Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧ર

મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને  ઠેકાણે છે.તે સૂર્ય હોય તો નેત્રે દેખાય, ને ગમે એવા સંસ્કાર હોય તોપણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય તો સંસ્કાર ન હોય તોપણ થાય. માટે ક્રિયમાણ  બળવાન છે. ।।૧૧૨।। read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૩

અને સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહિ, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકર ચોંટી જવાય. ।।૧૧૩।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૪

અને વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને તે સંબંધ થઇ જાય તો ત્યાં સિંહ થાવું . ।।૧૧૪।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧પ

અને જીવનો સ્વભાવ બદ્ધ છે, તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય, પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય, આસનમાં બંધાય ને જયાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય; ને નાતજાતમાં બંધાય, એવા અનતં ઠેકાણાં બંધાવાનાં છે. તે સારુ તો ટોપીવાળો કોઇને એક ઠેકાણે રહેવા દેતો નથી. ।।૧૧૫।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૬

અને વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું, પણ આસકત ન થાવું. ।।૧૧૬।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૭

અને આ બ્રહ્માંડના સર્વ જીવને ખવરાવવું તે કરતાં એક ભગવદીયને જમાડવો એ અધિક છે. ।।૧૧૭।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૮

અને ખટરસમાં રહ્યાં ને જલેબીમાં ગયા. તે શું ? જે, ટાઢી અગ્નિ એવા વિષય ભૂંડાં છે. ।।૧૧૮।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૯

અને મહારાજ કહેતા જે, “હરિભકત કોઇ રીતે સુખિયા થાતા નથી; તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થાતા નથી ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે, શું દર્શને જઇએ ? માટે બેય વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારુ ચાર ઉપાય કરીએ છીએ. તે ‘સામ’ જે વાતું કરીએ છીએ ને ‘દામ’ જે ભગવાન આપીએ છીએ, ને ‘ભેદ’ જે સર્વે ખોટું કહીએ છીએ, ને ‘દંડ’ જે જમપુરીનાં દુઃખ દેખાડીએ છઈએ, એમ કરીએ છીએ” ।।૧૧૯।। read more
0 Views : 100
Powered By Indic IME