એહ અવિદ્યા લેવી ઓળખીજી, વણ સમઝે ન થવાય સુખીજી । જાણ્યા વિના જન થાય છે દુઃખીજી, શાંતિ ન વળે સમજયા ૫પખીજી ।।૧।। ઢાળ- સમઝયા વિના શાંતિ સહી, રહે અંતરે અતિ ઉદ્વેગ । પ્રિછવા ન દિયે પાધરૂં, ભીતરમાં માયાનો ભેગ ।।ર।। દિયે ઉપદેશ દિવસ રજની, તું દેહ દેહછો તું દેહ । તેહ વિના રૂપ તાહરૂં, નથી બીજું કહું તેહ ।।૩।। બાળ જોબન વળી વૃદ્ધ તું, તું છો શ્યામ ગૌર શરીર । રોગી અરોગી તું સુખી દુઃખી, કાયર તું શૂરવીર ।।૪।। તું ઉત્તમ મધ્યમ તું, ડાહ્યો ભોળો તું દાસ અદાસ । એમ મનાવ્યું અંતરે, કરી હૈયામાંઈ વાસ ।।પ।। અવિદ્યાયે એમ દૃઢાવ્યું, ઉરમાંઈ અનેક પ્રકાર । તેમજ માની તનમાં, સહુ વર્તે છે સંસાર ।।૬।। પણ ઉંડું વિચારી અંતરે, કેણે ખરી ન કરી ખોળ । જેમ છે તેમ જાણ્યા વિના, સહુ કરે છે ડામાડોળ ।।૭।। સાચી વાત નથી સૂઝતી,નથીકરતા તેનો તપાસ । નિષ્કુલાનંદ નિર્બળ થઈ, પડિયા માયાને પાશ।।૮।।કડવું ।।૩૬।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)