Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૪

દામોદરે નથુભટ્ટને શ્રીજીમહારાજના નિશ્ચયની વાત કરીજે,‘શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદસ્વામી તે પણ ઉદ્ધવનો અવતાર છે.’ તે વાત સાંભળીને તેનથુભટ્ટ અતિશે આકળા થઇ ગયા. પછી તે બે જણ વરતાલેશ્રીજીમહારાજ પાસે આવ્યા. ને કહ્યું જે, ‘હે મહારાજ ! આદામોદર રામાનંદસ્વામીને ઉદ્ધવ કેમ કહે છે ?’ પછી શ્રીજી-મહારાજ બોલ્યા જે, “તમે રામાનંદસ્વામીનું ધ્યાન કરો, એટલેજેમ છે તેમ તમને જણાશે.”પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા, એટલે તેમને તરત સમાધિથઇ. તે સમાધિને વિષે અનંત મુકત, અનંત અવતાર, અનંતઐશ્વર્ય ને રામાનંદસ્વામી તેમણે સહિત અક્ષરધામને વિષેપોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અનેરામાનંદસ્વામી પોતાની સેવામાં દેખાડ્યા; ને પોતાનો સર્વોપરીનિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યાત્યારે તે નથુભટ્ટ ઊઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત્ કરીને પછીબોલ્યા જે,‘હે મહારાજ ! મને તો આ દામોદરે તમારા સ્વરૂપનાનિશ્ચયની વાત કરી ન હોત, તો મારા કલ્યાણમાં બહુ જ ફેરરહેત; તે માટે હવેથી કોઇ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસરરહે નહિ એવી કૃપા કરીને વાત કરો.’પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમે તો અક્ષરધામ થકીઅગણિત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા ને અમારું જેઅક્ષરધામ ને અનંતકોટિ પાર્ષદ ને બીજા ધામના ઇશ્વર તેણેસહિત પધાર્યા છઈએ.’ તેવી રીતે શ્રીજીમહારાજે નથુભટ્ટનેપોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. ।।૧૪।। read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧પ

ગઢડામાં શ્રીજીમહારાજે એક ભકતને કહ્યું જે, ‘તમેઅક્ષરધામમાં જઇ આવો.’ ત્યારે તે ભકત સમાધિ કરીને પ્રથમબદરિકાશ્રમમાં ગયો; ત્યાં આપણા સાધુ, પાળા, બ્રહ્મચારી,હરિભકત તેને દીઠા. ત્યારે તેને પૂછ્યું જે, ‘શ્રીજીમહારાજ કયાંછે ?’ ત્યારે એ સર્વ બોલ્યા જે, ‘આ નરનારાયણ છે તે જ મહારાજછે.’ ત્યારે હરિભકતે કહ્યું જે,‘હું મહારાજને ઓળખું છું. ’ પછીત્યાંથી દશર્ન કરીને શ્વેતદ્વીપમાં ગયો; ત્યાં પણ આપણા સાધુબ્રહ્મચારી હતા. તેને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ કયાં છે ?’ ત્યારેતે બોલ્યા જે, ‘આ વાસુદેવ છે તે જ મહારાજ છે.’ ત્યારે તેણેકહ્યું જે, ‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી વૈકુંઠમાં ગયો;ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા; ત્યારે તેને કહ્યુંજે,‘શ્રીજીમહારાજ કયાં છે ?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘આલક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે ?’ ત્યારે તેમણે કહ્યું જે,‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી તે ભકત ગોલોકમાંગયો; ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમનેપૂછ્યું જે,‘મહારાજ કયાં છે ?’ ત્યારે તે બોલ્યા જે, ‘આ શ્રીકૃષ્ણછે તે જ મહારાજ છે.’ ત્યારે તેણે કહ્યું જે, ‘મહારાજને હું ઓળખુંછું. માટે આ શ્રીજીમહારાજ નહિ.’ ત્યારપછી તે ભકતઅક્ષરધામમાં ગયો, ને ત્યાં અનતં કોટિ મુક્ત તેમણે સેવ્યા એવાજે શ્રીજીમહારાજ તમે ને દીઠા, ને ત્યાં આપણા સાધુ, બ્રહ્મચારી,પાળા, સત્સંગી તે સર્વેને શ્રીજી-મહારાજની સેવામાં દીઠા.ત્યારપછી તે ભકતને શ્રીજીમહારાજે પૂછ્યું જે,‘કયા કયાધામ જોતા આવ્યા ?’ ત્યારે તે ભકતે કહ્યું જે, ‘હે મહારાજ !આપણા […] read more
0 Views : 185

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૬

જેતલપુરના મહોલમાં મુકતાનંદસ્વામી આદિક પરમહંસનેશ્રીજીમહારાજે પૂછ્યું જે,‘અમે જે જે ધામમાં જઇએ છઈએ તેતે ધામમાં તમારાં વખાણ થાય છે ને જે જે શાસ્ત્ર સાંભળીએછઈએ તે તે શાસ્ત્રમાં પણ તમારાં વખાણ થાય છે, તે તમારામાંએવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારાં વખાણ કરે છે ?’એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તૂંબડી ફૂટી જાય, તોતમને સાજી કરતાં આવડે ?’ ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યુંજે,‘ના મહારાજ.’ પછી મહારાજે કહ્યું જે,‘તમે તમારી મોટપનેજાણતા નથી.’એમ કહીને બોલ્યા જે, લ્યો અમે તમારી મોટપને કહીએછઈએ જે,”આ પચાસ કોટિ યોજન પૃથ્વી છે, તેથી દસગણુંજળ છે, તેથી દસગણું તેજ છે, તેથી દસગણો વાયુ છે, તેથીદસગણો આકાશ છે, તેથી દસગણો અહંકાર છે, તેથી દસગણુંમહત્તત્ત્વ છે, તેથી અનંતગણી પ્રકૃતિ ને પુરુષ છે ને તેથીઅનંતગણું અક્ષરધામ છે. તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળોપડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે,ત્યારે રજ ભેળો રજ થઇ જાય, એટલે છેટે અક્ષરધામ છે; પણજો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે, ‘આજીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય’ તો તત્કાળજાય ! એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જતરડામાં ઘાલીનેપાણો ફગાવી નાખે, તેમ તમે પણ જે જીવને આંહીંથીઅક્ષરધામમાં ફગાવો, તેને ત્યાં જાતાં વચમાં કાળ, માયાદિકકોઇ આડું આવી શકે નહીં, એવું તમારા કાંડામાં બળ છે. પણતમે તમારી મોટપને જાણતા નથી.વળી, તમ જેવા જે સંત તેને કોઇ […] read more
0 Views : 197

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૭

ગઢડામાં શ્રીજીમહારાજે આનદં સ્વામી તથા મુક્તાનદં સ્વામીતથા સ્વરૂપાનંદસ્વામીને પૂછ્યું જે,‘અમે તમને જે જે આજ્ઞાકરીએ; જે આ પ્રવૃત્તિની ક્રિયા છે તેને તમે કરો, ત્યારે તે ક્રિયાતમે કેમ કરો ?’ ત્યારે પ્રથમ આનંદસ્વામીએ કહ્યું જે,‘જેમ તમેકહો તેમ કરીએ.’ પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે,‘હું તો ક્રિયાકરવા સારુ હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢી હોય તો તેવૃત્તિ હાથ પાછી વાળું ત્યારે સુખ થાય .’ પછી સ્વરૂપાનંદસ્વામીએ કહ્યું જે,‘હું તો જે જે ક્રિયા કરવા જાઉં તે તે ક્રિયાદેખાય નહિ ને એક તમારી મૂર્તિ જ દેખાય.’ પછી મહારાજેસ્વરૂપાનંદસ્વામીને કહ્યું જે,‘પદાર્થ દેખાય નહિ ને એક મૂર્તિજ દેખાય તે વાત સમજયામાં આવતી નથી.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘જેમ તીરની અણીએ લીંબુ ખોસ્યું હોય, તેતીરને જેમની કોર કરીએ તેમની કોર અણીમાં લીંબુ દેખાયછે; તેમ વૃત્તિમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે વૃત્તિ જેમનીકોર કરીએ તેમની કોર ભગવાનની મૂર્તિ દેખાય છે.’ ત્યારપછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘ત્રણેના અંગ જુદા જુદા છે, માટેઆનંદસ્વામીએ મુકતાનંદસ્વામીનો સમાગમ કરવો. અનેમુકતાનંદસ્વામીએ સ્વરૂપાનંદસ્વામીનો સમાગમ કરવો.’ એમસમાગમ કરે, તો એકબીજાની કસર ટળે, એમ ઉત્તમ, મધ્યમને કનિષ્ઠ મુકતમાં ભેદ છે. ।।૧૭।। read more
0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૮

એક સમે ગઢડામાં બ્રહ્માનંદસ્વામી દેશમાંથી ફરીને આવ્યાત્યારે તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે,‘દેશમાં સત્સંગ કેવો થયોછે ?’ ત્યારે બ્રહ્માનદં સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! સત્સંગ તોબહુ થયો છે.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,‘તમે સત્સંગી કેવાથયા છો ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘અમે તો તમારાખરેખરા સત્સંગી થયા છીએ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો; ને જો ખરેખરાસત્સંગી થયા હો તો કહો જે, એમ કયાં હતા ને ત્યાં અમોશું કરતા તે વાત કહો ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘હેમહારાજ ! એવા સત્સંગી તો અમે નથી થયા.’ ત્યાર પછીશ્રીજીમહારાજ બોલ્યા જે,‘એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઇતથા ગોવરધનભાઇ આદિક હરિભકત છે, તે તો અમારી મૂર્તિનેત્રણે અવસ્થામાં દેખે છે.’પછી મુક્તાનદં સ્વામી બોલ્યા જે,‘હે મહારાજ ! એવાસત્સંગી કેમ થવાય ?’ પછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘પુરુષપ્રયત્નેકરીને જો માયિક ભાવને ટાળીને, અક્ષરરૂપ પોતાના આત્માનેમાનીને, મારી મૂર્તિનું ચિંતવન કરો તો એવા સત્સંગી થવાય.’ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘હે મહારાજ ! કૃપા કરો તોએવા સત્સંગી થવાય.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘જુઓને,આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિષે અણું જેટલું જણાય છે,માટે તે બ્રહ્માંડ અક્ષરની આગળ ગણતીમાં નથી. એવાઅનંતકોટિ બ્રહ્માંડ તે જેના એક રોમના છિદ્રને વિષે ઊડતાં ફરેછે, એવું મહત્પણું અક્ષરને વિષે છે; ને હું તો એ થકી પરછું; ને એવા જે અમે તે અક્ષરધામમાંથી આંહીં આવ્યા; તે વચ્ચેપ્રકૃતિપુરુષના લોકમાં ન રહ્યા તથા પ્રધાનપુરુષના લોકમાં નરહ્યા […] read more
0 Views : 168

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૧૯

વડતાલે આંબા હેઠે પરમહંસે સહિત શ્રીજીમહારાજ સભાકરીને વિરાજમાન હતા ને સર્વે પરમહંસ શ્રીજીમહારાજનાચરણકમળ સામું ચકોર પક્ષીની પેઠે જોઇ રહ્યા હતા. પછી ચારપાટીદાર શ્રીજીમહારાજ પાસે આવ્યા ને ત્યારપછી શ્રીજીમહારાજેચરણારવિંદ લાંબાં કર્યા, તે ચરણારવિંદ સામું જોઇને તે બોલ્યાજે,‘હે મહારાજ ! તમારાં ચરણારવિંદ સામું જોઇએ છઈએ ત્યારેતો તમે પુરુષોત્તમ ભગવાન જણાઓ છો, ને તમારા શરીરસામું જોઇએ છીએ ત્યારે તો તમે મનુષ્ય જેવા જણાઓ છો,ને અમોએ ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરેતમ સામું સર્વે મનુષ્ય જોઇ રહ્યા છે, તેમ કોઇ ઠેકાણે આવીમનુષ્યની સભા અમોએ દીઠી નથી. માટે અમોને આ વાત જેમસમજાય તેમ કૃપા કરીને કહો.’ ત્યારપછી શ્રીજીમહારાજે કહ્યુંજે,‘વૈરાટબ્રહ્મા છે તેણે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવે તેનેઅર્થે પોતાનાં પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી, ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યાં છે, પણતમે તો હવે સૂઝે એમ સમજો… ને વળી હું અક્ષરધામમાંથીસદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે સંત છે તે સૂર્યમુખીકમળ ખીલ્યાં છે, તે સર્વે મારા મુખકમળ સામું જોઇ રહ્યાછે.’ એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમપણાની બહુવાત કરી, તેને સાંભળીને તેમને શ્રીજીમહારાજના સ્વરૂપનોનિશ્ચય થયો. ।।૧૯।। read more
0 Views : 149

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૦

ભાદર નદીને કાંઠે આત્માનંદસ્વામીએ શ્રીજીમહારાજનેકહ્યું જે,‘હે મહારાજ ! સત્સંગ તો બહુ થયો.’ ત્યારે શ્રીજી-મહારાજે કહ્યું જે,‘હજી સત્સંગ કયાં થયો છે ?’ એમ કહીનેબોલ્યા જે,‘એક એક એકાંતિક સાધુ વાંસે લાખ લાખ મનુષ્યફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો અને વળી બ્રહ્માંડ આખાનાજીવ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરશે ત્યારેસત્સંગ થયો એમ જાણવું.’ એમ કહીને વળી બોલ્યા જે,‘કરોડવહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવારોભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારુ અમેઅક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત આંહીં પધાર્યા છઈએત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય ? પછી અમે વિચારકર્યો જે, જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય, પછીવળી અમે વિચાર કર્યો જે, અમારાં દર્શન પણ કેટલાક જીવનેથાશે ? માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણલે તેનું પણ કલ્યાણ થાય; પછી વળી વિચાર કર્યો જે, અમારાસાધુનાં પણ દર્શન કેટલાક જીવને થાશે ? માટે અમારા સત્સંગીનાદર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાયતથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે એ સર્વેનુંઅમારે કલ્યાણ કરવું છે. એવી રીતે સો કરોડ મનવારો લાવ્યાછઈએ તે ભરવી છે; પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદછે તે દષ્ટાંતે કરીને કહીએ છઈએ.તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણિઓ ભરશું, પછીપારસમણિઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછીસોનામહોરો, પછી રાળ , પછી રૂપિયા, પછી કોરીઓ ને પછીબીજા પદાર્થ ભરશું; ને તેમ […] read more
0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ર૧

વરતાલે ઉગમણા બંગલાને વિષે શ્રીજીમહારાજને ઝવેરભકતે પૂછ્યું જે,‘હે મહારાજ ! અક્ષરધામને વિષે ભગવાનનીમૂર્તિ કેવી હશે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”આ પ્રત્યક્ષઅમે બેઠા છઈએ તેવી જ અક્ષરધામને વિષે ભગવાનની મૂર્તિછે.” ત્યારપછી તે ભકતે ફરીને પૂછ્યું જે,‘હે મહારાજ ! કૃપાકરીને જેવી અક્ષરધામને વિષે મૂર્તિ છે તેવી દેખાડો.’ ત્યારેતે ભકતને શ્રીજીમહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિષેપોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું, ને અનંતકોટિ મુકતતથા અનંત ઐશ્વર્ય તથા અનંત શકિતઓ તેનું દર્શન કરાવીનેપોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવીરીતે શ્રીજીમહારાજે ઝવેરભકતને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. ।।૨૧।। read more
0 Views : 147
Powered By Indic IME