Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૦

અને પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે, અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્‍ઠ છે. ૧૧૦ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૧

વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય ? એ પ્રશ્નનો ઉત્તર: જે મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. ૧૧૧ read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧ર

મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો: તેમાં વડતાલનું સોળમું વચનામૃત વંચાવીને બોલ્‍યાં જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શુ ? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભકતનો સંગ, એ બે જ રહસ્‍ય ને અભિપ્રાય છે. તે લઇને મંડે તો રાજી થાતાં કયાં વાર છે ? માટે રાજી કરવા હોય તેને મંડવું. ૧૧૨ read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૩

અને જ્ઞાની હોય તેને પણ ટાઢ, તડકો, ભૂખ, તરસ આદિક દેહના ભાવ સર્વે જણાય એ પણ સમજવું. ૧૧૩ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૪

અને પ્રિયવ્રતને છોકરાં થયાં પણ આત્‍મારામ ભગવત કહેવાણા, કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્‍યાગ ન કરતા હવા. તે જનકે કહ્યું જે ”મિથિલા નગરીમાં મારું કાંઇ બળતું નથી” પણ છોકરાં થયાં ને ગોવર્ધનભાઇને તો સાકર ને મીઠું એ બેય સરખાં પણ છોકરાં થયાં, માટે ભેળા રહે તો છોકરાં થાય. ૧૧૪ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧પ

ભગવાન અને મોટા સાધુને આશરે  કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. ૧૧૫ read more
0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૬

અને હૈયામાં જ્ઞાન ભર્યું છે, એ તો હજી બહાર કાઢયું નથી, કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે, ને એ જ્ઞાન તો બ્રહ્માના આયુષ્ય પર્યંત કરીએ, તો પણ તે ખૂટે નહિ, પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી. ૧૧૬. read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૭

ઇન્‍દ્રિયો અંત:કરણનાં દુ:ખ આવતાં હોય તેનું કેમ કરવું ? એ પ્રશ્નનો ઉત્તર : જે એ તો મોટા મોટાને પણ આવતાં, માટે તેનું સહન કરવું. એ તો સ્‍વાભાવ કહેવાય. ૧૧૭. read more
0 Views : 101
Powered By Indic IME