Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

ગઢડા મઘ્ય ૧૬ : સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરપાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્‍વરૂપનિષ્‍ઠા અને બીજી યુધિષ્‍ઠિરની પેઠે જે ધર્મનિષ્‍ઠા એ બે નિષ્‍ઠા છે, તેમાંથી જે સ્‍વરૂપનિષ્‍ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્‍ઠા મોળી પડી જાય છે, અને જે ધર્મનિષ્‍ઠાનું બળ રાખે તેને સ્‍વરૂપનિષ્‍ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,   પૃથ્‍વીનો ને ધર્મનો શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે સંવાદ છે તેમાં એમ કહ્યું છે જે, ‘સત્‍ય-શૌચાદિક જે કલ્‍યાણકારી એવા ઓગણચાળીસ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્‍વરૂપ છે.’ માટે સર્વેધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂં ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂતપુરાણીને પુછયું છે જે, ‘ ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતધર્ાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો ?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારૂં જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્‍ઠા રાખે તેને ભગવાનનું સ્‍વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે […] read more
0 Views : 257

ગઢડા મઘ્ય ૧૭ : ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું – સ્થિતપ્રજ્ઞનું

સંવત્ ૧૮૭૮ ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે ઓરડાની  ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાની આગળ મશાલ બે બળતી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને કીર્તન ગવાતાં હતાં. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન ગાવવાં રહેવા દ્યો, પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્‍યા જે, “ઘણું સારૂં મહારાજ.” પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનું સ્‍વરૂપ છે તેને કોઇક ભક્ત તો માયાનાં ચોવીશ તત્ત્વે સહિત સમજે છે અને કોઇક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્‍યમય ભગવાનનું સ્‍વરૂપ સમજે છે, એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી, અને ભગવાનનું સ્‍વરૂપ માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્‍યમય સમજે તેની સમજણ ઠીક છે.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “સાંખ્‍યવાળે ચોવીશ તત્ત્વ કહ્યાં છે તે સાંખ્‍યને મતે ત્રેવીશ તત્ત્વ ને ચોવીશમો ક્ષેત્રજ્ઞ જે જીવ ઇશ્વરરૂપ ચૈતન્‍ય છે, તે એ રીતે ચોવીશ તત્ત્વ કહ્યાં છે. કેમ જે, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞને તો અન્‍યોન્‍ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ. […] read more
0 Views : 245

ગઢડા મઘ્ય ૧૮ : નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું

સંવત્ ૧૮૭૮ ના માગસર વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઇ ઓઢી હતી, અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે, તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે તો ‘જેને પરમેશ્વરની ભકિત નહિ, અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્‍સલ છે, પતિતપાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહિ.’ તે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્‍તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઇ કાળે છુટકો થાય. તથા બાળહત્‍યા, ગૌહત્‍યા, સ્‍ત્રીહત્‍યા ઇત્‍યાદિક જે મોટાં પાપ તેના કરનારનો પણ કોઇ કાળે છુટકો થાય ખરો, પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઇ કાળે છુટકો થાય નહિ; શા માટે જે, એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઉધી છે. તેમાં નાસ્‍તિક તો એમ […] read more
0 Views : 244

ગઢડા મઘ્ય ૧૯ : શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું

સંવત્ ૧૮૭૮ ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્‍યા સમે પધાર્યા હતા. પછી ત્‍યાં આવીને ગાદી તકીયા ઉપર ઉદાસ થઇને બેઠા, તે કોઇને બોલાવે પણ નહિ અને કોઇ સામું જુએ પણ નહિ. અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તે છુટીને શિથિલ થઇ ગયો તેને પણ સંભાળે નહિ. એવી રીતે એક ઘડી સુધી અતિશે ઉદાસ થઇને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્‍યાં. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, “અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારૂં તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું, તે શ્રવણ માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઇ આવ્‍યો. કેમ જે, જે શુષ્કવેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઇ જાય છે, અને હૈયામાં સમભાવ આવી જાય છે, એટલે અન્‍ય દેવની પણ ઉપાસના થઇ જાય છે. અને તે શુષ્કવેદાંતિના વચનને જે સાંભળે તેની બુઘ્‍ધિ અતિશે ભ્રષ્‍ટ થઇ જાય છે.  અને અમે તો કાંઇક પ્રયોજન સારૂં શુષ્કવેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ધણો થાય છે.” એમ કહીને શ્રીજીમહારાજ સુધા ઉદાસ થઇ ગયા. પછી ઘણી વાર સુધી દીલગીર થઇને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોઇને એમ બોલ્‍યા જે, “ભગવદ્રીતા ઉપર જે રામાનુજભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સુતા હતા, પછી અમને સ્‍વપ્ન થયું જે, […] read more
0 Views : 193

ગઢડા મઘ્ય ૨૦ : સમાધિનિષ્ઠને જ્ઞાનશકિત ને ઈન્દ્રિયોની શકિત કેમ વૃદ્ધિ પામે છે ? તેનું

સંવત્ ૧૮૭૮ ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢીને તે ઉપર છીંટની રજાઇ ઓઢી હતી, ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, “આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલા ખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ર્ન પુછયો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! એ પ્રશ્ર્ન અમને સંભળાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સમાધિનિષ્ઠ પુરૂષ થાય છે તેને તો માયા થકી પર સ્‍થ્‍િાતિ થાય છે અને ભગવાનના સ્‍વરૂપનો પણ દઢ સંબંધ રહે છે, માટે એ સમાધિનિષ્‍ઠને તો જ્ઞાનશકિત તથા દેહ ઇન્‍દ્રિયોની શકિત તે વૃદ્ધિ પામી જોઇએ, શા માટે જે, માયા થકી જે ચોવીસ તત્ત્વ થયાં છે તે જડ ચૈતન્‍યરૂપ છે પણ એકલાં જડ ન કહેવાય. તેમ એેકલાં ચૈતન્‍ય પણ ન કહેવાય. અને તે તત્‍વમાં શકિત પણ સરખી ન કહેવાય. ઇન્‍દ્રિયો થકી અંત:કરણમાં જાણપણું વિશેષ છે. અને અંત:કરણ થકી ઇન્‍દ્રિયો અંત:કરણનો દ્રષ્‍ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્‍યારે ઇન્‍દ્રિયો […] read more
0 Views : 192

ગઢડા મઘ્ય ૨૧ : મુદ્દાનું

સંવત્ ૧૮૭૮ ના ફાગણ શુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી, તથા શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદસ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સુરત દઇને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્‍યાણને અર્થે વ્‍યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્‍યા. તે સર્વે શાસ્ત્રમાં એજ સિદ્ધાંત છે; અને જીવના કલ્‍યાણને અર્થે પણ એટલીજ વાત છે જે આ  સર્વે જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે, અને સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે તેણે કરીને કાંઇ કલ્‍યાણ થતું નથી, અને કેવળ વર્ણાશ્રમના ધર્મવતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્‍યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તાહર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્‍મ્‍ય જાણે છે, તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ, ઇત્‍યાદિક જે પરોક્ષ સાધુ તેનું માહાત્‍મ્‍ય જાણે છે તેવું જ પ્રત્‍યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્‍મ્‍ય […] read more
0 Views : 197

ગઢડા મઘ્ય ૨૨ : બે સેનાના નિશાનનું – નરનારાયણ પધરાવ્યાનું

સંવત્ ૧૮૭૮ ના ફાગણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ અર્ધરાત્રિ સમે જાગ્‍યા ને શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને તે સમે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્‍યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઇને બેઠી. ત્‍યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્‍યે બોલ્‍યા જે, “એક વાર્તા કરીએ તે સાંભળો જે, જેમ બે સેના હોય, ને તે પરસ્‍પર લડવાને તૈયાર થઇ હોય, ને બેયનાં નિશાન સામસામાં રોપયાં હોય, પછી બેયના મનમાં એમ હોય જે, ‘આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીયે, ને એનું નિશાન લઇ લઇએ.’ પણ એવો વિચાર નથી થતો જે, ‘એના નિશાન લગી જઇશું તેમાં તો કેટલાકનાં માથાં પડશે ને લોહીની નદી ચાલશે.’ તેને તો એનો ભય નથી. કાં જે, શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહિ અને જે કાયર છે તે તો ભાગ્‍યાના હજારો વિચાર કરે છે, અને એમ પણ વિચાર કરે છે જે, ‘આપણી ફોજ જીતશે તો કોઇકનું ધન હથિયાર હશે તે લુટી લઇશું’ અને તે બેય રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લુંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્‍પ છે. એ તો દષ્‍ટાંત છે. એનું સિદ્ધાંત તો એ […] read more
0 Views : 174

ગઢડા મઘ્ય ૨૩ : લૂક તથા હિમનું

સંવત્ ૧૮૭૮ના જ્યેષ્‍ઠ શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું. તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની જ કોઇક કિરણ છે પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે, જેમ ઉનાળામાં લુક હોય, તથા જેમ શિયાળામાં હિમ હોય, તેવું મનનું રૂપ દેખાયું . અને જેમ માણસના દેહમાં લુક પેસે તથા હિમ પેસે ત્‍યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્‍દ્રિયો દ્વારે થઇને જ્યારે વિષય સન્‍મુખ થાય છે ત્‍યારે તે વિષય જો દુ:ખદાયી હોય તો મન તપીને ઉનાળાની લુક જેવું થાય છે; અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુ:ખદાયી વિષયને ભોગવીને લુક સરખું ઉનું થઇને જીવના હૃદયમાં પેસે છે, ત્‍યારે જીવને અતિશે દુ:ખીયો કરીને કલ્‍યાણના માર્ગમાંથી પાડી નાખે છે, એ તે લુક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્‍યારે ટાઢું હિમ સરખું થઇને […] read more
0 Views : 152
Powered By Indic IME