સંવત્ ૧૮૮૦ના ચૈત્ર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “કોઇક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશય સુખ થાય છે, અને કોઇક સમામાં સુષુપ્તિમાં જાય છે, તો પણ ઉદ્વેગ મટતો નથી તેનું શું કારણ છે ?” એ પ્રશ્ર્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્ર્નનું સમાધાન કરવા માંડયું, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “એતો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે. માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઇ જીવ સુખીયો રહે નહિ, અને જ્યારે આત્મસત્તારૂપે રહે ત્યારે જ સુખી રહે છે.” પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “આત્મસત્તારૂપે રહે તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શિવ, બ્રહ્મા જેવા કોઇ સમર્થ કહેવાય નહિ, એ તો નારદ જેવાના પણ ગુરૂ છે, અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે, તોપણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ઘ્યાન એ આઠ જો ભૂંડા થયા, તો તેને યોગે […]
read more