ગૃહસ્થને તો આમ સમજવું જે, કોઇ વાતની ચિંતા નરાખવી; જે આમ થાય તો ઠીક, એમ ન કરવું. અને સહેજેજોઇએ તેટલુ દ્રવ્ય પેદા કરવું; પણ ઝાઝું થાય તેમાં તો કાંઇસુખ નહિ. તે ચાર જણ હતા, તે રોજ ‘દ્રવ્ય થાઓ, દ્રવ્ય થાઓ’એમ રટણ કરે. ત્યારે આકાશવાણી થઇ જે, ‘ભાઇ, દ્રવ્ય તોઘણું મળશે પણ દુઃખ થાશે.’ ત્યારે કહે કે, ‘બ્રહ્માંડમાં જેટલુંદુઃખ હોય એટલું અમને થાઓ, પણ દ્રવ્ય મળો.’ ત્યારે કહે,‘ઠીક.’ પછી ચાર મણ સોનું રસ્તામાંથી મળ્યું , તેમાં બબ્બેજણ સંપ્યા જે,‘ઓલ્યા બેને મારી નાખીએ તો બબ્બે મણ આવે;પછી ઓલ્યા બેને ગામમાં મોકલ્યા ને કહે જે,‘તમે લાડવા કરીનેલાવો તો એ જમીએ.’ પછી એમ ધાર્યું જે,‘એ બન્ને આવેત્યારે પાણી ભરવા વાવમાં મોકલીને પાણા નાખીને મારીનાખશું.’ અને જે લાડવા લેવા ગયા, તે બે જણ પણ સંપ્યાજે,‘ઓલ્યા બેને ઝેરના લાડવા ખવરાવીને મારી નાખીએ, તોઆપણે બબ્બે મણ સોનું રહે.’પછી ઝેરના લાડવા ઘીમાં લચપચતા કરાવ્યા ને પોતાસારુ સાધારણ કરાવ્યા, તે લઇને ગયા. એટલે ઓલ્યો કહે,‘વાવમાંથી પાણી ભરી આવો પછી જમીએ.’ ત્યારે તે બે જણાવાવમાં પાણી ભરવા ગયા. તેને પાણા નાખીને મારી નાખ્યા.પછી ઓલ્યા બે જણ ખાવા બેઠા, લાડવા તપાસે ત્યાં તો બેજાતનાં દીઠા. તે કહે,‘જો ! પોતા સારુ સારા કર્યા છે, હવેતે આપણે ખાઇએ.’ પછી ખાધા એટલે તે પણ ખાઇને મરીગયા ને સોનું પડ્યું રહ્યું. જુઓને સુખ..! આ એમ […]
read more