શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ – શ્રીગઢડા પ્રથમ પ્રકરણમ્ – નિજૈર્વચોડમૃતૈર્લોકેઅતર્પયદ્યો નિજાશ્રિતાન્ | પ્રીતો નઃ સર્વદા સોડસ્તુ શ્રીહરિર્ધર્મનન્દનઃ || ગઢડા પ્રથમ – ૧: અખંડ વૃત્તિનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થિને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન પુછયો જે “સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ?” ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે “લ્યો અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવી તેથી કોઇ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્ય છે, જેમ ચિંતામણી કોઇક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડવૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે, તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ […]
read more