Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિબળગીતા કડવું:- ૪૪

હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વે શોક સંશય ટળશેજી। સમજી સાંભળતાં પાપ પળશેજી, નિરબળ નરને બળ મળશેજી ।।૧।। ઢાળ- મળશે બળ નિરબળને, તે પ્રભુને પ્રતાપે કરી । સમુદ્ર જે સંકટનો, તે તરત નર જાશે તરી ।।ર।। પુષ્ટી છે પ્રભુના દાસને, આ ગ્રંથમાં ઘણી ઘણી । હાર્યાને હિંમત આવશે, અપો’ચ ટળશે આપણી ।।૩।। લડથડતાંને લાકડી, કાજુ આપી છે કરમાંઈ । ભોંયે પડયાનો ભય ટળ્યો, કહું બીક ન રહી કાંઈ ।।૪।। હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર । આગળ પગ આરોપશે, થઈને સાચો શૂર ।।પ।। ઘણું બળ ઘનશ્યામનું, અતિ આવશે ઉરને વિષે । મોળપ મટશે મનની, આ ગ્રંથ જો સાંભળશે ।।૬।। એકાદશ પદ ચુંવાળીશ કડવાં, વળી ચારસે એનાં ચરણ છે । નિર્બળ સબળ સંતને, સદા એહ સુખ કરણ છે ।।૭।। સંવત્ અઢાર અઠાણુંનો, માસ પુરૂષોત્તમ પુન્યમ દને । નિષ્કુલાનંદ જન હિત અર્થે, કર્યો ગ્રંથ સમઝી મને ।।૮।। કડવું ।।૪૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

હરિબળગીતા પદ:-૧૧

રાગ:-  ધોળ મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી । સારી પેઠયે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી ।।૧।। મારી જાણમાં આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું । કહ્યું અંતર ઉપજયું એમ, સમઝવા સારૂં થયું ।।ર।। થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે । સમે અંતરતાપ અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે ।।૩।। દમે સમઝયા વિના શરીર, પ્રગટ પ્રભુને મેલી । મેલી મહી વલોવતાં નીર, પ્રાપતિ સઈ છેલ્લી ।।૪।। છેલ્લી સમઝણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે । જાણે સમર્થ શ્રીહરિ તેહ, ભરોંસો એ ઉર આણે ।।પ।। આંણે ટાંણે કરવો વિચાર, વિવેકે વળી વળી । વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી ।।૬।। મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરીફરી મળતો નથી । નથી ઘટતી રાખવી ભૂલ્ય, કહું શું હું કથી કથી ।।૭।। કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી લેજો । લેજો નિષ્કુલાનંદનો વિચાર, સુંદર સારો છે જો ।।૮।। પદ ।।૧૧।। ઈતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ વિરચિતા હરિબળગીતા સંપૂર્ણ. read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155

સારસિદ્ધિ કડવું:- ૧

રાગ :- ધન્યાશ્રી શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી , શું શું જોઈએ આ જીવને સમાજજી । જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું શોધી સાર લઈ લેવું આજજી ।।૧।। રાગ :- ઢાળ શોધી સાર સર્વે તણો, લઈ લેવો લાભ લાલચ્યે કરી । આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રી હરિ ।।રા। શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ । શેષદિ નેશ ને શશિ સુરેશ, વળી કર્યા રાજી અજ ઈશ ।।૩।। જેમ રાજેન્દ્રને રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ । તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો કમી તેને શાની રઈ ।।૪।। જેમ મહારત્નની મો’રમાં, અન્ય નાણું છે અતિ ઘણું । તેમ હરિ રીઝવતાં સહુ રીઝયા, ન રહ્યું કેનું કુરાજીપણું ।।પ।। જેમ અનંત ઉડુ ઉગે અંબરે, પણ અર્ક વિના રહે અંધેર । તેમ હરિ સેવા વિના સમઝો, છે નિરર્થક નહિ ફેર ।।૬।। જેમ સો સો શૂન્ય સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે । તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળપ કાગળે ।।૭।। તેમ એક હરિ ને પરહરે, બીજી કરે ચતુરાઈ કોટ । તે તો માથાફર ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ ।।૮।। માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ । નકી નિશાન ન ચૂકિયે, સમઝી વિચારી શુભ મતિ ।।૯।। નિશ્ચે એમ નિર્ણય કરી, ખરી લઈએ વળી ખોજ […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 327

સારસિદ્ધિ કડવું:- ર

રાગ :- ધન્યાશ્રી પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જુજવા જુજવા આ જગમાંયજી । જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે નહિ કાંયજી ।।૧।। રાગ :- ઢાળ કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન । મતિ ન પોતી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ।।ર।। કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ । કોઈ કહે તર્ત તીર્થથી, રાજી થાશે દીનદયાળ ।।૩।। કોઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે પરબ્રહ્મ । કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ।।૪।। કોઈ કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ । કોઈ કહે પા’ડ ચઢી પડતાં, રાજી થાય શ્રીહરિ શ્યામ ।।પ।। કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે દાવાનળે દેહ । તો જરુર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ ।।૬।। કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ । કોઈ કહે વેષ કેશ વધારે, કોઈ કહે ફરે ઉદાસ ।। કોઈ કહે દિગંબર અન્ન અલુણે, કોઈ કહે ફળ દળ જળપાન । કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય ભગવાન ।।૮।। કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ, રહીયે અણવાણ અહોનિશ । કોઈ કહે પંચઅગ્નિ તાપી, રાજી કરીયે જગદીશ ।।૯।। એહ વિના અનેક ઉપાયે, રાજી કરવા ઈચ્છે છે રામ । નિષ્કુલાનંદ એ ભકત ભલા, પણ નકી નથી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 337

સારસિદ્ધિ કડવું:- ૩

રાગ :- ધન્યાશ્રી કોઈક ઈચ્છે રાજ સાજ રિધ્ધિજી, કોઈક ઈચ્છે સુરપુર પ્રસિધ્ધિજી । કોઈક ઈચ્છે મુકિત ચઉ વિધિજી, એમ સુખ સારું સૌએ દોટ દિધીજી ।।૧।। રાગ :- ઢાળ એમ દોટ સુખસારું દીધી, કીધી મોટા સુખની આશ । અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ ।।ર।। સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધિ છે ફાળ । જાણ્યું રિઝવી જગદીશને, પામું અભય વર તતકાળ ।।૩।। તેહ સારું તાવે છે તનને, રે’છે મનમાં મોટી આશ । કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ ।।૪।। અહોનિશ એવો અંતરે, વરતે છે અખંડ વિચાર । તેણે સહે સમૂહ સંકટના, તોય પામતા નથી હૈયે હાર ।।પ।। સવાસનિક નર એમ સુખ સારું, અતિ અતિ કરે છે ઉપાય । મોટપ્ય ઈચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય ।।૬।। અતિ આગ્રહે આદરી, કરે પ્રભુ ને પ્રસન્ન । પછી માગે સુખ શરીરનું, એવા પણ અજ્ઞાની જન ।।૭।। નિર્વાસનિક વિના નરને, સમુ માગતાં સુઝે નહિ । જેમ વાંણાકરે વપુ વાંણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ ।।૮।। એમ નાના વિષય નાવ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું । હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું ।।૯।। તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ । નિષ્કુલાનંદ એવા નર અમર, પામે નહિ મોટી મીરાંથ ।।૧૦।। કડવું ।।૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 292

સારસિદ્ધિ કડવું:- ૪

રાગ :- ધન્યાશ્રી જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી । ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ।।૧।। રાગ :- ઢાળ ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય । ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।। જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી । તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।। તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં । તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ।।૪।। જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પિઉં । આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઈયું ।।પ।। થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ઘુંચવશે । સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે ।।૬।। જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું । પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।। આઘા પગ પરઠતાં, હૈયે કરવો નહિ હુલાસ । આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ।।૮।। તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત । કૈકવાર સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।। માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ । […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 295

સારસિદ્ધિ પદ:- ૧

રાગ :- રામગરી નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત । અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।। સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ । એતો ઉદંબરે ફળ વળગ્યાં, થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।। એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર અજ ઈશ । અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।। માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય । નિષ્કુલાનંદ પ્રભુપદ પખી, જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।।  પદ ।।૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 277

સારસિદ્ધિ કડવું:- પ

રાગ :- ધન્યાશ્રી એતો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તન સુખ ત્યાગજી । એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી ।।૧।। રાગ :- ઢાળ સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ । સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ ।।ર।। ઉંડું વિચારી અંતરમાં, જોઈ લીધું જીવમાં જરુર । વિષય સારું સહુ વલખાં, કરે છે સુર અસુર ।।૩।। વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ ન થાયે ત્યાગ । ત્રોડી પાડે પીંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય ।।૪।। વૈરાગ્યવાન વિલસે નહિ, માયિક સુખની માંઈ । શૂન્યસુમન સમ સમઝી, ગંધ સુગંધ ન માને કાંઈ ।।પ।। જે નિર્વેદ નિધિ નરનું, જેવું કરી દિયે છે કામ। તેવું ન થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ ।।૬।। જેમ મળે એક ચિંતામણિ, ઘણી અગણિત વસ્તુનું ઘર । તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી બીજું કાંઈ પર ।।૭।। સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ । મોટે ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ ।।૮।। વૈરાગ્યવાનને વિપત્ત શાની, જે સમઝયા સાર અસાર । જેમ તુંબુ બોળે કોઈ તોયમાં, પણ નીસરી જાયે નીર બા’ર ।।૯।। વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું ન લેવાય સુખ । નિષ્કુલાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ ।।૧૦।। કડવું ।।પ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 242
Powered By Indic IME