસન પર આવી, દૃષ્ટિ અંતરમાંહિ ઠેરાવી ।।૬।। ત્યાંતો દિઠા સ્વામી રામાનંદ, નિર્ખિ આવ્યો અંતરે આનંદ । મુક્તાનંદ કહે ધન્ય ધન્ય, દયાસિંધુ દીધાં દર્શન ।।૭।। કરે સ્તવન મન મોદ ભારી, દેખી સુંદર મૂરતિ સારી । અતિ પ્રસન્ન વદન અનુપ, સુખ મૂરતિ સુંદરરૂપ ।।૮।। હેતે હસી હસી જુવે સામું, પૂરે નિજસેવકની હામું । વળી કરે વાલપની વાત, સુણો મુક્તાનંદજી વિખ્યાત ।।૯।। સારૂં સમજયા સંત સુજાણ, માન્યા પ્રભુ પ્રકટ પ્રમાણ । સ્વામી સહજાનંદ સુખરૂપ, એજ ઇષ્ટ અમારા અનુપ ।।૧૦।। સારૂં થયું જે માન્યું સુજાણ, નહિ તો બહુ વિધ્યે થાત હેરાણ । સુણી મુક્તાનંદજીએ વાત, તેણે થયા અતિ રળિયાત ।।૧૧।। પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુવે । જયારે કરે અંતર વરતી, દેખે સુખસાગર મૂરતિ ।।૧૨।। […] read more
0 Views : 106

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩ર

પૂર્વછાયો- સુણો નર વળી શ્રવણે, એક અનુપ આખ્યાન । આવે ખુમારી અંતરે, સહુ સાંભળજયો સાવધાન ।।૧।। મોટા હરિજન હરિના, જેનાં તપ પરાયણ તન । ત્યાગ વૈરાગ્યની મૂરતિ, અતિ નિયમમાં જેનાં મન ।।૨।। જે દિના મહારાજ મળિયા, ટળિયા તે દિના વિકાર । અંતરમાં અણગમતો, થયો સરવે સંસાર ।।૩।। માત તાત કુળ કુટુંબનો, જેણે કર્યો અતિશે અભાવ । ભજયા શ્રીભગવાનને, તજી અન્ય ઉછાવ ।।૪।। ચોપાઇ- ધન્ય જીવુબાઇ હરિજન, રૂડાં રાજબાઇ છે પાવન । મળ્યા જે દિના જીવનપ્રાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।।૫।। તે દિનાં તન સુખને તજી, ભાવે લીધા ભગવાન ભજી । હરિ ભજતામાં જે જે હવું, તેની વાત વિગતે વર્ણવું ।।૬।। જીવુબાઇ હરિજન હવા, માંડી હરિ મૂરતિ પૂજવા । તેને તાત કહે સુણો બાઇ, આ શું લીધું બાળાપણમાંઇ ।।૭।। જયારે મોટાં થાઓ બાઇ તમે, કરજયો પૂજા રાજી છીએ અમે । ત્યારે જીવુબાઇ કહે તાત, એવી અમને ન કહેવી વાત ।।૮।। નહીં આ તનનો વિશવાસ, અચાનક થઇ જાય નાશ । વૃધ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું એવું ।।૯।। માટે એ વાત તો ન કહેવી, આ મૂરતિ નથી મૂક્યા જેવી । ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમતકાર ।।૧૦।। જયારે દેખું અલૌકિક કાંઇ, ત્યારે મનાય અંતરમાંઇ । એમ કરતાં વિત્યા કાંઇ દન, પરચો પામવા ઇચ્છ્યા છે મન ।।૧૧।। પડી સાંજ ને કરી […] read more
0 Views : 101

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૩

પૂર્વછાયો- વળી વળી શું હું વર્ણવું, મહાપ્રભુનો પ્રતાપ । આપે પરચા અતિ ઘણા, હરિભક્તને હરિ આપ ।।૧।। એક સમે અલબેલડે, કર્યો ડભાણ ગામે જગન । સવેર્ દેશના સતસંગી, આવી કર્યાં હરિ દરશન ।।૨।। સુંદર મૂરતિ શ્યામની, સજયા નખશિખ શણગાર । શોભા જોઇ મહારાજની, મગન થયાં નર નાર ।।૩।। જામો મોળિયું જરકશી, ધર્યા તોરા કલંગી તેમાંય । વેઢ વિંટિ કનક કડાં, ઉર ઉતરી બાજુ બાંય ।।૪।। છતર ચમર અબદાગરી, બેસી અશ્વ શિબિકાયે નાથ । દીધાં દરશન દાસને, રહી ગયો સોરઠી સાથ ।।૫।। ચોપાઇ- સોરઠના સતસંગી જેહ, સુણ્યો ડભાણે જગન તેહ । અતિ શોચવાન સહુ થયા, મોટી લીળામાંહી રહી ગયા ।।૬।। મોટો યજ્ઞ કર્યો મહારાજે, ધ્યાન જનને કરવા કાજે । તેમાં રહી ગયા જે જે જન, ચાલો હવે કીજે દરશન ।।૭।। પછી સજજ થયા સતસંગી, બાઇ ભાઇ ચાલ્યાં છે ઉમંગી । પર્વતભાઇ મયારામ સાથ, થયા સંગવી ચાલ્યા સંગાથ ।।૮।। બાળ વૃધ્ધ ને જુવાન જન, કરવા મહારાજનાં દરશન । ચાલી આવ્યાં સહુ કોશ ચાર, મળ્યા સામા ત્યાં પ્રાણઆધાર ।।૯।। સુંદર વસ્ત્ર પહેરી જરકશી, અતિ હેતમાં રહ્યા છે હસી । સુંદર ઘરેણાં શોભે છે ઘણું, રૂપ અનુપ વાલ્યમતણું ।।૧૦।। સંગે ઘણી ઘોડાની ઘુમર, સખા સાથે શોભે છે સુંદર । આપે ચડ્યા છે અશ્વ અમુલે, ફેંટો પાઘડી છાયાં છે ફુલે ।।૧૧।। કંઠે ફુલના હાર અપાર, […] read more
0 Views : 103

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૪

પૂર્વછાયો- વળી વળી શું હું વર્ણવું, ભાઇ પરચાનો નહિ પાર । દુઃખ પડે જયારે દાસને, ત્યારે તર્ત કરે હરિ વાર ।।૧।। વિપત પડ્યે નહિ વેગળા, રહે ભક્ત ભેળા ભગવાન । તેણે મગન મનમાં, હંમેશે રહે હરિજન ।।૨।। અંગે ખુમારી ન ઉતરે, શ્રીહરિની સામર્થી જોઇ । નરનારી નિર્ભય રહે, મન ભય ન માને કોઇ ।।૩।। દેહછતાં દુઃખિયા નહિ, મુવા પછી જાવું બ્રહ્મમોલ । પેખી પ્રતાપ એ નાથનો, તેણે અંગે સુખ અતોલ ।।૪।। ચોપાઇ- એક પરચો કહું અનુપ, સારો સુણ્યા જેવો સુખરૂપ । હરિ હતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પરવેશ ।।૫।। એક સેવક સંગે લઇને, ચાલ્યા રણની વાટે વઇને । મારગમાં ચાલતાં મહારાજ, કર્યાં કંઇક જનનાં કાજ ।।૬।। એક વિપ્ર દારિદરી દીન, અન્ન વસ્ત્રે કરી અતિ ખીન્ન । તેને આપિયાં વસ્ત્ર ઉતારી, પેંડા પાક ને સુખડી સારી ।।૭।। કાપી દરિદ્ર એનું દયાળ, ચાલ્યા ત્યાંથી જન પ્રતિપાળ । વાટે ચાલતાં ન કરે વેલ, અતિ ત્યાગી અંગે અલબેલ ।।૮।। આવ્યા સમુદ્ર સમીપે શ્યામ, પડી સાંજ રહેવા નહિ ઠામ । લાગી પ્યાસ ને પીડાણા પ્રાણ, સુક્યો કંઠ ન બોલાય વાણ ।।૯।। લાગ્યા કાંટા ને કાંકરા વળી, અતિ થાકમાં પડિયા ઢળી । એહ માંહિલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલશું કહે શ્રીમુખ ।।૧૦।। એમ કહી ઉઠ્યા અવિનાશ, એક સેવક છે પોતા પાસ । તેતો પામિયો […] read more
0 Views : 95

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩પ

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સાંભળી છે સુંદર સોય । સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો સહુ કોય ।।૧।। સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ । મુક્ત જક્તમાંહિ જોઇને, બળી ઉઠ્યા માયાના બંધ ।।૨।। તેણે ઉપાધી આદરી, કરે સાધુને સંતાપ । મનસુબો કરે મારવા, એવું પાપીને મન પાપ ।।૩।। સંત ફરે સર્વે દેશમાં, કરવા પ્રભુની વાત । ભેખ અસુર ભેળા થઇ, માંડ્યો અતિ ઉતપાત ।।૪।। ચોપાઇ- ભેખધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામીના સાધુ ફરે છે । તેને મરાવી નાખીયે જયારે, થાય આપણને સુખ ત્યારે ।।૫।। માટે સહુ મળીને વિચારીયે, એના મોટા મોટાને મારીયે । મુક્તાનંદ આદિ જે મોટેરા, છે અધિકારી સતસંગ કેરા ।।૬।। મોરથી એનો આણિયે અંત, તો સહુ થાયે આપણે નચિંત । પછી અમદાવાદને માંઇ, સ્વામી મુક્તાનંદ હતા ત્યાંઇ ।।૭।। તેને આપિયું હળાહળ વિષ, પાપીયે પરસાદિને મિષ । તિયાં શ્રીહરિયે કરી સહાય, પ્રસાદી ન મેલી મુખમાંય ।।૮।। પણ ચંદનમાં હતું મૃત, તેતો ર્ચિચયું અંગમાં તુર્ત । અતિ આકરૂં ઝેર છે જેહ, સ્પશેર્ રહે નહિ કેનું દેહ ।।૯।। તેતો ચચ્યુર્ં મુક્તાનંદ તને, તિયાં સહાય કરી ભગવને । મુક્તાનંદને ન આવ્યો આલ, ગઇ ચર્ચનારા કરખાલ ।।૧૦।। જેણે નજર ભરી જોયું એજ, તેનું ક્ષીણ થયું નેણતેજ । એવું હળાહળ વિષ ભારી, તેથી મુક્તને લીધા ઉગારી ।।૧૧।। એમ શ્રીહરિએ કરી સાર, મુક્તાનંદજીની વાલે […] read more
0 Views : 144

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩૬

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો તે સર્વે જન । ભિડ્ય પડે જયારે ભક્તને, ત્યારે ભય હરે ભગવન ।।૧।। કરે સહાય હરિ કષ્ટમાં, નિજસેવકની નરવીર । વસમી વેળાએ વાલ્યમો, સુખ આપે શ્યામ સુધીર ।।૨।। સુખકારી દુઃખહારી, ધારી ટેક એ ધર્યની । દાસના અવિનાશ ત્રાસ, વિનાશન રીત ઘરની ।।૩।। જીયાંજીયાં નિજજનની, જગજીવને કરી જતન । સુણાવું કંઇ સંક્ષેપે, સાંભળજયો સહુ જન ।।૪।। ચોપાઇ- એક વિપ્ર વાંકાનેર ગામ, હરિભક્ત નામ જીવરામ । પાળે નિજધરમ આચાર, કરે નિર્વાહ સારૂં વેપાર ।।૫।। એમ કરી કરે ગુજરાણ, ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ । પાળે પળે જેટલું વચન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૬।। એકવાર કણ લેવા કાજે, ગયો સિંધ દેશ બેસી ઝાઝે । વોરી ચોખા ને ભરીયું વાણ, વળ્યો સિંધથી દ્વિજ સુજાણ ।।૭।। મળ્યા વાટમાં વળતા ચોર, મહાપાપી અધર્મી અઘોર । આડા આવીને રોકિયું ઝાઝ, માલ મિલકત લુંટવા કાજ ।।૮।। બેડી સાથે બેડી બાંધી લીધી, કરી હાકલ ને હલાં કીધી । જયારે ચોર નાવે આવી ચડ્યા, ત્યારે ખેવટ પાણીમાં પડ્યા ।।૯।। રહ્યો જીવરામ એક જેહ, તર્ત ઝાલી લીધો ચોરે તેહ । બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા છો સાત ।।૧૦।। પછી જીવતો જળમાં નાખી, બેડી હાંકિગયા ઘેર આખી । પડ્યો જીવરામ જળમાંય, તરે તન જીવ નવ જાય ।।૧૧।। પછી વિપરે કર્યો વિચાર, પડ્યું દુઃખ તે […] read more
0 Views : 113
Powered By Indic IME