Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ધીરજાખ્યાન પદ:– ૯

(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ. દોયલું થાવું હરિદાસ રે સંતો..દોયલું જોઈએ તજવી તનસુખ આશ રે સંતો..દોયલું… ટેક શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ; પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે સંતો ।। ૧ ।। કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ; એમ કરતાં જો ચડી ગયા ચોંટે, તો તરત લેશું મુખે ઘાસ રે સંતો ।। ૨ ।। શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ; કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો ।। ૩ ।। એવા ભકત તે ભકત હરિના, તેહ સહે જગ ઉપહાસ; નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે સંતો ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 140

ધીરજાખ્યાન કડવું:– ૩૭

વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન ।। જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન ।। ૨ ।। ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત જે વળી ।। આપે તેને આદરશું, આરત્ય વાણી સાંભળી ।। ૩ ।। તેણે જશ વાધ્યો આ જકતમાં, પરલોકે પડી ફાળ ।। ઇન્દ્ર કહે લેશે આસન મારું, કરું કાંઈક રખવાળ ।। ૪ ।। પે’લી વે’લી પાળ બાંધિયે, તો રહે તળાવે તોય ।। આવ્યે જળે જે આદરવું, તે કામ ન આવે કોય ।। ૫ ।। લાગી આગ્યે કોઈ કૂપ ખણે, તેણે ઓલાય નહિ અંગાર ।। માટે મેલી ગાફલતા, વે’લો વે’લો કરવો વિચાર ।। ૬ ।। પછી શક્ર થયો શકરો, થયો હોલો તે હુતાશન ।। આવ્યા બેઉ ઊડતા, જયાં બેઠા હતા રાજન ।। ૭ ।। કપોત ગર્યો આવી ગોદમાં, બેઠો શકરો સામો સુજાણ ।। આપ્ય મારા તું આહારને, મારા ભૂખે જાય છે પ્રાણ ।। ૮ ।। ત્યારે શિબિ કહે સુણ શકરા, શરણે આવ્યો તે કેમ અપાય ।। માગ્ય બીજું હોય મનમાં, જેણે કરી તારું દુઃખ જાય ।।૯।। ત્યારે બાજ કહે બીજું જોઈતું નથી, જોઈએ છે ખાવાનું આ વાર ।। નિષ્કુળાનંદનો નાથ નાથ કરી, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 127

ધીરજાખ્યાન કડવું:– ૩૮

શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી તપાસ કરી તને મને, ત્રાજુ મગાવ્યાં તે વાર ।। કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર ।। ૨ ।। કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ ।। તોય ત્રાજુ નવ ઊપડ્યું, તેહ હોલો બેઠો છે જેહ પાસ ।। ૩ ।। ત્યારે રાયે વિચારિયું, આ તો કપોત કારણરૂપ રે ।। માટે આપું અંગ આખું એને, એમ કહે છે વળી ભૂપ રે ।। ૪ ।। ત્યારે બેઠા રાય જઈ ત્રાજવે, હુવો લોકમાં હાહાકાર ।। ત્યારે હોલો ટળી હુતાશન હવો, હવો શકરો શક્ર તે વાર ।। ૫ ।। ત્યારે ઇન્દ્ર કહે ધન્ય ધન્ય રાજા, તું જેવો નથી બીજો એક ।। તન અભિમાની તું નહિ, અમે જોયું કરી વિવેક ।। ૬ ।। સત્ય ધર્મ નીમ ટેક તારી, ભારે ધારી ભલી તમે ભૂપ ।। તન તજી બ્રહ્મલોક જાશો, થાશો બ્રહ્મસ્વરૂપ ।। ૭ ।। પે’લું વે’લું લિયે પારખું, પછી દિયે છે અભયદાન ।। એવા સંકટને સહન કરતાં, જાણો નથી કાંઈ જયાન ।। ૮ ।। વામને બાંધ્યા બળિરાયને, પછી પોતે બંધાણા બહુ પેર ।। હજી સુધી હેતે કરી, હરિ રહે છે એને ઘેર ।।૯।। એમ વર દઈ સુરેશ ગયા, થયો અતિ જયજયકાર ।। નિષ્કુળાનંદ હરિભકતને, ગ્રહી લેવું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119

ધીરજાખ્યાન કડવું:– ૩૯

આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તે તો પરલોકના સુખને કાજજી એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જયારે રહે એ રાજાની રીત ।। ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત ।। ૨ ।। અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય ।। તે તે આપે ત્રિલોકમાં, સુખે થકી સહુ કોય ।। ૩ ।। પણ જયારે આવે અંગ ઉપરે, સુખ દુઃખના સમૂહ મળી ।। ત્યારે દઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી ।। ૪ ।। મોટી વાત કરતાં મુખથી, વળી સ્વાદ આવે છે સહુને ।। પણ જયારે જોઈએ આ જીવમાં, ત્યારે ભળાયે ભૂલ્ય બહુને ।। ૫ ।। એહ ભૂલ્યને અળગી કરી, ખરી હરિની ભકત કરિયે ।। મોટા ભકત જે મોરે થયા, તેના મતને અનુસરિયે ।। ૬ ।। મનગમતું મેલી કરીને, મત મોટાનો મન ધારિયે ।। પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એટલું તો જરૂર વિચારિયે ।। ૭ ।। અંતરજામીની આગળે, નહિ ચાલે જૂઠ જરાય ।। એમ વિચારી આપણે, કસર ન રાખવી કાંય ।। ૮ ।। એહ વાત અનુપ છે, નક્કી સુખ થાવાની નિદાન ।। વણ સમઝે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન ।।૯।। માટે મોટા સંતને મળી, વળી ટાળવી સરવે ભૂલ્ય ।। નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ્ય ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 104

ધીરજાખ્યાન કડવું:– ૪૦

જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજય કે’વાણા વિદેહજી વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય ।। ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય ।। ૨ ।। પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત ।। અમે ન સમજયા આ મર્મને, તમે સમઝાવો સાક્ષાત ।। ૩ ।। ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ ।। મળાય કેમ આ મુનિને, જયારે થઈ જાય તન નાશ ।। ૪ ।। એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન ।। પછી બેઠા સભા કરીને, પૂછ્યાં રૂડાં પ્રશન ।। ૫ ।। ત્યાં મિથિલાપુરી પરજળી, ધાયાં સહુ સહુને ઘેર લોક ।। જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શોક ।। ૬ ।। રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ ।। એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ ।। ૭ ।। અણ સમઝણે આપણું, સહુ માની રહ્યા મનમાંય ।। જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય ।। ૮ ।। એમ રાજયમાં રહી રાગ તજયો, એ છે લક્ષ લેવા જેવો ઘણો ।। તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો ।।૯।। ખાવા ખટરસ નરેશ સુતને, તોય ડોડાં દેખી ડગે દલ ।। નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111

ધીરજાખ્યાન પદ:– ૧૦

(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ. શીદને રહિયે કંગાલ રે સંતો જયારે મળ્યો મોટો મહા માલ રે સંતો પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે સંતો ।। ૧ ।। રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ; ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો ।। ૨ ।। તેમ ભકત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ; તે તો પામર નર જાણો પૂરા, હરિભકતની ધરી છે ઢાલ રે સંતો ।। ૩ ।। તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ સાલ નિષ્કુળાનંદ એ ભકત હરિના, બીજા બજારી બકાલ રે સંતો ;  ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

ધીરજાખ્યાન કડવું:– ૪૧

વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત ।। વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત તેહ વાત ।। ૨ ।। ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર ।। તેમાં રાજા તેડાવિયા, સહુ આવવા થયા તૈયાર ।। ૩ ।। ત્યારે નારદે કહ્યું જઈ ઇન્દ્રને, ધર્મ અગ્ન સુણો વરુણ ।। તમ જોગ્ય એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ ।। ૪ ।। પણ એને વરવું છે નળને, એવી દઢ ધારી છે ટેક ।। ટેક તજાવી તમે વરો, તો વળે વડો વશેક ।। પ ।। નળ અંતરે નિરમળ છે, જેમ કહેશો તેમ કરશે ।। તજી પ્રિય પોતાતણું, તમારું પ્રિય અનુસરશે ।। ૬ ।। ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કર્ય અમારાં વખાણ ।। તું તારી નિંદા કરજે, તો અમને વરશે એહ જાણ ।। ૭ ।। ત્યારે નળે કહ્યું જઈ દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ ।। એને વર્ય તું વેગે કરી, તો તારે તોલે આવે કહું કોણ ।। ૮ ।। ત્યારે દમયંતી કહે એ દેવતા, હું તો વરી છું નળરાય ।। હવે ડગાવું જો દિલને, તો પતિવ્રતાપણું જાય।। ૯ ।। ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેષ ।। નિષ્કુળાનંદ કહે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 117

ધીરજાખ્યાન કડવું:– ૪ર

પછી પાંચે થયા નળ સમ પ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી નાખી નળકંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી નિરાશી નર અમર ગયા, ત્યારે ઇન્દ્રે કર્યો ઉપાય ।। આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર નળમાંય ।। ૨ ।। ત્યારે નળ મતિ રતી નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ ।। રાજ સાજ સુખ સમૃદ્ધિ, લીધી જીતી કર્યો અનાથ ।। ૩ ।। પછી કાઢ્યાં દંપતી પુરથી, આપી પે’રવા એક અંબર ।। મૂકયાં કાઢી મોટા વનમાં, જયાં ન લિયે કોઈ ખબર ।। ૪ ।। જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન ।। ભૂખ પ્યાસનાં ભેળાં ભમે, દુઃખમાંહી નિગમે દન ।। ૫ ।। મનુષ્ય માત્ર જયાં ન મળે, મળે વનવાસી વિકરાળ ।। ખાવા આવે ખરાં થઇ, તોય ન કરે તન સંભાળ ।। ૬ ।। ભૂત ભૈરવ ભયંકર ભમે, દમે દુષ્ટ બીજાં આવી દેહને ।। આપે સંકટ સંતાપે સહું, કહે નહિ કાંઈ તેહને ।। ૭ ।। જેને સંકટ શરીરમાંય, અણું જેટલો આવ્યો નથી ।। તેને સંકટ સામટો પડ્યો, જે કહેવાય નહિ મુખથી કથી ।। ૮ ।। અણવાણાં ફરે અરણ્યમાં, ચરણમાં ચાલે રુધીર ।। તોય અકળાય નહિ અંતરે, સમઝી મને સુધીર ।।૯।। રાત દિવસ એમ રડવડે, પડે અન્ન વિના ઉપવાસ ।। નિષ્કુળાનંદ કહે એહ વનમાં, ફરે ધરે નહિ તન ત્રાસ ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 106
Powered By Indic IME