Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિસ્મૃતિ ચિંતામણિઃ- ૪

દોહા : પછી વાજાં લઇ વિધવિધનાં, કર્યુ ગવૈયે ગાન ।। તે ભેળા ભળી હરિ, ત્રોડે ત્રુગટિ તાન ।।૧।। સંત સહુ ઉભા થઇ, રચ્યો મનોહર રાસ ।। ફરે કરી કીરતનને, તે ભેળા ફરે અવિનાશ ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : દીવો દીવી ને અજવાળે, દગે દીઠા છે ।। હાંડી ફાનસે રૂપાળે, દગે દીઠા છે ।। ઝાડ મેતાબ ઉજાસે,દગે૦ । શશિ સૂરજને પ્રકાશે,દગે૦ ।।૩।। બળતી અગ્નિ બપોરીયે,દગે૦ । ગમતી દેહ ઘણું ગોરીયે,દગે૦ ।। ઉઘડી રાત્ય ઉડુગણ તેજે,દગે૦ । એહ વિના ઉજાસે બીજે,દગે૦ ।।૪।। વસંતે વસ્ત્ર પેજારી વસંતિ,દગે૦ । ખાંત્યે ખેલ કરતા અતિ,દગે૦ ।। અબિર ગુલાલ નાખતાં,દગે૦ । શોભા ન જાયે કૈજા ભાખતાં,દગે૦ ।।૫।। કર લઇ ગુલાલ ગોટા,દગે૦ । નાખે નિજજન પર જોઇ મોટા,દગે૦ ।। વળી પિચકારી નાખતાં,દગે૦ । કરતાં ખેલ બહુ મનગમતા,દગ૦ ।।૬।। રંગ તાંસળી તાંબડીયે,દગે૦ । ઘણો ભરી ગાગરડીયે,દગે૦ ।। રંગભીનો રમતા રંગે,દગે૦ । પોતાના સખા સંગે,દગે૦ ।।૭।। સર્વે સખા રસબસ કરતાં,દગે૦ । દઇ તાળી ધૂન્ય ઓચરતાં,દગે૦ ।। રમતાં રમતાં વસ્ત્ર અંગનાં,દગે૦ । થયા સરવે રાતા રંગના,દગે૦ ।।૮।। કર ચરણ મુખ રંગેલે,દગે૦ । શોભે આંખ્યો તેજ ભરેલે,દગે૦ ।। રમતાં કુસ્તિ મલની સાથે,દગે૦ । નાજાવા જાતા સંત સંગાથે,દગે૦ ।।૯।। ચઢ્યા ઘણે મૂલે હરિ ઘોડે,દગે૦ । સર્વે સખા ચાલ્યા જોડે,દગે૦ ।। નાહ્યા નિર્મળ જળમાં જઇ,દગે૦ । ત્યાં કરી લીલા કંઇ,દગે૦ ।।૧૦।। નાજાતા નાજાતા સખા સાથે,દગે૦ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 353

હરિસ્મૃતિ ચિંતામણિઃ- પ

દોહા : એમ નખશિખા મૂર્તિ નાથની, સમરતાં સુખ થાય ।। અહોનિશ ઉરમાં ધારતાં, કરવું રહે ન કાંય ।।૧।। ચરિત્ર સર્વ ચિંતવી, મૂરતિ ધારે મન ।। કાળ માયા કર્મનું, વ્યાપે નહિ વિઘન ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું ।। છો અવતારના અવતારી, જીવન જાણું છું ।। મહાસમર્થ છો મહારાજ,જીવન૦ । વળી આપે રાજાધિરાજ,જીવન ૦ ।।૩।। પુરૂષોત્તમ પૂરણબ્રહ્મ,જીવન૦ । તમને નેતિ કહે નિગમ,જીવન૦ ।। વાસુદેવ દયાળુ સ્વભાવ,જીવન૦ । મહાપુરૂષ મહાનુભાવ,જીવન૦ ।।૪।। નારાયણ નિર્વિકારી,જીવન૦ । મહાપરમ મંગલકારી,જીવન૦ ।। ભકતભયહારી ભગવાન,જીવન૦ । આપ્યા આશ્રિતને અભયદાન,જીવન૦ ।।૫।। સચ્ચિદાનંદ દિવ્યમૂર્તિ,જીવન૦ । જેને અતિ અગમ કહે શ્રુતિ,જીવન૦ ।। છો પરમ કલ્યાણકારી,જીવન૦ । એવી નૌત્તમ મૂર્તિ ન્યારી,જીવન૦ ।।૬।। તમે કોટિ બ્રહ્માંડાધીશ,જીવન૦ । વળી સર્વેતણા છો ઇશ,જીવન૦ ।। ધર્મધુંરધર ધન્ય ધન્ય,જીવન૦ । ભકિતધર્મના નંદન,જીવન૦ ।।૭।। અલૌકિક મૂર્તિ આપે,જીવન૦ । જોયે જનમમરણ દુઃખ કાપે,જીવન૦ ।। તમે કાળમાયાના નિયંતા,જીવન૦ । છો ગુણસાગર ગુણવંતા,જીવન૦ ।।૮।। તમે ભવ બ્રહ્માના સ્વામી,જીવન૦ । અકળ મૂર્તિ અંતરજામી,જીવન૦ ।। પતિતપાવન અશરણ શરણ,જીવન૦ । અધમ ઉદ્ધારણ અઘહરણ,જીવન૦ ।।૯।। નખશિખ મૂર્તિ મંગળરૂપ,જીવન૦ । આવે જોએ સુખ અનૂપ,જીવન૦ ।। આનંદ પાવ આનંદ કર,જીવન૦ । આનંદમાં મુખ મનોહર,જીવન૦ ।।૧૦।। આનંદરૂપ અનુપમ એવું,જીવન૦ । સૌ જનને જોયા જેવું,જીવન૦ ।। આનંદ વસન ભુષણ અંગે,જીવન૦ । આનંદ આપો છો ઉછરંગે,જીવન૦ ।।૧૧।। કૃપાસિંધુ છો ઘનશ્યામ,જીવન૦ । ક્રોધ લોભ નિવારણ કામ,જીવન૦ ।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 327

હરિસ્મૃતિ ચિંતામણિઃ- ૬

દોહા : એહ ભરોંસો ભીંતરે, અચળ છે ઉરમાંય ।। શરણાગતની શ્યામળા, સદા કરો છો સહાય ।।૧।। સુખના સાગર શ્રીહરિ, સદા સર્વદા શ્યામ ।। નિજજનના નિધિ નાથજી, પુરૂષોત્તમ પૂરણકામ ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : મૂર્તિ તમારી મહારાજ, સુખકારીજી. ।। સૌ જનનો સુખ સમાજ, સુખકારીજી. ।। સાકાર મૂર્તિ સુખ ભંડાર,સુખ૦ । સ્પરશી બહુ પામ્યા ભવપાર,સુખ૦ ।।૩।। પ્રગટ મૂર્તિ પ્રતાપે,સુખ૦ । સુરાસુર ઉદ્ધાર્યા આપે,સુખ૦ ।। જેજે પ્રગટ પ્રસંગ પામ્યાં,સુખ૦ । તેનાં સર્વે સંકટ વામ્યાં,સુખ૦ ।।૪।। તમથી સરિયાં સૌના કામ,સુખ૦ । તમે સૌના સુખ વિશ્રામ,સુખ૦ ।। સ્પરશી પગ અંગુઠો હવી,સુખ૦ । જન બહુ તારણ જાહ્નવી,સુખ૦ ।।૫।। વળી પદરજ સ્પરશી શલ્યા, સુખ૦ । થઇ ગૌતમ તરૂણી અહલ્યા,સુખ૦ ।। એવો પદરજનો પ્રતાપ,સુખ૦ । ટળ્યો તરત તેનો સંતાપ,સુખ૦ ।।૬।। વળી પદ સ્પર્શતાં કાળી,સુખ૦ । થયો નિર્ભય ભવભય ટાળી,સુખ૦ ।। વૃંદાવનનાં વેલી વન,સુખ૦ । થયાં પદરજથી પાવન,સુખ૦ ।।૭।। ઉદ્ધવ અક્રુરને મન પ્યારી,સુખ૦ । એવી પદરજ છે તમારી,સુખ૦ ।। પગ પાવન પ્રીતે જોઇ,સુખ૦ । તુલસી રહી છે ત્યાં મોઇ,સુખ૦ ।।૮।। એવાં ચરણ સદા સુખકારી,સુખ૦ । ધરે ધ્યાન તેનું ત્રિપુરારી,સુખ૦ ।। શેષ સુરેશ અજ શશિ,સુખ૦ । અર્ક અગ્નિ જે તેજસ્વી,સુખ૦ ।।૯।। નારદ શારદ સહસ્ર અઠ્યાસી,સુખ૦ । તે પણ હરિ પગના ઉપાસી,સુખ૦ ।। એવા અશરણશરણ ચરણ,સુખ૦ । ધારે હરિજન અંતઃકરણ,સુખ૦ ।।૧૦।। પૂજે જન મળી વળી પ્રીતે,સુખ૦ । વળી ચિંતવે છે નિત્ય ચિત્તે,સુખ૦ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 303

હરિસ્મૃતિ ચિંતામણિઃ- ૭

દોહા : અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર ।। જોતા નાવે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર ।।૧।। સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોય ।। સર્વોપરિ છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : પ્રગટ પ્રબળ મૂર્તિ, અચરજકારી છે ।। જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે ।। અકળ અનુપ અમાપ,અચ૦ । કોય કરી શકે નહી થાપ,અચ૦ ।।૩।। અગમ અતોલ અપાર,અચ૦ । નિગમે ન થાય નિરધાર,અચ૦ ।। શિવ બ્રહ્મા સરખા કહે છે,અચ૦ । તોય અતિ અપાર રહે છે,અચ૦ ।।૪।। પ્રગટ મૂર્તિનો મહિમાય,અચ૦ । સર્વે સુખતણી સીમાય,અચ૦ ।। મોટ્યપ હરિમૂર્તિની અતિ,અચ૦ । કેજાતા કહેવાય નહીં કોયવતી,અચ૦ ।।૫।। જેજે હરિ મૂર્તિથી થયું,અચ૦ । તે તે મેં ન જાય કહ્યું,અચ૦ ।। બહુ બહુ થાય ચમત્કાર,અચ૦ । તેને કહેતાં ન આવે પાર,અચ૦ ।।૬।। જે કોય કેદી ન સૂણ્યું કાન,અચ૦ । તે તો દેખાડ્યું ભગવાન,અચ૦ ।। અલૌકિક વસ્તુ આવે લોકે,અચ૦ । તે તો જન સહુ અવલોકે,અચ૦ ।।૭।। અશન વસન સુંદર માળા,અચ૦ । પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા,અચ૦ ।। તલલાડું તોરા હાર,અચ૦ । ફળ ફુલ અમૂલ્ય અપાર,અચ૦ ।।૮।। પામે સમાધિયે તે દાસ,અચ૦ । જાગે જયારે ત્યારે રહે પાસ,અચ૦ ।। જેજે આપે સમાધિ માંયે,અચ૦ । તે તે લઇ આવે જન આંયે,અચ૦ ।।૯।। અમાયિક માયિકમાં આવે,અચ૦ । એથી અન્ય આચરજ શું કાજાવે,અચ૦ ।। વળી અનેક પરચા આપે,અચ૦ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 333

ધીરજાખ્યાન કડવું:– ૧

રાગ:-ધન્યાશ્રી સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી ઢાળ:- પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ ।। દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ ।। ૨ ।। અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ ।। પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ ।। ૩ ।। નિજ દાસને દુશ્મન જન, ઘડીઘડીએ ઘાત કરે ઘણી ।। ક્ષણુક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહ તણી ।। ૪ ।। જેમ પડે જનને પાંસરું, તેમ કરે છે એ કૃપાનિધિ ।। સુખ દુઃખ ને વળી સમ વિષમે, રાખે છે ખબર બહુ વિધિ ।। ૫ ।। જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન ।। એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન ।। ૬ ।। આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય ।। પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય ।। ૭ ।। જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી ।। જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે દી હરિ ।। ૮ ।। જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ કડવી કસાયલી ।। દર્દારિ દિયે દર્દીને, ટાળવા ઉપાધિ બાહેર માંયલી ।।૯।। કુપથ્ય વસ્તુ કે દી ન દિયે, ખાવા તે ખોટે મષે કરી ।। નિષ્કુળાનંદ એમ નિજજનની, સા’ય કરે છે […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 275

ધીરજાખ્યાન કડવું:– ર

આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી સમજી વિચારી કયાર્ં ઉલ્લંઘનજી, ભાવશું ભજયાં શ્રી ભગવનજી ભજયા ભગવાન ભાવશું, સાબિત કરી શિરસાટ ।। લાલચ મેલી આ લોકસુખની, લીધી અલૌકિક વાટ ।। ૨ ।। તે ભકત પ્રહલાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જેદેવ ।। વિભીષણ અંબરીષ આદિ, ભજયા હરિ તજી બીજી ટેવ ।। ૩ ।। શિબિ વળી સુધનવા, ઋભુ ને રંતિદેવ કહિયે ।। નળ મુદગલ મયુરધ્વજ, હરિશ્ચંદ્ર હરિજન લહિયે ।। ૪ ।। શુક નારદ ને સનકાદિક, જડભરત જાજળી જાણિયે ।। આરુણી વળી ઉપમન્યુ, ખરા ખપવાળા એ વખાણિયે ।। ૫ ।। ઊંડું વિચારી અંતરમાં, જાણી લીધું જેમ છે તેમ ।। ખાટ્ય થોડી ને ખોટ્ય ઘણી, એહ મારગે ચલાય કેમ ।। ૬ ।। અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહિ પાર ।। જેમ ધાંખે ખાયે ધંતૂર નર, તેમા નાવે સુખ નિરધાર ।। ૭ ।। એવું જોઈ સુખ આ જકતનું, જેનું માન્યું નહિ કિયાં મન ।। તજયું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન ।। ૮ ।। મોટા દુઃખને મટાડવા, કસી કમર કરડાઈ કરી ।। જીતિયે કે જાય જીવથી, પણ એ દુઃખમાં ના’વિયે ફરી ।।૯।। એવો આગ્રહ જેણે આદર્યો, કરી અંતરે ઊંડો વિચાર ।। નિષ્કુળાનંદ એવા જનની, શ્રીહરિ કરે છે સાર ।।૧૦।। કડવું – ૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 329

ધીરજાખ્યાન કડવું:– ૩

શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી સુખદુઃખ આવે જો તેમાં દિનરાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન ।। દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન ।। ૨ ।। વણ તોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને ।। સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને ।। ૩ ।। તેમાં કાયરતા કોરે કરી, હૈયે હિંમત રૂડી રાખવી ।। મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી ।। ૪ ।। જેમ શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ ।। તેમ તેમ મલકાય મનમાં, વળી નાખે મૂછે તાવ ।। ૫ ।। ઘણે દુઃખે મુખ ઊજળું, રહે શૂરવીરનું સદાય ।। અલ્પ દુઃખે અણોસરો, રાત દિવસ રહે હૃદયામાંય ।। ૬ ।। મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય ।। ભીડ્ય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં સુધી ઝાંખ્યપ નવ જાય ।। ૭ ।। શૂરા સંતનું સરખું કહિયે, તન ઉપર એક તાન ।। શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ।। ૮ ।। સંકટના સમૂહ માંહી, દિલે દીનતા આણે નહિ ।। ચડ્યો રહે કેફ ચિત્તમાં, તેને સમ વિષમ ગણતી સહિ ।।૯।। ઇચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ ।। નિષ્કુળાનંદ એ ભકત કહિયે, નારાયણના નિષ્કામ ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 302

ધીરજાખ્યાન કડવું:– ૪

જેનાં કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર ।। ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર ।। ૨ ।। જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર ।। દરજી કસે દુકૂળને, લોહને કસે છે લુહાર ।। ૩ ।। જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ ।। એમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।। જાણો જેમ શોધાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે ।। રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી ચાંદી કહેવાય છે ।। ૫ ।। રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી ।। તેહ શોધ્યાથી સહુ સમઝો, વધી કીમત સઘળી ।। ૬ ।। વળી જેમ બીજી ધાતુને, ગાળી બાળે મેલ માંયથી ।। તેને તોલે જે ભેગે ભરી, અન્ય ધાતુ આવતી નથી ।। ૭ ।। જેમ પરિયટ પટકે પટને, વળી દિયે મૂશળનો માર ।। ત્યારે મેલ માંહ્યલો, નવ રહે રતી નિરધાર ।। ૮ ।। જેમ મજીઠને ખાંડે ખરી, રૂડી રીતશું રંગરેજ ।। ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ ।।૯।। એમ ભકત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ ।। નિષ્કુળાનંદ એ ભકતનો, વળી વધે અધિક પ્રતાપ ।।૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 261
Powered By Indic IME