Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પપ

દોહા – અમલ ભર્યાં સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ । દેહ તજાવી દાસને, આપેછે અક્ષર વાસ ।।૧।। નર નારી નિઃશંક થયાં, ભાગી બેઠા સહુ ભય । શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યાં નિરભય ।।૨।। સહુને ઊપર શ્રીહરિ, શકો બેસાર્યો સુંદર । ભકિત કરાવી આ ભવમાં, તાર્યા  કંઈક નારી નર ।।૩।। નૌતમ રીતને નાથજી, પ્રગટાવી પૃથવી માંય । સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય ।।૪।। રાગ ધોળ: વધામણાનું આનંદ આપ્યો અતિઘણોરે, આ સમામાં અલબેલ; પુરૂષોત્તમ પ્રગટીરે અમૃતના સધુ ઊલટ્યારે, રંગડાની વાળી છે રેલ; પુરૂષોત્તમ. ।।૫।। નિર્ભયની નોબત્યો વાગિયોરે, મળીયા મોહનરાય; પુરૂષોત્તમ. । વિધવિધ થયાં વધામણાંરે, કસર ન રહી કાંય; પુરૂષોત્તમ. ।।૬।। ખોટ્ય ગઈછે ખોવાઈનેરે, જિત્યનાં જાંગિર ઢોલ; પુરૂષોત્તમ. । દુઃખ ગયું બહુ દનનુંરે, આવિયું સુખ અતોલ; પુરૂષોત્તમ. ।।૭।। કળશ ચઢાવ્યો કલ્યાણનોરે, સહુના મસ્તક પર મોડ; પુરૂષોત્તમ. । ધન્ય ધન્ય આ અવતારનેરે, જોવા રાખી નહી જોડ; પુરૂષોત્તમ. ।।૮।। સહુને પાર સહુ ઊપરેરે, એવી ચલાવી છે રીત; પુરૂષોત્તમ. । નો’તી દિઠી નો’તી સાંભળીરે, પ્રગટાવી એવી પુનિત; પુરૂષોત્તમ. ।।૯।। સર્વના સ્વામી જે શ્રીહરિરે, સર્વના કાવિયા શ્યામ; પુરૂષોત્તમ. । સર્વેના નિયંતા નાથજીરે, સર્વેનાં કરિયાં કામ; પુરૂષોત્તમ. ।।૧૦।। સ્વામિનારાયણ નામનોરે, શક્કો બેસારિયો આપ; પુરૂષોત્તમ. । એ નામને જે આશર્યારે, તેના તે ટાળિયા તાપ; પુરૂષોત્તમ. ।।૧૧।। ધામી જે અક્ષરધામનારે, તેણે આપ્યો છે આનંદ; પુરૂષોત્તમ. ।  […] read more
0 Views : 1362

શિક્ષાપત્રી શ્લોક – ૧

વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસિ । વૃન્દાવનવિહારં તં શ્રીકૃષ્ણં હૃદિ ચિન્તયે ।। (શ્રીસહજાનંદસ્વામી જે તે પોતાનાં સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાનાં ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન રૂપ મંગલાચરણ કરે છે.) હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરૂ છું. તે શ્રીકૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે  વિહારના કરનારા છે. ।।૧।। read more
0 Views : 1724

શિક્ષાપત્રી શ્લોક – ૨

અને વૃત્તાલય ગામને વિષે રહ્યાં એવા સહજાનંદસ્વામી જે અમે તે અમે જે તે નાના પ્રકારનાં જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ।।૨।। read more
0 Views : 1565

શિક્ષાપત્રી શ્લોક – ૩

શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે.) ।।૩।। read more
0 Views : 1491

શિક્ષાપત્રી શ્લોક – ૪

તથા અમારા આશ્રિત એવા જે મુકુન્દાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી ।।૪।। read more
1 Views : 1496

શિક્ષાપત્રી શ્લોક – ૫

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુકતાનંદ આદિક જે સર્વે સાધુ ।।૫।। read more
0 Views : 1530

શિક્ષાપત્રી શ્લોક – ૬

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. ।।૬।। read more
0 Views : 1476

શિક્ષાપત્રી શ્લોક – ૭

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે. ।।૭।। read more
0 Views : 1474
Powered By Indic IME