Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચના પ્રકાર
Per Page :

ધીરજાખ્યાન પદ:– ૭

રાગ:-સિંધુ કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા.  કઠણ ।। ૧ ।। જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું.  કઠણ ।। ૨ ।। અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે; હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે.  કઠણ ।। ૩ ।। એમ દઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે; નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એ જ આવે.  કઠણ ।। ૪ ।। read more
0 Views : 123

ધીરજાખ્યાન કડવું:– ર૯

વળી કહું વાત એક અનુપજી, ભકત એક રત્નપુરીનો ભૂપજી નામ મયૂરધ્વજ સદાય સુખરૂપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભકત સત્યવાદી સઈ ।। ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ ।। ૨ ।। કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય ।। યજ્ઞશાળામાં આવિયા, જયાં બેઠા હતા નરેશ ।। ૩ ।। ત્યારે રાય ઊઠી ઊભા થયા, કર્યો દંડવત પ્રણામ ।। ભલે પધાર્યા પ્રભુ મારા, માગો કાંઈક મન અતિ અભિરામ ।। ૪ ।। ત્યારે બ્રાહ્મણ કહે ધન્યધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહિ ।। પણ મારે છે જે માગવું, તે તરત તને કે’વાય નહિ ।। ૫ ।। ત્યારે નરેશ કહે નિઃશંક થઈ, માગો મનવાંછિત શંકા તજી ।। રાજ સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન રજી ।। ૬ ।। ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી, હું પુત્ર પરણાવા ચાલિયો ।। આવ્યા આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિંહે ઝાલિયો ।। ૭ ।। એક જ પુત્રને એમ થયું, ગયું મારું કુળ સમૂળું સહિ ।। બૂઢાપણમાં બાળક બીજો, આવવાની આશા નહિ ।। ૮ ।। હરખ હૈયે નવ રહ્યો, ગયો આનંદ સર્વે ઊચળી ।। મારી ને મારા સુતની, વાઘ ન જાણે પીડા વળી ।।૯।। ત્યારે મેં કહ્યું મેલ્ય પુત્ર મારો, એને સાટે ખાઈ જા મુજને ।। ત્યારે વાઘ કહે નિષ્કુળાનંદનો, નાથ ભજય કહું તુજને […] read more
0 Views : 140

ધીરજાખ્યાન કડવું:– ૩૦

તેને મેં કરી બહુ બહુ વિનતિજી, પણ વાઘે ન માની મારી એક રતિજી મારે તો પડી ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ્ય શુભમતિજી શુભમતિ સાંભળ્ય સહિ, મૃગપતિ ન મૂકે મુખથી ।। બહુ દિને મળ્યો બાળક તારો, ઘણું પિડાણો હતો ભૂખથી ।। ૨ ।। એમ કરતાં હોય ઉગારવો, તો તું જાચ્ય જઈ ભૂપાળને ।। આપે અંગ જો અરધું, તો મેલું તારા બાળને ।। ૩ ।। ત્યારે વિપ્ર કે’ મેં કહ્યું વાઘને, એ વાત મુથી કેમ થાય ।। કદાપિ માગું હું અંગ એનું, પણ રાયે કેમ દેવાય ।। ૪ ।। અન્ન ધન આપે અવનિ, તે તો સત્યવાદીને છે સોયલું ।। પણ અંગ કાપીને જે આપવું, એથી બીજું શું દોયલું ।। ૫ ।। વણ માગ્યાનું જે માગવું, તેનો કરવો તપાસ ।। વે’રી આપે અંગ અધિપતિ, એવો આવે કેમ વિશ્વાસ ।। ૬ ।। ત્યારે વાઘ કહે એ વસમું નથી, અંગ આપશે જા તું અચિર ।। આગે અસ્થ દધીચિયે આપ્યાં, આપ્યું શિબિયે કાપી શરીર ।। ૭ ।। કર્ણે કવચ આપિયું, આપ્યું બળિયે ત્રિલોકીનું રાજ ।। સત્યવાદીને છે સોયલું, જઈ જાચો નહિ પાડે તે ના જ ।। ૮ ।। એમ કહી ઇયાં મોકલ્યો, તરત તમારે રાય પાસ ।। નથી મગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશ ।।૯।। ઉભય સંકટ આવિયાં, એક એક થકી […] read more
0 Views : 108

ધીરજાખ્યાન કડવું:– ૩૧

ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજયો તમે જરૂર મનજી જરૂર તમે જાણજયો, આપું ઉતાવળું આ દેહ ।। વિલંબ તેની નથી વળી, સાચું માનજયો નથી સંદેહ ।। ૨ ।। ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને ।। પુત્ર પ્રજાને પાળજો, મ ટાળજો હરિશું સનેહને ।। ૩ ।। પછી નરેશ નાહી તિલક કરી, ધરી કંઠમાં તુલસીદામ ।। મંગાવ્યું કરવત વે’રવા, ત્યારે ઊઠ્યું અકળાઈ ગામ ।। ૪ ।। હાલકલોલ શહેર સહુ થયું, રહ્યું નહીં ધારતાં ધીર ।। હાહાકાર હવો ઘણો, ભર્યા સહુએ નયનમાં નીર ।। ૫ ।। ત્યારે મોરુધ્વજ એમ કહે, હું સુત તમારો તમારું તન ।। આપો મને એ વિપ્રને, વળી કરો એને પ્રસન્ન ।। ૬ ।। ત્યારે રાણી કે’અર્ધ અંગ હું કા’વું, આપો રાય મને એ જાયે લઈ ।। પામે પુત્ર એ પોતા તણો, મને વાઘના મુખમાં દઈ ।। ૭ ।। કુંવર રાણીની વાણી સુણી, બોલ્યા દ્વિજ સેવકને સંગ ।। આ તો વાત વઘરે પડી, નહિ આપે રાય અધુર્ં અંગ ।। ૮ ।। મેલી લાલચ્ય ચાલો મારગે, જઈએ વેગે વાઘની પાસ ।। અસ્થ એનાં પરજાળિયે, જયારે ખાઈ જાય એનું માંસ ।।૯।। પડી વાત પંચાયતે, તે ન નીપજે નિરધાર ।। નિષ્કુળાનંદના નાથને, એવું ગમિયું આ વાર ।।૧૦।। read more
0 Views : 119

ધીરજાખ્યાન કડવું:– ૩૨

ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ ।। એવું લઈને આવજયે, આપ્યું હોય હરખે ભરેલ ।। ૨ ।। ત્યારે મહીપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો રાજી રળિયાત ।। આ અવસર અમૂલ્યમાં, રખે કોઈ બગાડો વાત ।। ૩ ।। માગે મોટા જે મગન થઈ, તેવી તક આવી મારે આજ ।। ધન્ય ધન્ય મારા દેહને, જે આવ્યું બ્રાહ્મણને કાજ ।। ૪ ।। લાવો કરવત કાકરી, આકરી કરી તેની ધાર ।। માથું ચીરીને માહરું, તરત પોં’ચે જઈ પાર ।। ૫ ।। પાછળ રે’જે તું પુત્ર મારા, સામી રે’જે વળી તું સુંદરી ।। વચ્ચેથી માંડો તમે વે’રવા, અતિશય હરખ હૈયે ભરી ।। ૬ ।। રાજી કરો ઋષિરાયને, કોઈ દિલ મ કરો દિલગીર ।। મારા દુઃખને દેખી કરી, રખે નયણે ભરો કોઈ નીર ।। ૭ ।। મારે નથી એવું મનમાં, જે અવળું થયું આ વાર ।। તમે શોક શીદને કરો, થાઓ વેગે વે’રવા તૈયાર ।। ૮ ।। એમ કહી ઊભા સ્થંભ બે મધ્યે, અતિ અતિ ઉતાવળા થાય ।। તેહ જોઈને જન બીજા, કરે છે ઊભાં ત્રાય ત્રાય ।।૯।। અસ્રકની છોળ્યું ઊડશે, રહેજયો છેટે સહુ નરનાર ।। નિષ્કુળાનંદનો નાથ જોતાં, કર્યું […] read more
0 Views : 110

ધીરજાખ્યાન પદ:– ૮

રાગ:-સિંધુ આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે; ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઊભા એક પગે.  આકરે ।। ૧ ।। છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી; દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી.  આકરે ।। ૨ ।। કરે કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા, તે વામ અંગે એહની વાત જાણી; એહ અંગ તેહ ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું આંખ્યમાંય પાણી.  આકરે ।। ૩ ।। તે જોઈ દ્વિજ બોલિયો ક્રોધ કરી, કલપીનું દાન હું ન લેઉં કદી; હડકી ફડકી ચડકી ચાલિયા, તેહને વાળિયા દીનતા વાણી વદી.  આકરે ।। ૪ ।। પછી આવીને પૂછ્યું એહ અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ; ત્યારે તે કહે અભાગ્ય શી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ.  આકરે ।। ૫ ।। એવું સુણી દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરુષોત્તમરૂપ રે; નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજ પાસથી ભૂપ રે.  આકરે ।। ૬ ।। read more
0 Views : 107

ધીરજાખ્યાન કડવું:– ૩૩

મયુરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ હૃદિયામાં રે’જોજી; વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીએ મ લેજોજી. લેશોમાં આવી પરીક્ષા કેની, તમે દયાળું દયાને ગ્રહી ।। એમ મયુરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારુ જાણો સહી ।। ૨ ।। ભલો ભલો એહ ભૂપતિ, જેની મતિ અતિ મોટી ઘણી ।। ભલી કરી એણે ભગતિ, એના જેવી જોઈએ આપણી ।। ૩ ।। સત્ય શ્રદ્ધા ધીરજપણું, જોઈએ એના જેવો વિવેક ।। ધર્મ પણ દઢ ધારવો, જોઈએ એના જેવી ગ્રહી ટેક ।। ૪ ।। ટેક એક હરિભકતને, નેક છેક સુધી છાંડવી નહિ ।। કરી વિવેક અતિ ઉરમાં, વળી એક રંગે રે’વું સહિ ।। ૫ ।। પળે પળે રંગ પલટે ચઢે, કૈ’યે નવલ કસુંબી કૈ’યે નીલનો ।। એક રે’ણી કે’ણી એક રીત નહિ, સ્વભાવ સમ સલિલનો ।। ૬ ।। પણ જે જે ભકત મોરે થયા, તે સર્વેની સુણીએ રીત ।। કસ્યા વિના કહો કોણ રહ્યા, સહુ ચિંતવી જુવો તમે ચિત્ત ।। ૭ ।। જેમ ઇક્ષુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે ।। ત્યાર પછી ચડે તાવડે, તેના ગોળ ખાંડ સાકર થાય છે ।। ૮ ।। તેમ કસ્યા વિના કોઈ વસ્તુ, ખરે ખપે નથી આવતી ।। એમ સમજી સંકટ સહો, તો ભલી ભજી જાયે ભગતિ ।।૯।। પોં’ચ્ય વિના પર્વતે […] read more
0 Views : 140

ધીરજાખ્યાન કડવું:– ૩૪

પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી, તેને એમ કરવું જેમ કર્યું ઋભુરાયજી પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરંભી તપ ઊભા એક પાયજી એક પગે ઊભા રહ્યા, અડગ મને અચળ થઈ ।। કર બેઉ ઊંચા કર્યા, શરીર પર ફેરવે નહિ ।। ૨ ।। ઇચ્છા મેલી અન્ન પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ ।। તજી આશા વળી તનની, જેમ તજી આવ્યા નિજરાજ ।। ૩ ।। શરીર સર્વે સૂકી ગયું, રહ્યું નહિ લોહી ને માંસ ।। અસ્થ રહ્યાં એક અંગમાં, રહ્યો શ્વાસ વણ વિશ્વાસ ।। ૪ ।। નાડી રહી સર્વે નીસરી, ઉઘાડી અંગથી બા’ર ।। ગળ્યું અંગ મળ્યું પેટ પૂઠે, તોય કરે છે નામ ઉચ્ચાર ।। ૫ ।। માથું ગૂંઠણ મોટા થયા, રહ્યું હૈયું બા’રું નીસરી ।। અજિન વળગ્યું અસ્થએ, થઈ કૃશ કાયા તપે કરી ।। ૬ ।। લાગે પવન અંગ લડથડે, વળી ડોલે છે તેણે દેહ ।। એવું અચેત અંગ થયું, તોય તપ ન તજે તેહ ।। ૭ ।। સૂકા કાષ્ઠ સમ ઊભા રહ્યા, અરણ્યમાં એકાએક ।। હાલે ચાલે નહિ ચરણે, એવી ગ્રહી આકરી ટેક ।। ૮ ।। રાજી કરવા રમાપતિ, અતિ આકરું તપ આદર્યું ।। ધરણી લાગી ધ્રુજવા, સ્વર્ગ કંપાયમાન કર્યું ।।૯।। એવું તપ જોઈ આકરું, સર્વે બીન્યા સુર અસુર ।। નિષ્કુળાનંદના નાથને કહી, લેશે આપણા સ્થાનક જરુર ।।૧૦।। read more
0 Views : 122
Powered By Indic IME