Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૭

પૂર્વછાયો- લખું લીળા વળી લાલની, જે વાલ કરી વરતાલ । કહેતાં ચરિત્ર નાથનાં, મારે અંતરે આવે વહાલ ।।૧।। વાલો કહે પંચપંચની, મળી મંડળી ચાલો મરાલ । વાટે જનને જાળવજયો, દયા રાખી દલે દયાળ ।।૨।। કઇક વાર અમે કહ્યું, તમે સાંભળિયું સો વાર । કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર ।।૩।। એમ કહીને ચાલિયા, રહ્યા રાત્ય તે ગાંફ ગામ । ત્યાંથી ચાલ્યા ચોંપશું, કર્યો વરતાલે વિશરામ ।।૪।। ચોપાઇ- આવ્યા વરતાલે વિશ્વ આધાર, કરવા લાડીલો લીળા અપાર । સર્વે સંતને કહ્યું વચન, તમે આવજયો ઉત્સવ દન ।।૫।। એમ કરતાં ઉત્સવ આવ્યો, સર્વે સંતતણે મન ભાવ્યો । કહે મહારાજ તેડાવો મુનિ, હવે છુટી છે સંત સહુની ।।૬।। આવ્યા સંત સરવે સાંભળી, હતી ગામોગામ જે મંડળી । આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિ હરખ ન માય ।।૭।। કહે નાથ આવ્યા ભલે સંત, કરો ઉતારા જોઇ એકાંત । પછી બહુ સંત ઉતર્યા બહાર, કૈક ઉતર્યા મંદિર મોઝાર ।।૮।। કરે દર્શન પ્રસન્ન નાથ, લિયે સુખ સહુ જન સાથ । થાય માસુક મોદક સારા, જમે જન પ્રભુ પીરસનારા ।।૯।। કરે મનવાર મોદક લઇ, સંત શાન કરે મૌન રઇ । પછી બોલ્યા રાજ અધિરાજ, એમ મૌન ન રહેવું મહારાજ ।।૧૦।। જેજે જોઇએ તે માગીને લેવું, પણ શાન કરીને ન કહેવું । એવી સાંભળી વાલાની વાત, સવેર્સંત […] read more
0 Views : 98

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૮

પૂર્વછાયો- ત્યાર પછી જે જે કર્યું, કહું સાંભળજયો સહુ સંત । થોડે ઘણે દને કરી, રૂડો વરત્યો ઋતુ વસંત ।।૧।। સુંદરિયાણે શિરોમણિ, સતસંગી શેઠ સુજાણ । જક્ત વિરક્ત ભક્ત ભલા, કરૂં તેનાં શું હું વખાણ ।।૨।। ચોપાઇ- ધન્ય ભક્ત જક્તથી ઉદાસી, ત્રોડી સહુશું ભજયા અવિનાશી । એવી સાચી ભગતી સાંભળી, સવેર્સગાં કુટુંબી ઉઠ્યાં બળી ।।૩।। કહે આપણે વૈષ્ણવી જન, કરીયે વલ્લભ કુળનું ભજન । તેહમાંહિ તે ન્યૂન શું દિઠું, જે નવા ધર્મમાં મન બેઠું ।।૪।। પછી સતસંગી બોલ્યા છે તૈયે, નવો ધર્મ એને કેમ કહીયે । એતો ધર્મ છે જુનો અનાદ્ય, સહુ વર્તે છે શાસ્ત્રમર્યાદ ।।૫।। આપણાનું તો નથી ઠેકાણું, તમે જાણો ને હું પણ જાણું । કામ ક્રોધ લોભ મોહ વળી, તેણે સહુને મૂક્યા છે ગળી ।।૬।। ગીતામાં જે કહ્યાં નરકદ્વાર, તેમાં વરતે એ તદાકાર । માટે એમાં તે કાંઇ ન દીઠું, ત્યારે સત્સંગમાં મન બેઠું ।।૭।। એવું સાંભળી સગાં કુટુંબ, સવેર્મળીને ખાધા છે સમ । એને આપણે નહિ વેવાર, આજથી એ કરો નાત્ય બહાર ।।૮।। તેને વીતિ ગયાં ષટ વર્ષ, તોય મેલ્યો નહિ અમરષ । ગયા સુધામે તેહનો તાત, ત્યારે ન તેડિ નોતરે નાત ।।૯।। પછી આવ્યા છે પ્રભુજી પાસ, શેઠ વનો પુંજો હરિદાસ । આવી કરી હરિને વિનતિ, પ્રભુ પધારિયે પ્રાણપતિ ।।૧૦।। સર્વે સંગ લઇ મુનિ સાથ, […] read more
0 Views : 179

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૯

પૂર્વછાયો- ત્યાર પછી જેજે થયું, કહું સાંભળો સહુ દઇ મન । અસુરાણ જોરાણ જક્તમાં, મળી પીડીયા હરિજન ।।૧।। પાપી મળી પરિયાણિયા, હરિજન હણવા હેત । તેની સહાય કરી હરિ, ખરી રીતશું રણખેત ।।૨।। દુષ્ટ રણમાં દળીયા, અસુરપતિ અતિ જેહ । બાર આગળ બસે પૂરા, તર્ત ભાગ્યા તેહ ।।૩।। ભૂમિનો ભાર ઉતારીયો, શ્રાવણશુદી દશમી દને । તેદિ અસુર મારીયા, હરિ ઇચ્છાએથી હરિજને ।।૪।। ચોપાઇ- પછી આવ્યો અષ્ટમીનો ે દન, તેડ્યા ઉત્સવ પર મુનિજન । આવ્યા સત્સંગી સર્વે મળી, અષ્ટમીનો સમૈયો સાંભળી ।।૫।। આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય । વાલે બોલાવ્યા મીઠે વયણે, વળી જોયું અમૃત નયણે ।।૬।। તેણે કરી હર્યા જનતાપ, કર્યા સુખી અલબેલે આપ । પછી અષ્ટમી ઉત્સવ કીધો, સહુ જનને આનંદ દીધો ।।૭।। પછી પધારિયા વરતાલ, કરવા લીલા અલૌકિક લાલ । સુણી આવ્યા સતસંગી સહુ, તેહ વિના બીજાં લોક બહુ ।।૮।। આવી લાગે પ્રભુજીને પાય, કરી દર્શન પ્રસન્ન થાય । નિત્ય નવી કરે વાલો વાત, સુણિ સહુ થાય રળિયાત ।।૯।। વળી લક્ષ્મીનારાયણ જેહ, વાસુદેવ ને શ્રીકૃષ્ણ તેહ । તેની મૂરતિને નિત્ય નિત્ય, દિયે પ્રદક્ષિણા કરી પ્રીત્ય ।।૧૦।। દિયે પ્રક્રમા તે દોય શત, પછી કરે પાંચ દંડવત । એમ કરતાં વીત્યા માસ દોય, આવ્યો દીપ ઉત્સવ દિન સોય ।।૧૧।। પૂરી દીપમાળા શોભે ઘણું, જાણ્યું મંદિર બણ્યું […] read more
0 Views : 127

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૦

પૂર્વછાયો- સવેર્જન મળી સાંભળો, કહું ત્યાર પછીની વાત । પ્રભુ પધાર્યા ગઢડે, એમ લીળા કરી ગુજરાત ।।૧।। ઘનશ્યામ ગઢડે આવિયા, સર્વે સંતને લેઇ સાથ । જન મળી લળી પાય લાગી, સહુ થયા સનાથ ।।૨।। નિર્ખિ હરખિ હાથ જોડી, જયારે બેઠા જન મળી । ત્યારે સનેહે શ્યામળે, વાલે વાલપ્યે બોલાવ્યા વળી ।।૩।। છો સહુ જન સુખિયા,એમ હેતેશું કહ્યું હરિ । ત્યારે જન કહે સુખિયા છીએ, પ્રભુ તમારે દર્શને કરી ।।૪।। ચોપાઇ- એમ કહેતાં સાંભળતાં વાતરે, વીતે આનંદમાં દિન રાત્ય રે । નિત્ય નવિ નવિ વાતો કરે રે, સુણી જન અંતરમાં ધરે રે ।।૫।। એમ વીતિ ગયા ત્રણ માસ રે, ત્યારે એમ બોલ્યા અવિનાશ રે । હવે સહુ જાયે વરતાલ રે, વાટ જોતા હશે તે મરાલ રે ।।૬।। એમ કહી કરી સાબધાઇ રે, ચાલ્યા સંગે સહુ બાઇ ભાઇ રે । આવ્યા કારીયાણીએ જીવન રે, નિર્ખિ જન થયા છે મગન રે ।।૭।। પછી હાથ જોડી બેઠા પાસ રે, ત્યારે બોલ્યા છે અવિનાશ રે । કહ્યું સાબદા થાઓ સરવ રે, જાયે વરતાલ કરવા ઉત્સવ રે ।।૮।। બોલ્યા વસતો રાઘવ ત્યાંઇ રે, પ્રભુ કરોને ઉત્સવ આંઇ રે । એમ કહીને રાખ્યા મહારાજ રે, હુતાશનીના ઉત્સવ કાજ રે ।।૯।। લાવ્યા ગુલાલ ને રંગ ઘણા રે, રમ્યા નાથ રાખી નહિ મણા રે । જોઇ રંગના ભરિયા નાથ […] read more
0 Views : 145

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૧

પૂર્વછાયો- એવા સ્વામી શ્રીહરિ, ચરિત્ર અતિ અનુપ । પાછા પ્રથમથી સંક્ષેપે, કહું સાંભળજયો સુખરૂપ ।।૧।। પોતે પુરૂષોત્તમ પ્રગટી, બહુ વાવરી સામર્થ્ય । જોરે લેવા જીવ શરણે, એજ સારવો અર્થ ।।૨।। પાપી પરદારા પથી, મદ્યપાની માંસારી સોઇ । તસ્કર પરપ્રાણહર, તરે કરે આશ્રય કોઇ ।।૩।। પોતા બળે મહા પંચ પાપી, કર્યા ભવજળ પાર । લોભી લંપટી કપટી કામી, કોણ પુરૂષ ને કોણ નાર ।।૪।। ચોપાઇ- એવા અઘવંતા નરનાર, આવે શરણે પામે ભવપાર । પામે સમાધિ સુખ પ્રાપતિ, થાય લોક પરલોકમાં ગતિ ।।૫।। સુરપુર ને દેખે કૈલાસ, વૈકુંઠ હરિ હરિના દાસ । ગોલોક ને શ્વેતદ્વીપ સોઇ, ધામ અક્ષર જન તે જોઇ ।।૬।। જેજે લોકના આચરણ જેહ, દેખે કહે યથારથ તેહ । જેજે લોકના જે અધિપતિ, કરે પ્રગટ પ્રભુની વિનતિ ।।૭।। એમ જન જોઇ બહુ ધામ, માને પોતાને પૂરણકામ । વળી દેખે બ્રહ્માંડે બ્રહ્માંડ, દેખે પોતાનું પારકું પંડ ।।૮।। મન બુધ્ધિ ચિત્ત અહંકાર, દેખે પ્રાણ ઇંદ્રિય પરિવાર । ઘાટ શુભ અશુભ જે થાય, તેતો પર પોતાના જણાય ।।૯।। એમ દેખે સમાધિયે જન, કરે પ્રગટ પ્રમાણ ભજન । પરાપાર જે પૂરણબ્રહ્મ, જેને નેતિ નેતિ કહે નિગમ ।।૧૦।। તેજ સુખદાય સહજાનંદ, જગજીવન જે જગવંદ । જે કોઇ સર્વે કારણના કારણ, તેણે કર્યું છે તન ધારણ ।।૧૧।। સર્વે અવતારના અવતારી, તેજ સહજાનંદ સુખકારી । જે કોઇ […] read more
0 Views : 120

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦ર

પૂર્વછાયો- અનંત લીળા અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોઇ । અનંત પ્રતાપ અનંત પરચા, કવિજન ન લખે કોઇ ।।૧।। અપાર માહાત્મ્ય અપાર મહિમા, મોટપ્ય અપરમપાર । અપાર ગંભીર અપાર ગરવા, કવિ કોણ કરે નિરધાર ।।૨।। પંખી જેમ પાંખ બળે, ઉડે પાર લેવા આકાશ । સરું તે નાવે શૂન્યનું, નિશ્ચે પામે તન નાશ ।।૩।। એમ ચરિત્ર મહારાજનાં, છે જો અનંત અપાર । કેતાં કેતાં કહેવાય નહિ, એમ નિશ્ચય છે નિરધાર ।।૪।। નર જે ઉત્તર પંથનો, ઇચ્છે આ તને લેવા અંત । પહોંચ્યાની પ્રતિત કરવી, એજ ભોળાઇ અત્યંત ।।૫।। ઉડુગણ કણ ભૂમિતણા, જળકણ જાણે જન । વનપાત ગાતરોમાવળી, ગણે અન્નકણ ખડધન ।।૬।। એહ સર્વે અપારનો પાર, લિયે કવિજન કોઇ । હરિચરિત્રનો પાર હજારૂં, સરું ન લિયે સોઇ ।।૭।। જેનું વર્ણન કરતાં વાણી થાકે, મનન કરતાં મન । ચિંતવન કરતાં ચિત્ત થાકે, એમ નિશ્ચે જાણજયો જન ।।૮।। ચોપાઇ- ધરી હરિકૃષ્ણ અવતાર, કરે લીળા અનંત અપાર । ઉઠે બેસે બોલે જુવે જમે, હાલે ચાલે હરિ હસે રમે ।।૯।। સુવે જાગે માગે કાંઇ જેહ, આવે જાય ઉભા રહે તેહ । ચાલે ચટકે લટકે ચાલ, કરે કરનાં લટકાં લાલ ।।૧૦।। કહે સાંભળે ને લિયે દિયે, કેમ લખાય જે પાય પીયે । પૂજે પૂજાવે પીરસે હાથે, અતિ હેત કરે જન માથે ।।૧૧।। પહેરે પહેરાવે વસ્ત્ર ઘરેણાં, સર્વે ચરિત્ર […] read more
1 Views : 122

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૩

પૂર્વછાયો- અનેક લીળા અનેક ચરિત્ર, કરી કર્યો જનનો ઉધ્ધાર । સુંદર નિર્ગુણ મૂરતિ, તેને વંદુ હું વારમવાર ।।૧।। અનેક નામના નામી સ્વામી, સર્વના સુખધામ । અનેક એકની મૂરતિ, અનેક એકનાં નામ ।।૨।। તે પ્રભુ પ્રકટપણે ફરે, કરે જીવનાં કલ્યાણ । મનોહર મૂર્તિ મહારાજની, તેને પ્રણમું જોડી હું પાણ ।।૩।। પુરૂષોત્તમ પૂરણ પોતે, અઢળક ઢળ્યા આવાર । તેનાં ચરિત્ર પવિત્ર અતિ, વળી કહું કરી વિસ્તાર ।।૪।। એક સમે મુનિ સહુ મળી, આવિયા પ્રભુજી પાસ । અતિ હેતે સ્તુતિ કરવા, હઇયે થયા છે હુલાસ ।।૫।। ચોપાઇ- નમો કૃષ્ણ નમો નારાયણ, નમો જીવશ્રેય પરાયણ । નમો બળવંત બહુનામી, નમો અકળ અંતરજામી ।।૬।। નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી । નમો દાસના ત્રાસ વિનાશ, નમો સહુના આદિ અવિનાશ ।।૭।। નમો પુરૂષોત્તમ સહુપર, નમો અક્ષરધામઆધાર । નમો નિર્ગુણ સગુણ સ્વામી, સર્વે ધામતણા તમે ધામી ।।૮।। નમો અપરમપાર અકળ, નમો સર્વના શ્યામ સબળ । નમો ક્ષર અક્ષર નિયંતા, નમો ગુણપાર ગુણવંતા ।।૯।। નમો અવતારના અવતારી, નમો સંતતણા સુખકારી । નમો દીનના બંધુ દયાળ, નમો ભક્તવત્સલ પ્રતિપાળ ।।૧૦।। નમો કૃપાના સિંધુ કૃપાળુ, નમો દયાના નિધિ દયાળુ । નમો પ્રભુજી પૂરણકામ, નમો સંતતણા સુખધામ ।।૧૧।। નમો ઇશતણા મહાઇશ, નમો ભક્તપતિ જગદીશ । નમો પરમેશ્વર પરબ્રહ્મ, નમો ભવતારણ ત્રિકમ ।।૧૨।। નમો વાસુદેવ વરદેણ, નમો કેશવ કમળનેણ । નમો […] read more
0 Views : 123

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦૪

રાગ સામેરી- નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન । આ તને તે નવ કર્યું, અમથું કરો છો અનુમાન ।।૧।। વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા । જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોયેર્થિયા ।।૨।। પિઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથીયો અમે મેરાણ । ચૌદ રત્ન લીધાં તેતો, કૂર્મ પ્રભુ પ્રમાણ ।।૩।। હિરણ્યાક્ષ હણી પૃથવી, વાળી નથી આ વાર । જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એતો વરાહ અવતાર ।।૪।। હિરણ્યકશિપુ મારીને, કરી જન પ્રહ્લાદની સાર । એહ પ્રતાપે પ્રભુ ખરા, તે તો નૃસિંહ અવતાર ।।૫।। પંડ વધારી ભરી પૃથિવી, બળી છળીને લીધું રાજ । તેહ અમે કિધું નથી, એતો વામનજી મહારાજ ।।૬।। તાતને હેતે હણ્યા ક્ષત્રિ, ફેરી ફરશિ એકવિશ વાર । તે પ્રતાપે પ્રભુ કહોતો, એતો પરશુરામ અવતાર ।।૭।। ખર ડુખર ને કુંભકર્ણ, નથી માર્યો મેં રાવણ રાજ । એતો પ્રભુ રઘુનાથજી, બાંધી પાજ પત્ની કાજ ।।૮।। કાળી નાથી કર ગિરિ ધરી, ઇંદ્રનું માન ઉખાડિયું । બ્રહ્માને મન ભંગ કરી, વિશ્વ માને મુખમાં દેખાડિયું ।।૯।। અઘાસુર બકાસુર કેશી, વત્સ ધેનુકાસુર વૃષભ । વ્યોમાસુર ભૌમાસુર વળી, મુરદાનવ મધુકૈટભ ।।૧૦।। કંસ ને વળી કાલયવન, શંખચૂડ ને શાલવ સહિ । બાણાસુર શિશુપાળ સરખા, જરાસંધ જેવા કહિ ।।૧૧।। દંતવક્રાદિ દુષ્ટ દમ્યા, રમ્યા વ્રજયુવતિ સંગ । એહ પ્રાક્રમે કૃષ્ણ પ્રભુ, તેતો અમે […] read more
0 Views : 171
Powered By Indic IME