Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૧

ચોપાઇ- એવી લીળા અલબેલે કીધી, પછી સંતને શિખજ દીધી । કહે નાથ સુણો સહુ જન, તમે રહેજયો મનમાં મગન ।।૧।। વળી કરશું ઉત્સવ અમે, મળી આવજો મુનિઓ તમે । જાઓ ફરો કરો હરિ વાત, રહેજયો રાજી તમે રળિયાત ।।૨।। ઘણા ઘણા ઉત્સવ કરીને, દઇશ સુખ હું ફરિફરિને । અતિ તમને લડાવવા લાડ, મારા મનમાં છે ઘણી ચાડ ।।૩।। કરૂં તમને પૂરણકામ, એમ બોલિયા સુંદરશ્યામ । સંત સાંભળી વાલાની વાણી, ચાલ્યા આનંદ ઉરમાં આણી ।।૪।। કૈક ગયા છે ગુરજરદેશ, કૈકે કર્યો કચ્છે પ્રવેશ । વાગડ સોરઠ વાલાકે વળી, ગઇ મારૂ દેશમાં મંડળી ।।૫।। કૈક પોત્યા છે પૂરવ માંય, કરવા વાત પ્રભુજીની ત્યાંય । એમ સર્વે દેશે સંત ગયા, જેને રાખ્યા તે પાસળે રહ્યા ।।૬।। એમ આનંદમાં સહુ સંત, કરે લીળાની વાતો અત્યંત । ચિંતવે નિત્ય ચરિત્ર ચિત્તે, કરે પરસ્પર વાતો પ્રીતે ।।૭।। તેણે આનંદ અંગે ન માય, રાત્ય દિવસ રાજીપે જાય । કરે વાત પ્રભુની વિસ્તારી, સુણે પરસ્પર નરનારી ।।૮।। સાચી વાત શ્રવણે સાંભળી, થાય સત્સંગી કુસંગી ટળી । આપે જ્ઞાન દાન એમ સંત, ફરે જગતમાં તારવા જંત ।।૯।। જીયાં જીયાં મુનિજન ફરે, તિયાં પૃથિવી પાવન કરે । એવા સંત જન સુખકારી, અતિ પવિત્ર પરઉપકારી ।।૧૦।। જેને એક હરિની છે આશ, સવેર્જક્તથી રહે છે ઉદાસ । જેને પૂરણબ્રહ્મશું પ્રીત, અન્ય વસ્તુ […] read more
0 Views : 135

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮ર

રાગ સામેરી- પછી પધાર્યા ગઢડે, હરિજનને હેતે કરી । રહી દિન થોડાઘણા, અમદાવાદ જાવા ઇચ્છા કરી ।।૧।। પછી પ્રભુજી પધારીયા, શ્રીનગર સુંદર શ્યામ । દેવા દરશન દાસને, પુરવા હૈયાની હામ ।।૨।। દાસ સહુ દિવસના, દરશન વિના દુઃખી હતા । તેને તે સુખ આપવા, આવ્યા સખા સમીપે શોભતા ।।૩।। પુરપતિ રાજી અતિ, નરપતિ આવી નમિયો । દાઝ્યા કુમતિ કુમોદની, જાણી હરિ અર્ક ઉદય થયો ।।૪।। હરિજન મન હુલશ્યાં, જેમ ફુલ્યાં કમળનાં વન । નાથ નયણે નિરખી, અતિ મન થયાંછે મગન ।।૫।। પછી ગાતે વાતે ગામમાં, પ્રભુને પધરાવિયા । અવિદ્યા જનને ઉપરે, જીત્યના ડંકા વજાવિયા ।।૬।। પાંચ દિવસ પુરમાં, આપે રહ્યા અલબેલ । પછી પોત્યે પધારીયા, સંગે સખા લઇ રંગરેલ ।।૭।। કૈક ચડ્યાં ચોતરે, કૈક ચડ્યાં અગાશી અટારીયે । જુવે ઝરૂખા ગોખમાં, કઇક બેઠાં બારીયે ।।૮।। પડે ધ્રોશ પડઘમતણી, ઘણી ભિડ્ય ચૌટા ચોકમાં । બાલ જોબન વૃધ્ધ વનિતા, બોલે જયજય લોકમાં ।।૯।। નરનારીયે નાથ નિરખી, લાવો લીધો લોચનનો । મીટે મનોહર મૂરતિ, જોઇ પુર્યો મનોરથ મનનો ।।૧૦।। દાસને દરશન દેતા, ધીરેધીરે હાલે હરિ । સમૂહ જન સનેહશું, નાથ નિખેર્નયણાં ભરી ।।૧૧।। પછી પોત્યે પધારીયા, પ્રભુજી પુરબારણે । અનેક જન જીવન જોઇ, વળી જાય વાલાને વારણે ।।૧૨।। એમ દઇ દર્શન દાસને, ચાલ્યા દીનદયાળ । જનમન રંજન કરવા, હરિ આવિયા વેલાલ્ય ।।૧૩।। અતિ ઉત્સવ […] read more
0 Views : 113

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૩

ચોપાઇ- રહ્યા ગઢડે ચાતુરમાસ, પછી એમ બોલ્યા અવિનાશ । કોઇ નર આપે અન્ન ધન, કોઇ વસુધા વારિ વસન ।।૧।। કોઇ આપે ગજ બાજ ગાય, બીજાં બહુ દાન જે કહેવાય । સવેર્દાનમાં અધિક જેહ, સહુ મળી વળી શોધો તેહ ।।૨।। વળતા બોલિયા સંત સુજાણ, સાંભળો મારા જીવનપ્રાણ । અભયદાન અધિક સહુથી, એની બરોબર બીજું નથી ।।૩।। તેતો દાન તમથી દેવાય, તમને નિરખે તે નિર્ભય થાય । એવી સાંભળી સંતની વાત, વાલો કહે ચાલો ગુજરાત ।।૪।। પછી કાઠીયે સજયાં કેકાણ, માંડ્યાં ઘણમુલે ઘોડે પલાણ । હાંહાં કરતાં ગુજરધર આવ્યા, કર્જીસણ જઇ સંત બોલાવ્યા ।।૫।। દિન દોય રહ્યા એહ ઠામ, પછી વાલો આવ્યા વડુગામ । પુર બહાર ઉતરિયા નાથ, સર્વે સંત હતા પોતા સાથ ।।૬।। કીધા પ્રશ્ન ઉત્તર પ્રસંગ, બોલ્યા જેનાં જેવાં હતાં અંગ । ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા ઓળેથી આદ્રેજ ગામ ।।૭।। તિયાં અન્નકોટ ઉત્સવ કરી, આપી સુખ ચાલ્યા ત્યાંથી હરિ । ભક્ત એક રહે કોલવડે, તેહ ગામે ઉતરીયા વડે ।।૮।। તેને ઘેર જમ્યા જઇ નાથ, આપ્યા મુનિને મોદક હાથ । કરે લીળા જન મનભાવે, ત્યાંથી અલબેલો આવ્યા ઉનાવે ।।૯।। તિયાં ભક્ત રૂડો રામદાસ, તેને ઘેર ગયા અવિનાશ । નરનારી અપાર હરખ્યાં, થયાં રાજી નાથજી નિરખ્યા ।।૧૦।। ધૂપ દીપ ઉતારી આરતી, જુગતે જમાડ્યા પ્રાણપતિ । બીજી બહુ રીત્યે કરી રસોઇ, જમ્યા નાથ […] read more
0 Views : 144

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૪

રાગ સામેરી- પછી ગામ ગઢડે, આવિયા તે અલબેલ । કરે લીલા લલિત ભાત્યે, રસિયોજી રંગરેલ ।।૧।। દિયે આનંદ દાસને, અતિહાસ વિલાસ હરિ કરી । સુંદર મનોહર મૂરતિ, જન નિરખે નયણાં ભરી ।।૨।। નાવા જાય નિત્યે નીરમાં, સખા સવેર્સંગ લઇ । સંત સંગે શ્યામળો, અતિ રંગે રમે રાજી થઇ ।।૩।। ઉછાળે જળ અતિ ઘણાં, સામસામા સખા મળી । એકકોરે અલબેલો થઇ, વધારે રમત્ય વળી ।।૪।। કરે ક્રીડા જળમાંહિ, સખા સંગે શ્યામ રે । અનેક જીવ જીવન જોઇ, થાય પૂરણકામ રે ।।૫।। નાહિ નિસર્યા નાથજી, જળમાંહિથી વળી બહાર । વસ્ત્ર પહેરી વાલ્યમો, થયા અશ્વ ઉપર અસવાર ।।૬।। આવી બેઠા ઓસરિયે, સુંદર ઢળાવી ઢોલિયો । શોભે સમૂહ સંતનો, તેતો નવ જાય બોલિયો ।।૭।। પ્રશ્ન ઉત્તર અતિ ઘણા, માંહોમાંહિ મળી કરે । પછી પ્રશ્ન લઇ પોતે, અલબેલોજી ઓચરે ।।૮।। કરે અલૌકિક ઉત્તર આપે, સુણ્યો નોય કેદિ શ્રવણે । સાંભળી જન મગન થાય, ધન્ય ધન્ય સહુ ભણે ।।૯।। નિત્ય નવી કરે વારતા, વળી નાય નિત્ય નીરમાં । શ્વેત વસ્ત્ર સુમનહારે, શોભે ઘણું શરીરમાં ।।૧૦।। એમ લીળા બહુ કરતા, શ્રાવણ ભાદ્ર વહી ગયા । આવ્યો આસો આનંદકારી, દિવાળીના દિન થયા ।।૧૧।। કર્યો ઉત્સવ અન્નકોટનો, સંત સહુ ત્યાં આવિયા । વિવિધભાત્યે ભોજન કરી, નાથે હાથે જમાવિયા ।।૧૨।। પુરી માળા ત્યાં દીપની, તે અતિશે શોભે ઘણી । શ્વેતદ્વીપ […] read more
0 Views : 126

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮પ

ચોપાઇ- અલબેલોજી આનંદકારી, આવ્યા ગઢડે દેવ મુરારી । સર્વે દાસને દર્શન દીધાં, જનનાં મન મગન કીધાં ।।૧।। બેઠા વાલ્યમ આસન વાળી, જન સહુ રહ્યા સામું ભાળી । જેમ ચંદને જુવે ચકોર, જેમ મેઘને જુવે છે મોર ।।૨।। એમ સર્વે રહ્યા સામું જોઇ, મીટે મટકું ન ભરે કોઇ । પછી બોલિયા પ્રાણજીવન, તમે છો સુખિયા સહુ જન ।।૩।। પછી બોલિયા જન જોડી હાથ, તમને નિર્ખિ સુખી છીએ નાથ । પછી સુંદર ભોજન કરી, જન હેતે જમ્યા તિયાં હરિ ।।૪।। અતિ હેતે બોલે વાલો વળી, સર્વે રાજી થાય તે સાંભળી । દેશદેશના દાસ સંભારી, વખાણે તેને દેવ મુરારી ।।૫।। બીજી બહુ બહુ કરે વાત, સુણી જન થાય રળિયાત । એમ કરતાં માસ દોય થયા, દિન દશ તે ઉપર ગયા ।।૬।। ત્યારે બોલિયા જીવનપ્રાણ, સુણો સંત સર્વે સુજાણ । હતી અસુરની જે ઉપાધિ, તે આ સમે સમી ગઇ બાધી ।।૭।। થયું રાજય હવે ન્યાયવાળું, સર્વે ગરીબ રાંકને સુખાળું । હવે જોર જુલમ ન થાય, તમ જેવા સાધુ ન પીડાય ।।૮।। માટે રાખો પ્રથમની રીત, અતિ સુંદર પરમ પુનિત । એમ કહ્યું જનને મહારાજે, તેવી રીત્ય રાખી મુનિરાજે ।।૯।। પછી આવ્યો છે ફાગણ માસ, હોળી રમવા થયા હુલાસ । ભાલ મધ્યે ગામ મછિયાવ્ય, વસે ભક્ત તેને અતિ ભાવ ।।૧૦।। તેણે હરિને તેડાવ્યા હેતે, તિયાં […] read more
0 Views : 138

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૬

સામેરી- પછી સંતને આપી આગન્યા, જાઓ ફરવા સહુ મળી । જયારે અમે તેડાવિયે, આવજયો તમે વળી ।।૧।। અણતેડ્યે નવ આવવું, વળી લોપી અમારૂં વચન । હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન ।।૨।। આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ । વચન પ્રમાણે જે વરતે, તે ઉપરે પ્રસન્ન અતિ ।।૩।। શશિ સૂરજ શેષ સિંધુ, સવેર્રહે અમારા વચનમાં । વારિ વસુધા વહનિ, મરૂત ડરે વળી મનમાં ।।૪।। ભવ બ્રહ્મા ભુલે નહિ, ડરે વચનથી દિગપાળ । સુરાસુર ઇંદ્ર અંબા, કંપે વચનથી કાળ ।।૫।। તેહ સર્વે એમ જાણે જે, વડા થયા વચનથી । એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી ।।૬।। એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ । એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ ।।૭।। માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા । છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા ।।૮।। એટલી વાત કરી હરિ, પછી શીખ દીધી સંતને । મળી વળી મસ્તાન કરી, મોકલ્યા ગુણવંતને ।।૯।। નાથ નિરખિ હૈયે હરખી, લખી લીધા અંતરે । સુખ લઇ મગન થઇ, ચાલ્યા દેશોદેશાંતરે ।।૧૦।। જીયાં જીયાં આપી આગન્યા, તિયાં તિયાં સંત સહુ ગયા । હેત જોઇ હરિજનનાં, ગીરધરજી ગઢડે રહ્યા ।।૧૧।। નાથ કહે સહુ સાથને, આજ સંત છે જે આપણા । સરવે […] read more
0 Views : 121

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૭

પૂર્વછાયો- કહું લીળા વળી લાલની, જે કરી હરિ અવિનાશ । સંત સમીપે રાખિયા, રાજી થઇ ષટમાસ ।।૧।। તેહમાંહિ જેજે કર્યું, તે કહું સાંભળજયો જન । ચરિત્ર સુણતાં શ્યામનાં, વળી થાય પરમ પાવન ।।૨।। ચોપાઇ- ઘણું રહ્યા છે ગઢડામાંઇ, કરી હુતાશની વળી ત્યાંઇ । ઉષ્ણઋતુ વીતિ એહ ઠામ, બહુ રાજી છે સુંદરશ્યામ ।।૩।। પછી આવિયું ચાતુરમાસું, દુષ્ટે દુષ્ટપણું પરકાશું । પછી ત્યાંથી ચાલિયા મોરાર, આવ્યા સારંગપુર મોઝાર ।।૪।। સાથે હતું સંતનું મંડળ, મહામુક્ત અંતરે અમળ । તે સહિત સારંગપુર આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।।૫।। ભક્ત ભાવિક જીવો ખાચર, હરિ ઉતરિયા તેને ઘેર । સુંદર ભોજન કરી રસાળ, જમ્યા નાથ જમાડ્યા મરાળ ।।૬।। વળતો આવ્યો અષ્ટમીનો દન, સવેર્વ્રત રહ્યા મુનિજન । પછી પોતે પધારિયા બાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।।૭।। સુંદર ગાડલે પલંગ ઢાળી, તે ઉપર બેઠા વનમાળી । કરે ઉત્તર પ્રશ્ન ત્યાં અતિ, શ્વેત વસ્ત્રે શોભે છે મૂરતિ ।।૮।। દિયે દર્શન પ્રસન્ન ઘણું, નિર્ખિ હષેર્મન જનતણું । એમ અષ્ટમી ઉત્સવ કીધો, જને લાવ અલૌકિક લીધો ।।૯।। જને રાખ્યાતાં નિયમ જુજવાં, ઉપવાસ અલુણાં જમવાં । તેને પ્રભુજીએ કહ્યું કથી, તમે વાલા છો મને આજથી ।।૧૦।। પછી પરમહંસને કાજે, કરી રસોઇ સુંદર સાજે । પોતે પીરશ્યું પંગત્યમાંઇ, કરી વાત તે હેતની ત્યાંઇ ।।૧૧।। સવેર્સંતે એ વાત સાંભળી, ગયા ફરવા બાંધી મંડળી […] read more
0 Views : 136

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૮૮

પૂર્વછાયો- એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા સુંદર શ્યામ । ફુલદોલઉત્સવઉપરે,ચાલ્યાપંચાળેગામ ।।૧।। સંત સહુને જણાવિયું, ધીરેધીરે આવજયો ત્યાંય । એમ કહી રથ ઉપર બેસી, પધાર્યા સોરઠમાંય ।।૨।। ચોપાઇ- આવે વાટમાંહિ પુર ગામ, સુભાગી નર નિરખે શ્યામ । પ્રથમ પિપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા ।।૩।। રૂડી કરાવી તર્ત રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ । પછી જમાડિયા મુનિજન, ઘૃત પીરશું પોતે જીવન ।।૪।। એમ રાજી કરી નિજદાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । આવ્યા હાથસણિ રહ્યા રાત, ત્યાંથી પ્રભુ ચાલ્યા પરભાત ।।૫।। આવ્યા જસદણમાં જીવન, દીધું પુરપતિને દર્શન । રહી મુહૂર્ત એક મુરારી, પછી તર્ત કરી અસવારી ।।૬।। આવી અરણ્યે નદી નિર્મળી, બેસી જમ્યા ત્યાં સુખડીગળી । ત્યાંથી આવ્યા છે બંધીયે ગામ, સુખસાગર સુંદરશ્યામ ।।૭।। રહ્યા રાત્ય ત્યાં દોય દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ । આવ્યા ગોંડળમાંહિ ગોવિંદ, સંગે હરિજનનું છે વૃંદ ।।૮।। આવી ઉતરીયા ઉપવન, તિયાં જમ્યા હરિ હરિજન । સાત ભાત્યની હતી સુખડી, શાક વૃંતાક ખીચડી રૂડી ।।૯।। પોતે પીરસી જમાડ્યા જન, એમ સહુને કર્યા પ્રસન્ન । પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, કરી અસવારી ન કરી વેલ ।।૧૦।। ડયા ગામમાં આવ્યા દયાળ, પોતાકારણે કરાવ્યો થાળ । આપ્યા મુનિને મોદક હાથ, બહુ લીળા કરી ઇયાં નાથ ।।૧૧।। રહી રાત્ય ચાલ્યા ભગવાન, દેતા જનને દર્શન દાન । આવી સીમમાં સરિતા સારી, […] read more
0 Views : 129
Powered By Indic IME