Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

વચનવિધિ કડવું:- રર

હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યા રીશ આણીજી હતા ગોલોકે પોતે પટરાણીજી, આવ્યા અવનિ પર થયા આહીર રાણીજી આહીરને ઘેર અવતર્યા, રહ્યાં દીનબંધુથી દૂર ।। એવી મોટપ મટો પરી, નથી જોઈતી જનને જરૂર ।। ર ।। એ તો ભકત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન ।। એને અરથે આવિયા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ।। ૩ ।। પણ અતિ અવળાઈ આરંભી, શ્રી હરિથી લેવું સુખ ।। એવું ભકત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ ।। ૪ ।। વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન ।। પિનાકી જઈ પાયે પડ્યા, થયાં સતી અતિ સંશયવાન ।। પ ।। તેને શિવે ઘણું સમજાવિયાં, પણ સમજયાં નહિ લવલેશ ।। પારખું લેવા પરબ્રહ્મનું, લીધો વૈદેહીનો વેષ ।। ૬ ।। ત્યારે રામ કહે દાક્ષાયણી, એકલાં કેમ છો ઈશ કિયાં ।। ત્યારે પામી લજજા ગયાં પિનાકી પાસળે, જેમ થયું તેમ કે’વા રહ્યાં ।। ૭ ।। ત્યારે જાનકી થયાં જાણી જટીએ, તર્ત ત્યાગી દીધાં તેહને ।। નિષ્કુળાનંદ એવું નીપજયું, અવળાઈનું ફળ એહને ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129

વચનવિધિ કડવું:- ર૩

મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી તો તન મને નાવે કે દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન ।। જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જયાન ।। ર ।। માન મૂકે માન વધે, માન રાખ્યે ઘટી જાય માન ।। એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન ।। ૩ ।। દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઈ ।। વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઈ ।। ૪ ।। માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની ।। તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ ને શિવની ।। પ ।। વચનદ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ।। અવગુણ લિયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતિ ।। ૬ ।। માની કેનું માને નહિ, મર હોયે વાલપ્યનાં વેણ ।। આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિન રેણ ।। ૭ ।। કામી ક્રોધી લોભીને લજજા, કેદી આવી જાયે ઉરમાંઈ ।। નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઈ ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 138

વચનવિધિ કડવું:- ર૪

હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં મોટ્યજી તેમાં તો રહ્યા છે કલેશ કોટ્યજી, દગહીણા દીયે છે તેમાંહી દોટ્યજી દોટ્ય દિયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ ખસતી નથી ।। ઈર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી ।। ર ।। ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ ।। અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ ।। ૩ ।। ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર ।। બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર ।। ૪ ।। એવી અભાગણી ઈરષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહિ ।। વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવો ઈર્ષ્યા કરે છે રહી ।। પ ।। જે જળમાંહિ મળ  ટળે, તે જળમાં મળ ભૂંસે જઈ ।। તેને શુદ્ધ થવા શરીરે કરી, ઉપાય એકે મળે નઈ ।। ૬ ।। જેવી વચનદ્રોહીની ખોટ્ય વર્ણવી, તેવી જ માન માંહી રહી ।। તેમ ઈર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહિ ।। ૭ ।। હરિજનને હાણ હમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી ।। નિષ્કુળાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય નથી છે ખોટ્ય ઘણી ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

વચનવિધિ પદ:- ૬

રાગ-સિંધુ રામગ્રી:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. સંત સાચા તે કહિયે રે, કાઢે ખોટ્ય ખોળી ખોળી બા’ર; અંતરમાં રહે ઊજળા, ડાઘ લાગવા ના’પે લગાર..સંત૦ ।। ૧ ।। દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ; ગણે અવગુણ આપણા, માને સંત હરિના અમૂલ..સંત૦ ।। ર ।। સમજે સુખદાયી સંતને, દુઃખદાયી પોતાનું મન; અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન..સંત૦ ।। ૩ ।। અંતરે ન પડે અવળી, આંટી હરિ હરિજન સાથ; નિષ્કુળાનંદ નિશ્ચે કરી, રીઝે એવા જનપર નાથ..સંત૦ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111

વચનવિધિ કડવું:- રપ

હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો આઠું જામજી સંત છે સર્વ સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે કામજી કામ ન સરે સતંસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ ।। મન કર્મ વચને કરી, થઈ રે’વા સંતના વેચાણ ।। ર ।। આ લોક પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ ।। તેને સંગાથે કેમ ત્રોડિયે, જાણી સદાય સુખનું ધામ ।। ૩ ।। વિવાદ કરી કેમ વદીએ, અતિ વચન અકડથી ।। જેને ફળે ફૂલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદિયે થડથી ।। ૪ ।। જે બારણેથી બંધ છૂટિયે, તે બંધ ન કરિયે બારણું ।। જેને આધારે જીવિયે, તેને ન કરિયે મારણું ।। પ ।। જેમ કોઈ રાખે અન્ન પર રૂસણું, વળી વારિશું રાખે વેર ।। તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર ।। ૬ ।। એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ ।। તે દિન થોડે દુઃખ પામશે, કાં કરતો નથી તપાસ ।। ૭ ।। મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ ।। નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 153

વચનવિધિ કડવું:- ર૬

સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુંજી કરિયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી ઘણું રાજી કરી સંતને, કૈક પામિયા પરમ ધામ ।। સંત વિના શોધી જુવો સઘળે, કહો કેનું સરિયું કામ ।। ર ।। જેમ નાવ વિના નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય ।। તેમ સંત વિના સંસાર તરવા, શીદ ઇચ્છે કોઈ ઉરમાંય ।। ૩ ।। જેમ રવિ વિનાની રજની, જાણો નથી જાવાની જરૂર ।। તેમ સંત વિના અજ્ઞાન અંધારું, કે દી ન થાયે દૂર ।। ૪ ।। જેમ વરસાત વિના વસુંધરા, સદાયે સૂકી રહે ।। તેમ સંત વિના જીવ જગતના, કહો સુખ કયાંથી લહે ।। પ ।। તેવા સંતશું ત્રોડિયે, જોડિયે પાપીશું પ્રીત ।। તેને સુખ થવાનું નથી સૂઝતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત ।। ૬ ।। ફોડી આંખ્ય થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને ।। રૂપ જોયાનું રહ્યું પરું, જો ભરે  નહિ ઊંડા કૂપને ।। ૭ ।। માટે સાચા સંત સેવીને, કરિયે રાજી રળિયાત ।। નિષ્કુળાનંદ તો નરને,સુધરી જાયે સર્વે વાત ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 183

વચનવિધિ કડવું:- ર૭

સાચા સંત જાણો જગતમાં થોડાજી, બીજા બહુ ઘરોઘર ફરે માથાફોડાજી જયાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય નથી લાજતા પ્રજાપતિ ઘરઘોડાજી ઘોડા પ્રજાપત ઘરના, ખાયે ખતા ખણુંખણું એ ઘણા ।। એવા સાધુ કે’વાય છે સંસારમાં, અતિ લબાડ લજામણા ।। ર ।। ખાનપાનને રહે ખોળતા, ત્રિયા ધનને તાકે ઘણું ।। માળા તિલક ને મુદ્રા એની, ધારે છે ધીરવવાપણું ।। ૩ ।। વેષ ઉપદેશ વારતા, કરે સાચા સંતના સરખી ।। પણ ભરી ભૂંડાઈ ભીંતરે, તે તો કોણે પણ નવ્ય પરખી ।। ૪ ।। ફેલમાં બહુ ફશી રહ્યા, વ્યસની ને વળી વટાળ ઘણો ।। તીર્થ વ્રત નિયમ ન માને, કરે દ્રોહ તે ધર્મતણો ।। પ ।। એવા સાધુ થઈ સંસારમાં, પૂજાય છે પાપી મળી ।। પ્રભુની બાંધી મરજાદને, ત્રોડવા છે ત્યાર વળી ।। ૬ ।। એવા સાધુને સેવતાં, પુણ્ય પૂર્વનાં પરજળે ।। આપે ખોટ્ય મોટી અતિ, જે જનને એવા મળે ।। ૭ ।। ગદ્ધા ધોળા ઘોળ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય ।। નિષ્કુળાનંદ ગાય પૂજીએ, પણ ખર ખરા ન પૂજાય ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155

વચનવિધિ કડવું:- ર૮

સાચા શુદ્ધ સંતનો સમાગમ કયાંથીજી, થોડે પુણ્યે કરી એ થાતો નથીજી જેણે કરી છુટિયે મહાદુઃખમાંથીજી, જરૂર જીવના એ સાચા સંગાથીજી સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ।। ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય ।। ર ।। વા’રુ છે વસમી વેળાતણા, જયારે આવે પળ વળી આકરી ।। તે સમે સાચા સંત સગા, કાં તો સગા છે શ્રીહરિ ।। ૩ ।। તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ ।। આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ ।। ૪ ।। તે સંત શાણા શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક ।। પરઉપકારી સગાં સહુનાં, ધર્મ નિયમવાળા વિશેક ।। પ ।। કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી ઉત્તાપ ।। નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ।। ૬ ।। જકતદોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુ ભાર ।। એવા સંત શુદ્ધ શિરોમણિ, ત્રિલોકના તારનાર ।। ૭ ।। વચન ન લોપે વાલાતણું, હોય પંડ્યમાં જયાં લગી પ્રાણ ।। નિષ્કુળાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે વખાણ ।। ૮ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 152
Powered By Indic IME