Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૩પ

ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ સ્થાનકની આશા નથી એહ સ્થળની, જોઈ તપ ઋભુરાય તણું ।। એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું ।। ૨ ।। ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે ।। એમ કહીને ઊઠિયા, અવિનાશી અચાનકે ।। ૩ ।। આવ્યા રાય ઋભુ પાસળે, દીધાં દયા કરી દરશન ।। માગો માગો રાય મુજથી, હું થયો છું પ્રસન્ન ।। ૪ ।। હેત કરી હાથ ફેરવે, મુખ માથે ને સરવે શરીર ।। જોઈ ધીરજ એ રાજનની, આવી ગયાં નયનમાં નીર ।। ૫ ।। અતિ દીન આધીન ઊભા, આગળ ઓશિયાળા થઈ ।। જાણે આપું એ જનને હું, મારું સુખ સરવે લઈ ।। ૬ ।। વા’લપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું ।। અકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું ।। ૭ ।। ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ ।। નીરખી તમને નયણે, શ્રીહરિ હું થયો સનાથ ।। ૮ ।। માગું છું હું મહાપ્રભુ, પંચવિષય સંબંધી જે સુખ ।। દેશો મા તે દયા કરી, જેથી થાય તમથી વિમુખ ।।૯।। ત્યારે શ્રીહરિ કહે શુદ્ધ ભકત તમે, નથી માયાનો લેશ તમમાં જરા ।। નિષ્કુળાનંદનો નાથ કહે, અનન્ય ભકત મારા ખરા […] read more
0 Views : 110

ધીરજાખ્યાન કડવું:– ૩૬

એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઈ નર્મજી નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી ।। સહુ સહુના મનમાં જુવો, ઊંડું વિચારી અંતરથી ।। ૨ ।। વણ ખપવાળાને એ વારતા, અણુ એક અર્થે આવે નહિ ।। મહિમા માહાત્મ્ય મોટપ્ય મુખથી, કહિયે મર કથી કથી કહિ ।। ૩ ।। જેમ પશુજનને ચાર્ય પ્યારી, તેહ નીલી દેખીને નવ તજે ।। સહે કષ્ટ બહુ એહ સારુ, તોય ભાવે કરી એહને ભજે ।। ૪ ।। જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસાતણી ।। તેવી આશા નથી અવિનાશ પદની, વાત શું કહિયે ઘણી ઘણી ।। ૫ ।। અન્ન વસન સારુ અંગ આપે, જિયાં કાપે શત્રુ વળી શીશ ।। એ તો થાય છે ઉછરંગશું, પણ ભજાય નહિ જગદીશ ।। ૬ ।। અસત્ય સુખ સારુ એવું કરે, પિંડ પાડ્યા સુધી પ્રયાણ ।। સત્ય સુખને સાંભળી, વળી થાતી નથી એવી તાણ ।। ૭ ।। વિષનો કીડો વિષમાં, વસી વખાણે વિષનું સુખ ।। તેને રે’તા અમૃતમાં, થાય જરૂર જાણજો દુઃખ ।। ૮ ।। તેમ ભકત આ બ્રહ્માંડમાં, ભજે હરિ ન તજે વિકાર ।। જેમ કેશ કહિયે કઠેકાણા તણા, શ્વેત શ્યામ સહુ એક હાર ।।૯।। ભકત થાય ભગવાનના, પ્રથમના ભકત પ્રમાણ ।। નિષ્કુળાનંદ કહે તે વિના, […] read more
0 Views : 137

ધીરજાખ્યાન પદ:– ૯

(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ. દોયલું થાવું હરિદાસ રે સંતો..દોયલું જોઈએ તજવી તનસુખ આશ રે સંતો..દોયલું… ટેક શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ; પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે સંતો ।। ૧ ।। કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ; એમ કરતાં જો ચડી ગયા ચોંટે, તો તરત લેશું મુખે ઘાસ રે સંતો ।। ૨ ।। શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ; કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો ।। ૩ ।। એવા ભકત તે ભકત હરિના, તેહ સહે જગ ઉપહાસ; નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે સંતો ।। ૪ ।। read more
0 Views : 140

ધીરજાખ્યાન કડવું:– ૩૭

વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન ।। જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન ।। ૨ ।। ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત જે વળી ।। આપે તેને આદરશું, આરત્ય વાણી સાંભળી ।। ૩ ।। તેણે જશ વાધ્યો આ જકતમાં, પરલોકે પડી ફાળ ।। ઇન્દ્ર કહે લેશે આસન મારું, કરું કાંઈક રખવાળ ।। ૪ ।। પે’લી વે’લી પાળ બાંધિયે, તો રહે તળાવે તોય ।। આવ્યે જળે જે આદરવું, તે કામ ન આવે કોય ।। ૫ ।। લાગી આગ્યે કોઈ કૂપ ખણે, તેણે ઓલાય નહિ અંગાર ।। માટે મેલી ગાફલતા, વે’લો વે’લો કરવો વિચાર ।। ૬ ।। પછી શક્ર થયો શકરો, થયો હોલો તે હુતાશન ।। આવ્યા બેઉ ઊડતા, જયાં બેઠા હતા રાજન ।। ૭ ।। કપોત ગર્યો આવી ગોદમાં, બેઠો શકરો સામો સુજાણ ।। આપ્ય મારા તું આહારને, મારા ભૂખે જાય છે પ્રાણ ।। ૮ ।। ત્યારે શિબિ કહે સુણ શકરા, શરણે આવ્યો તે કેમ અપાય ।। માગ્ય બીજું હોય મનમાં, જેણે કરી તારું દુઃખ જાય ।।૯।। ત્યારે બાજ કહે બીજું જોઈતું નથી, જોઈએ છે ખાવાનું આ વાર ।। નિષ્કુળાનંદનો નાથ નાથ કરી, […] read more
0 Views : 127

ધીરજાખ્યાન કડવું:– ૩૮

શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી તપાસ કરી તને મને, ત્રાજુ મગાવ્યાં તે વાર ।। કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર ।। ૨ ।। કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ ।। તોય ત્રાજુ નવ ઊપડ્યું, તેહ હોલો બેઠો છે જેહ પાસ ।। ૩ ।। ત્યારે રાયે વિચારિયું, આ તો કપોત કારણરૂપ રે ।। માટે આપું અંગ આખું એને, એમ કહે છે વળી ભૂપ રે ।। ૪ ।। ત્યારે બેઠા રાય જઈ ત્રાજવે, હુવો લોકમાં હાહાકાર ।। ત્યારે હોલો ટળી હુતાશન હવો, હવો શકરો શક્ર તે વાર ।। ૫ ।। ત્યારે ઇન્દ્ર કહે ધન્ય ધન્ય રાજા, તું જેવો નથી બીજો એક ।। તન અભિમાની તું નહિ, અમે જોયું કરી વિવેક ।। ૬ ।। સત્ય ધર્મ નીમ ટેક તારી, ભારે ધારી ભલી તમે ભૂપ ।। તન તજી બ્રહ્મલોક જાશો, થાશો બ્રહ્મસ્વરૂપ ।। ૭ ।। પે’લું વે’લું લિયે પારખું, પછી દિયે છે અભયદાન ।। એવા સંકટને સહન કરતાં, જાણો નથી કાંઈ જયાન ।। ૮ ।। વામને બાંધ્યા બળિરાયને, પછી પોતે બંધાણા બહુ પેર ।। હજી સુધી હેતે કરી, હરિ રહે છે એને ઘેર ।।૯।। એમ વર દઈ સુરેશ ગયા, થયો અતિ જયજયકાર ।। નિષ્કુળાનંદ હરિભકતને, ગ્રહી લેવું […] read more
0 Views : 119

ધીરજાખ્યાન કડવું:– ૩૯

આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તે તો પરલોકના સુખને કાજજી એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જયારે રહે એ રાજાની રીત ।। ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત ।। ૨ ।। અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય ।। તે તે આપે ત્રિલોકમાં, સુખે થકી સહુ કોય ।। ૩ ।। પણ જયારે આવે અંગ ઉપરે, સુખ દુઃખના સમૂહ મળી ।। ત્યારે દઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી ।। ૪ ।। મોટી વાત કરતાં મુખથી, વળી સ્વાદ આવે છે સહુને ।। પણ જયારે જોઈએ આ જીવમાં, ત્યારે ભળાયે ભૂલ્ય બહુને ।। ૫ ।। એહ ભૂલ્યને અળગી કરી, ખરી હરિની ભકત કરિયે ।। મોટા ભકત જે મોરે થયા, તેના મતને અનુસરિયે ।। ૬ ।। મનગમતું મેલી કરીને, મત મોટાનો મન ધારિયે ।। પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એટલું તો જરૂર વિચારિયે ।। ૭ ।। અંતરજામીની આગળે, નહિ ચાલે જૂઠ જરાય ।। એમ વિચારી આપણે, કસર ન રાખવી કાંય ।। ૮ ।। એહ વાત અનુપ છે, નક્કી સુખ થાવાની નિદાન ।। વણ સમઝે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન ।।૯।। માટે મોટા સંતને મળી, વળી ટાળવી સરવે ભૂલ્ય ।। નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ્ય ।।૧૦।। read more
0 Views : 104

ધીરજાખ્યાન કડવું:– ૪૦

જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજય કે’વાણા વિદેહજી વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય ।। ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય ।। ૨ ।। પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત ।। અમે ન સમજયા આ મર્મને, તમે સમઝાવો સાક્ષાત ।। ૩ ।। ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ ।। મળાય કેમ આ મુનિને, જયારે થઈ જાય તન નાશ ।। ૪ ।। એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન ।। પછી બેઠા સભા કરીને, પૂછ્યાં રૂડાં પ્રશન ।। ૫ ।। ત્યાં મિથિલાપુરી પરજળી, ધાયાં સહુ સહુને ઘેર લોક ।। જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શોક ।। ૬ ।। રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ ।। એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ ।। ૭ ।। અણ સમઝણે આપણું, સહુ માની રહ્યા મનમાંય ।। જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય ।। ૮ ।। એમ રાજયમાં રહી રાગ તજયો, એ છે લક્ષ લેવા જેવો ઘણો ।। તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો ।।૯।। ખાવા ખટરસ નરેશ સુતને, તોય ડોડાં દેખી ડગે દલ ।। નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ […] read more
0 Views : 111

ધીરજાખ્યાન પદ:– ૧૦

(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ. શીદને રહિયે કંગાલ રે સંતો જયારે મળ્યો મોટો મહા માલ રે સંતો પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે સંતો ।। ૧ ।। રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ; ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો ।। ૨ ।। તેમ ભકત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ; તે તો પામર નર જાણો પૂરા, હરિભકતની ધરી છે ઢાલ રે સંતો ।। ૩ ।। તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ સાલ નિષ્કુળાનંદ એ ભકત હરિના, બીજા બજારી બકાલ રે સંતો ;  ।। ૪ ।। read more
0 Views : 125
Powered By Indic IME