Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬

શિવજી મોહિની  સ્‍વરુપમાં મોહ પામીને વ્‍યાકુળ થઈ ગયા, તે પછી અંતરમાં જોયું ત્‍યારે જાણ્‍યું જે ‘મારા સ્‍વામીની માયામાં હું મોહ પામું એમાં શું ?’ એમ વિચાર કર્યો ત્‍યારે અંતરમાં શાંતિ થઇ ગઇ, માટે દેશકાળ તો લાગે ખરો, પણ જ્ઞાને કરીને તેનું દુ:ખ મટે.  ૧૬ read more
0 Views : 208

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭

ભગવાને તો કહ્યું છે: જે ‘જેવો હું સત્સં ગે કરીને વશ થાઉ છું, એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થાતો નથી’ તે સત્સં’ગ શુ ? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. ૧૭ read more
0 Views : 186

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮

જીવ તો બહુ બળિયો છે, તે સાવજના દેહમાં આવે ત્‍યારે કેવું બળ હોય ? ને એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્‍યારે ગરીબ થઇ જાય છે. ૧૮ read more
0 Views : 217

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯

કરોડો રુપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ, ને કરોડો રુપિયા દેતાં પણ આ વાતું મળે નહિ, ને કરોડો રુપિયા આપતા પણ મનુષ્યદેહ મળે નહિ, ને આપણે પણ કરોડો જન્‍મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્‍યો નથી નીકર શું કરવા દેહ ધરવો પડે ?  ૧૯ read more
0 Views : 190

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૦

મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે. ને વૈરાગ્‍ય તે તો વિષય સાથે વૈર કરાવે, પણ ભગવાનનું કામ ન કરે, ને આત્‍મનિષ્‍ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે, પણ ભગવાનનું કામ ન કરે. ને ધર્મ છે તેણે કરીને સુખી રહે, પણ ભગવાનનું કામ ન કરે, માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો.  ૨૦ read more
0 Views : 180

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૧

આ તો ભગવાને સહુનું સામર્થ્ય ઢાંકી રાખ્‍યું છે, નીકર તો શાપ દઇને બાળી મૂકે, નીકર ગાંડા થઇને કયાંઇના કયાંઇ ચલ્‍યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આતે કોઇનું ચાલવા દેતા નથી. ૨૧ read more
0 Views : 163

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- રર

ભગવાન તો પોતાના ભકતની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે ? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે, ને હાથ ડોકની રક્ષા કરે છે, ને માવતર છોકરાંની રક્ષા કરે છે, ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. ૨૨ read more
0 Views : 167

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૩

ભગવાન છે તે કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે ઝાઝું ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. ૨૩ read more
0 Views : 160
Powered By Indic IME