Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૦

છેલ્લા પ્રકરણના ત્રીસના વચનામતૃ માં કહ્યુંછે જે,‘આ ક્ષણમાંને આ પળમાં મરી જવાશે, એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે.’ એ વંચાવીને સ્વામી કહે જે, ‘એને શું કરવું છે? એ તો પોતાનું મિષ લઇને આપણને શીખવે છે, પણ કેટલાક તો જાણે છે જે, ભાઇ ! એ તો વાત મહારાજની.’ પછી એક જણે કહ્યું જે, ‘મહારાજને શું કરવું છે ? એટલું લઇએ તો લેવાય જે, સર્વના અંતરમાં રહીને જોઉં છું.’ તે પણ સ્વામી કહે,‘મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તે કેટલાકને કહી પણ દીધું છે;ને વળી કહે છે. પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતો મનાય.ને બીજા તો કહેશે,‘માન વધારવા સારુ કહે છે.’ ।।૨૫૦।। read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૧

આ પંચવિષયરૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે.મહારાજ કહે, ‘જો બધાય પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના, ખાંડના જે કહે તે વરસાવીએ; પણ જીવ માળા લઇને બેસી શકે નહિ.’ ।।૨૫૧।। read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પર

પછી વળી એક વાત કરી જે, ‘એકવાર એમ ધોરાજીને પાદર બેઠેલ, ત્યાં ખાતરના ઢગલા પડેલ. પછી એક ખૂંટિયો હતો તે ધોડી ધોડીને માંહી માથું ખોસીને બે સૂંડલા જેટલી ધૂળપોતાને માથે નાખે, એમ જીવ-પ્રાણીમાત્ર ધૂળ ચૂંથ્યા વિના રહી શકતા નથી.’ ।।૨૫૨।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૩

અને સાધુ થવું એટલે થઇ રહ્યું. તે થયો એટલે ભગવાનના ખોળામાં બેઠો. તે કહ્યું છે જે,‘સાધવો હૃદયં મમ’ ભગવાનને રહેવાનું ઠેકાણું સાધુ, આ તો હળદરનો ગાંઠિયો એક આવ્યો એટલે ગાંધી થઇ બેઠા તેણે શું ? ।।૨૫૩।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૪

પછી વળી લીલાની વાત કરી તેમાં કહ્યું જે, ‘મહારાજઆની ઉપર રાજી થયા, એમ પણ રાજી કહેવાય પણ એ જુદી રીતનું. ને જે સિદ્ધાંતનો રાજીપો તે તો પહેલા પ્રકરણના ઓગણીશના વચનામૃત પ્રમાણે, તે આજ્ઞા, ઉપાસના ને મૂર્તિમાં જોડાવું. તે આજ કરો કે લાખ જન્મે કરો, જયારે કરશો ત્યારે મહારાજ પાસે રહેવાશે ને મહારાજ પણ બીજી જે જે વાત કહે, તે પણ ત્યાં જાતી ઊભી રાખે, એ સિદ્ધાંત છે.’ ।।૨૫૪।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પપ

શ્રાવણ વદિ નવમીને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી જે, જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું, તે માણસ જાણે આફૂડું થાય, પણ આફૂડું તે કેમ થાય ? એ તો ભગવાનને સંભારે ને ભૂલે, વળી ધ્યાન કરે, વળી ભૂલીને સંભારે ને ભજન કરે, તો થાય. આ ‘ભણે તે ભૂલે,’ પણ હાથમાં જેણે મૂળગુંપાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે ?’ ।।૨૫૫।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૬

ત્યાં એક વેદિયે આવીને સ્વામીને રાખડી બાંધી, તે પછી વળી વાત કરી જે, ‘સગુણ-નિર્ગુણપણું હરિભકતને જાણ્યું જોઇએ, નીકર તો ગોથાં ખાય.’ તે ઉપર કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરને શેષશાયીરૂપે દર્શન દીધું. ને અર્જુનને વિશ્વરૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રીકૃષ્ણ પોતે,’એમ કહ્યું. ।।૨૫૬।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૭

અને પુરુષરૂપે પ્રકૃતિમાં આવ્યા, ત્યાંથી વૈરાટમાં આવ્યા. એમ પુરુષોત્તમનો પ્રવેશ થાતો ગયો. તે પ્રવેશ શું ? જે, પુરુષોત્તમ પોતે આવ્યા ત્યારે શું ધામમાં નહોતા ? ધામમાં પણ એમને એમ હતા. ને ઓલ્યું તો એના ઐશ્વર્ય વતે થાતું ગયું. એમ તો પેલા ગણેશને પ્રભુ કહે છે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે, ત્યારે એમાંથી કેને પ્રભુ માનવા ? ત્યારે એનું તો એમ છે જે, જીવની કોટિઓ ,બ્રહ્માની પણ કોટિઓ ને કોટિઓ છે, એમ સૌના કારણ તો મહારાજ પોતે; એમ સમજે ત્યારે મજકુર મળ્યું કહેવાય. ને અનંત કોટિ રામ, અનંત કોટિ કૃષ્ણ ને અનંત કોટિ અક્ષરમુકતએ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે, ત્યારે જ્ઞાન થઇ રહ્યું. ।।૨૫૭।। read more
0 Views : 108
Powered By Indic IME