Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સારસિદ્ધિ કડવું:- ૩ર

જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર ।। જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ।। ર ।। કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત ।। પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત ।। ૩ ।। અર્કમણિ કે કહું ઇંદુમણિ, ઘણી ઉપમા દઉ અમૃતની ।। જે જે કહું તે જોખે ભર્યું, આપું ઉપમા કૈ પ્રતની ।। ૪ ।। જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ ।। રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ ।। પ ।। જેમ પંચાનનીપય રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ ।। એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ।। ૬ ।। જેમ જગજીવનના જળ જાણો, નથી રે’તું ખાંમા વિના ખમી ।। તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ।। ૭ ।। જેમ સુગંધી રહી છે શ્રીખંડ માંય, રહ્યો ઇક્ષુ માંહિ જેમ રસ ।। તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ ।। ૮ ।। જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ ।। તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ।। ૯ ।। એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ ।। નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય […] read more
0 Views : 123

સારસિદ્ધિ પદ:- ૮

(રાગ:-ગરબી) ‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કેદિયે કામ રે; જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગઉદકે આરામ રે. . .સુખ ચંદનની વાસે રે અલિ અલમસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે; ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહિ રે, જેને પ્રીત પુરીષશું ભરપૂર રે. ..સુખ ।। ર ।। કુમુદિની કેદી રે ન પામે સુખ સૂરથી રે, ચકવા કે દી ચંદ્ર ન ચા’ય રે; ઘણું અજવાળું રે ઘુડને ગમે નહિ રે, કોચવાઈ ગરે તે કોતરમાંય રે.. .સુખ ।। ૩ ।। એમ સંત અસંતની રે જાણો રુચિ જૂજવી રે, સંત ભજે તજે તેને અસંત રે; નિષ્કુળાનંદ રે નકી એ વારતા રે, સમજી લેવું એવું સિદ્ધાંત રે…સુખ ।। ૪ ।। read more
0 Views : 129

સારસિદ્ધિ કડવું:- ૩૩

સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી સુખરૂપ સમજીને ઉરમાંયે આણીજી, એવા સંતની કહું એધાંણીજી એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ।। કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ।। ર ।। જકતનાં સુખ જોઈને, જેને અંતરે થયાં છે અળખામણાં ।। રૂડાં જાણી નથી રીઝતા, છે અવલ પણ ઇંદ્રામણાં ।। ૩ ।। તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું ।। જેમ ચિરોડી ચુનાની ચપટિયે, ગયું ભૂખ દુઃખ તે કિયાતણું ।। ૪ ।। જેમ શોખે રાખે કોઈ સિંહને, પાળતાં પૂરણ પાપ છે ।। એમ ભવ સુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ।। પ ।। એવું થયું છે અળખામણું, હરિ વિના બીજું હરામ ।। મુકત આદિ નથી માગતા, એવા સંત છે નિષ્કામ ।। ૬ ।। વૈરાગ્યે ચિત્ત વાસિત છે, ભકત ભાવે ભર્યું છે ભીતર ।। ધર્મમાં પણ દઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ।। ૭ ।। શુભ ગુણ કૈ’યે જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં ।। તેણે કરી જન તને મને, સૂધા વરતે છે સુરમાં ।। ૮ ।। તેની દષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી ।। જોઈ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ।। ૯ ।। તેશું મન મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય […] read more
0 Views : 117

સારસિદ્ધિ કડવું:- ૩૪

સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની ।। રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની ।। ર ।। એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું ।। એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું ।। ૩ ।। એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર નવીન ।। એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન ।। ૪ ।। એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ ।। એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ ।। પ ।। એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું ।। એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું ।। ૬ ।। એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ ।। એક ઇચ્છે છે અલપ સુખને, એકને અલપ સુખ છે આગ ।। ૭ ।। એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ ।। એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।। ૮ ।। એમ ભકત અભકતના ભાવને, જુદા જાણજો જરૂર ।। એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશંુ હજુર ।। ૯ ।। એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ […] read more
0 Views : 104

સારસિદ્ધિ કડવું:- ૩પ

અતોળ રોળ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાતદિન ગાય દેહસુખની ગાથજી તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા કરવી છે શરીરની ।। તેને ભાવે નહિ બીજું ભીતરે, મર વાત હોય સુખશિરની ।। ર ।। દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો ।। જરાય ન કરે જીવ અરથે, તેને ઉપદેશ આપવો શિયો ।। ૩ ।। શરીર સારુ સાચવી રાખે, સર્વે સુખતણો તે સમાજ ।। પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી દિયે તાજ ।। ૪ ।। અન્ન અંબર સુંદર જોઈ, સારાં જાણી રાખે સાચવી ।। કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી ।। પ ।। તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત ।। એ ત્યાગી નથી છે વેષ ત્યાગીનો, તેની પડે શી પ્રતીત ।। ૬ ।। ગોળ તજી ખાય છે ખોળને, તૂપ તજી ખાય છે તેલ ।। તે પણ કો’યલ કણઝીતણું, ભૂંડી ગંધે દુઃખનું ભરેલ ।। ૭ ।। એવાં સુખ શરીરનાં, લેવા સારુ વિસાર્યા નાથ ।। તેને સંગે વૈરાગ્યવંત સંત, કેમ કરી રહી શકે સાથ ।। ૮ ।। ભ્રમર ગીંગો ભેળા થયા, આશય અન્યોઅન્યનો અળગો ।। ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબરવાડે વળગો ।। ૯ ।। એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા […] read more
0 Views : 122

સારસિદ્ધિ કડવું:- ૩૬

કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ।। જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।। ર ।। જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ।। તેને જાણે છે જે યોષિતા, એ વાત બંધ કેમ બેસશે ।। ૩ ।। વૈરાગ્યહીન ભકતહીન, અને ધર્મ તો ધરથી નથી ।। તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ।। ૪ ।। ઝાઝું કે’તાં જોખો ઊપજે, તેને કે’વું તે કળે કળે ।। સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ।। પ ।। જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ।। તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ।। ૬ ।। જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ।। તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।। ૭ ।। જેમ સાવજનું સાધુપણું, મર્કટ મુખે લીધા લગે ।। તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ।। ૮ ।। એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ।। જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ।। ૯ ।। ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ।। નિષ્કુળાનંદ કહે નથી […] read more
0 Views : 112

સારસિદ્ધિ પદ:- ૯

(રાગ:-ધોળ)સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત; દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત..સંત ।। ૧ ।। જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ; અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા કવાથ. . સંત ।। ર ।। જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું અંગ; તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ. . સંત ।। ૩ ।। જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ; નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ. . સંત ।। ૪ ।। read more
0 Views : 133

સારસિદ્ધિ કડવું:- ૩૭

નિર્વાણ પદમાં પોં’ચાડે સંતજી, જે કોઈ દિલના દયાળુ અત્યંતજી જેને એક ઉર રહિયા ભગવંતજી, તેણે કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી શુભ બુદ્ધિવાળા સંત જેહ, તેહ સહુના સુખદાય છે ।। તેથી દુઃખ ન ઊપજે, જે સુરતરુ સમ કે‘વાય છે ।। ર ।। જેમ વિટપ બહુ પરમારથી, પરમારથી પાથ ને પૃથવી ।। ઘન પવન પરમારથી, તેમ પરમારથી રાકેશ રવિ ।। ૩ ।। જેમ તરુ સુખદાયી તેહથી, ફૂલ ફળ દળ શાખા મળે ।। વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે ।। ૪ ।। જેમ જળ મળ હરે જનના, વળી પાન કર્યે હરે પ્યાસ ।। તેમ સંત સુખ સહુને કરે, વળી હરે તન મન ત્રાસ ।। પ ।। જેમ ભૂમિ પરમારથી ભણિયે, ઠામ ધામ ધાતુ આવે કામ ।। તેમ સંત પરમારથી સમજો, સર્વે પ્રાણીના છે સુખધામ ।। ૬ ।। જેમ મેઘ જિવાડે છે મેદિની, જેમ અર્ક કરે છે ઉજાસ ।। જેમ શશી કરે છે શીતળતા, તેમ સંત સહુના સુખનિવાસ ।। ૭ ।। જેમ પંચ ભૂતના પદાર્થથી, સર્વે સુખી રહે છે સંસાર ।। તેમ સંત અલૌકિક સુખના, જાણી લિયો જરૂર આપનાર ।। ૮ ।। સાચા સંતથી સરી ગયાં, કૈક જીવોનાં કાજ ।। એવા સંતને સેવવા, અવસર આવિયો છે આજ ।। ૯ ।। જો મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત ।। […] read more
0 Views : 111
Powered By Indic IME