Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભગવાન શ્રી સ્વામિનારાયણ
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ર૦૬

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ।।૨૦૬।। read more
0 Views : 1262

શિક્ષાપત્રી શ્લોક – ર૦૭

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા  સ્ત્રી પુરુષ તેમણે જાણવું. ।।૨૦૭।। read more
0 Views : 1253

શિક્ષાપત્રી શ્લોક – ર૦૮

અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું.।।૨૦૮।। read more
0 Views : 1243

શિક્ષાપત્રી શ્લોક – ર૦૯

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આશિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી. ।।૨૦૯।। read more
0 Views : 1238

શિક્ષાપત્રી શ્લોક – ર૧૦

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુકત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએે કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી. ।।૨૧૦।। read more
0 Views : 1243

શિક્ષાપત્રી શ્લોક – ર૧૧

સંવત્ ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહા સુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમેલખી છે તે પરમ કલ્યાણકારી છે. ।।૨૧૧।। read more
0 Views : 1290

શિક્ષાપત્રી શ્લોક – ર૧ર

નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભકતેરવનં વિધાતા। દાતા સુખાનાં મનસેપ્સિતાનાંતનોતુ કૃષ્ણોઽખિલમંગલં નઃ ।। અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભકિત તેની રક્ષાનાં કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાનતે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.।।૨૧૨।। ઇતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદમુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા ।। read more
0 Views : 1352

ગઢડા પ્રથમ – ૧: અખંડ વૃત્તિનું

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ – શ્રીગઢડા પ્રથમ પ્રકરણમ્ – નિજૈર્વચોડમૃતૈર્લોકેઅતર્પયદ્યો નિજાશ્રિતાન્ | પ્રીતો નઃ સર્વદા સોડસ્તુ શ્રીહરિર્ધર્મનન્દનઃ || ગઢડા પ્રથમ – ૧: અખંડ વૃત્તિનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થિને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન પુછયો જે “સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ?” ત્‍યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્‍થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “લ્‍યો અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્‍વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવી તેથી કોઇ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્‍વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્‍તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્‍ય છે, જેમ ચિંતામણી કોઇક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્‍ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડવૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્‍વરૂપને જો જોવાને ઇચ્‍છે, તો તત્‍કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ […] read more
2 Views : 1842
Powered By Indic IME