Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ધીરજાખ્યાન પદ:– ૧

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ભકત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ; સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ. ભકત ।। ૧ ।। દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન; એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભકત ।। ૨ ।। વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે; ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દઢ ધીરે. ભકત ।। ૩ ।। ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે; નિષ્કુળાનંદ એવા ભકતનો, જશ જુગોજુગ કહાવે. ભકત ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 275

ધીરજાખ્યાન કડવું:– પ

જેહને થાવું હોય હરિભકતજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જકતજી જકત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ ।। શુદ્ધ ભકત શ્રી હરિતણા, થાવું જેવા જન પ્રહલાદ ।। ૨ ।। પ્રહલાદ ભકત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત ।। હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું કયાધુ જેની માત ।। ૩ ।। ગર્ભવાસ માંહીથી ગુરુ કર્યા, મુનિ નારદને નિરધાર ।। નિશ્ચય કર્યું હરિ ભજશું, તજશું સુખ સંસાર ।। ૪ ।। પછી પ્રહલાદજી પ્રસવ્યા, વળી વીત્યાં વરસ સાત ।। ત્યારે તાતે તેડાવીને, કહી નિજકુળ રીત ભાત ।। ૫ ।। આસુરી વિદ્યા આપણી, તમે પઢો કરી બહુ પ્રીત ।। વિબુધ વામ વિષ્ણુ થકી, તો થાઓ અતિશે અજિત ।। ૬ ।। ત્યારે પ્રહલાદે પરીક્ષા કરી, આ તો દીસે છે અસુર ।। મારે એને કેમ મળશે, એમ વિચારિયું વળી ઉર ।। ૭ ।। મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ ।। દેહ ગેહ દારા દામથી, અતિ થાવું છે ઉદાસ ।। ૮ ।। એહ વાત અસુરને, વળી નહિ ગમે નિરધાર ।। માટે મારે એને નહિ મળે, એવો કર્યો ઉર વિચાર ।।૯।। પણ હમણાં તો એને હા કહું, વળી ના કે’વાયે કેમ ।। પછી નિષ્કુળાનંદના નાથનું, થાશે જેમ ધાર્યું હશે તેમ ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 237

ધીરજાખ્યાન કડવું:– ૬

ત્યારે પ્રહલાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ ।। ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ ।। ૨ ।। પ્રહલાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક ।। તેને તર્ત ટાળી લખ્યા, નારાયણ થઈ નિઃશંક ।। ૩ ।। ત્યારે શંડામર્ક કે’ સમઝિયે, ભાઈ એ નહિ આપણું કામ ।। એ છે વેરી આપણા અતિ, તેહનું ન લખવું નામ ।। ૪ ।। ત્યારે પ્રહલાદ કહે પાપી જનના, હશે શત્રુ શ્રીભગવાન ।। મારે તો સદા એ મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન ।। ૫ ।। ત્યારે શંડામર્ક એમ સમઝ્યા, છે આ વાતમાં વિવાદ ।। એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહે છે બાળકોને પ્રહલાદ ।। ૬ ।। મરી જાવું સહુને મૂરખો, શીદ ચઢો છો બીજે નોર ।। ભજો શ્રી ભગવાનને, તજો બીજો શોર બકોર ।। ૭ ।। જેને ભજયે જગ જીતી જાયે, અને થાય સુખિયા સદાય ।। તેને તજી બીજું બોલે જેહ, તેહ કૃતઘ્ની કે’વાય ।। ૮ ।। અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યો સરવે સુખનો સમાજ ।। તેને ભજિયે ભાવે કરી, તો સરે તે સઘળાં કાજ ।।૯।। ત્યારે બાળક સહુ બોલિયાં, જેમ કે’શો તેમ કરશું ।। નિષ્કુળાનંદનો નાથ ભજતાં, નહિ થાય અમારું નરસું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 269

ધીરજાખ્યાન કડવું:– ૭

એવા સુણી બાળકના બોલજી, શંડામર્કે કર્યો મને તોલજી આ તો વાત ચઢી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ ખોલજી ખોલી મર્મ ખરું કહ્યું, પ્રહલાદ તમારો જે તન ।। તે તો ભકત છે ભગવાનનો, એ મેં જોઈ લીધું રાજન ।। ૨ ।। આસુર વિદ્યા એની જીભે, ભૂલે પણ ભણશે નહિ ।। બીજા બાળકને બગાડશે, વળી અવળો ઉપદેશ દઈ ।। ૩ ।। માટે આડી રખાવો એની આજથી, જે ન ચઢે બીજે વેન ।। કુળ આપણામાં કેણે ન કીધું, એવું આદર્યું છે એણે ફેન ।। ૪ ।। ત્યારે હિરણ્યકશિપુ કહે પ્રહલાદને, આવી અવળાઈ તું કાં કરે ।। નાની વયમાં નિઃશંક થઈ, કાંરે કોઈથી નવ ડરે ।। ૫ ।। આપું રાજય તને આજથી, અન્ન ધન સર્વે સમાન ।। ત્રણ લોકમાં કહું તાહરું, કોઈ મોડી શકે નહિ માન ।। ૬ ।। પ્રહલાદ કહે એહ પાપરૂપ, મને ગમતો નથી એહ ગેલ ।। ભજતાં શ્રી ભગવાનને, મને સમુ લાગે છે સે’લ ।। ૭ ।। ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હાકલી, માગી લે છે મુખે શીદ મોત ।। માનતો નથી તું માહરું, મરી જાઈશ તું તારા સોત ।। ૮ ।। ત્યારે પ્રહલાદ કહે હવે બોલવું, તેનો કરવો વિચાર ।। તને તારે મને મારિયો, તેથી પામ્યો છું તું હાર ।।૯।। ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ કરી, તને હણીશ મારે હાથ ।। તારી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 296

ધીરજાખ્યાન કડવું:– ૮

કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મુકાવો આની તમે ટેકજી આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઊઠિયા અસુર અનેકજી અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ ।। રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઊગરીએ ।। ૨ ।। અસુર કુળ કાનનનો, કાપનાર આ છે કુઠાર ।। જેમ મહા અરણ્યને અલ્પ અગ્ન, વળી બાળી કરે છે છાર ।। ૩ ।। માટે માનો એના થકી, વડો થાશે વળી વિનાશ ।। જેમ ઝીણો કણિકો ઝેરનો, કરે કલેવર નાશ ।। ૪ ।। કાળ છે આપણા કુળનો, તમે જાણી લેજો જરૂર ।। માટે એને જો મારિયે, તો સહુ ઊગરિયે અસુર ।। ૫ ।। માત તાત સુત ભ્રાતનો, વેરી લિયે વા’લાનો વેશ ।। એથી સુખ આવે નહિ, આવે કઠણ કષ્ટ કલેશ ।। ૬ ।। માટે એને તમે જરૂર મારો, મ વિચારો બીજી વાત ।। છેલ્લી આજ્ઞા એ જ છે, કરો એના જીવની ઘાત ।। ૭ ।। એવું સુણી અસુર નર, સહુ તરત થયા તૈયાર ।। મારો મારો સહુ કરે, અઘે ભર્યા નર અપાર ।। ૮ ।। નમે’રી ને નિર્દયા, વળી પાપના પુંજ કહિયે ।। તેને પાને પ્રહલાદ પડિયા, ખરી ક્ષમા એની લહિયે ।।૯।। ગડથલાવી ગળે ઝાલી, કર્યા મારવા સારુ મો’ર ।। નિષ્કુળાનંદ કહે કરી તિયાં, આવતો દીઠો એહ ઠોર ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 209

ધીરજાખ્યાન પદ:– ર

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ ।। ૧ ।। ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દગે. પદાતિ ।। ૨ ।। ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ ।। ૩ ।। શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર; નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ ।। ૪ ।। read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 244

ધીરજાખ્યાન કડવું:– ૯

કહો ભાઈ આપણે કરિયે કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી એમજી કોણ જાણે કેમ રહે છે એ ક્ષેમજી, હવે જેમ મરે કરો સહુ તેમજી તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે કૂપ ।। મરી જાશે કે ભોરંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ ।। ૨ ।। તેમાં નાંખ્યે પણ નવ મર્યા, ત્યારે ડર્યા અસુર અપાર ।। ખરો વેરી છે ખોટું નથી, એમ થયો સહુને વિચાર ।। ૩ ।। પછી કહે છે પછાડો પહાડથી, થાય તલ તલ એનું તન ।। તેમનું તેમ તેણે કર્યું, તેમાં કરી હરિયે જતન ।। ૪ ।। પછી ખારા જળ કીચમાં, ઘાલિયા ઘણો દઈ ભાર ।। તેથી પ્રહલાદ ઊગર્યા, શ્રીહરિએ કીધી સાર ।। ૫ ।। પછી શસ્ત્ર સરવે સજજ કરી, ઊઠ્યા મારવા શૂરવીર ।। તેણે ત્રાસ પામ્યા નહિ, ધન્ય ધન્ય એ જનની ધીર ।। ૬ ।। પછી પાવકે પરજાળવા, બાળવા કર્યો વિચાર ।। તેહ વિનાના ઉપાય બીજા, કર્યા હજારે હજાર ।। ૭ ।। ભકત જાણી ભગવાનના, છે અસુરને વેર અતિ ।। મનસૂબો મને મારવાનો, કરે છે બહુ કુમતિ ।। ૮ ।। નર નારી સહુ એમ બોલે, કોઈ ઘાત કરો પ્રહલાદની ।। તો અસુર સહુ અભય થાયે, જય થાય ક્રવ્યાદની ।।૯।। આશ્ચર્ય પામ્યા અમર નર, જોઈ પ્રહલાદની ધીર ।। નિષ્કુળાનંદના નાથની કસણી, જોઈ નયણે આવ્યાં નીર ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 180

ધીરજાખ્યાન કડવું:– ૧૦

નથી હરિજનને ધીરજ સમ ધનજી, કામ દામ આવે એ દોયલે દનજી જયારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી વિઘન આવે વણ ચિંતવ્યાં, સુર અસુર ને નર થકી ।। જોખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી ।। ૨ ।। આદ્ય અંતે મધ્ય માંય, ભકતે સુખ શું શું ભોગવ્યું ।। સહી સંકટ ભજયા શ્રીહરિ, એમ ચારે જુગમાંયે ચવ્યું ।। ૩ ।। ભકત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ ।। બેઉ કામ ન બગાડિયે, થાઈએ ખરા હરિના દાસ ।। ૪ ।। અતિ મોટું કામ આદરી, વળતો કરિયે વિચાર ।। એ તો અરથ આવે નહિ, વળી ઠાલો ખોવાય કાર ।। ૫ ।। કાર જાયે ને કામ ન થાયે, વળી જાયે ખાલી ખેપ ।। એવું કામ આદરતાં, કહો કેને આવ્યું ઠેપ ।। ૬ ।। માટે તાવે ઘાવ જેમ ઘણના, ઘણા લગાડે છે લુહાર ।। તક ચૂકે જો તા તણી, તો સાંધો ન થાયે નિરધાર ।। ૭ ।। જોને મોરે જેવું એ મોંઘુ હતું, એવું મોંઘુ નથી જો આજ ।। પ્રહલાદની પેઠે આપણને, નથી કસતા મહારાજ ।। ૮ ।। પેખો ભકત પ્રહલાદને, જે જે પડિયાં એને દુઃખ ।। વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરિની સનમુખ ।।૯।। એકાએક વિવેકે ટેક, એવું કામ એણે આદર્યું ।। નિષ્કુળાનંદ કે’ નાથે તેનું, ઘણું ઘણું ગમતું કર્યું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 144
Powered By Indic IME