Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો :- ભૂપ  કહે  વર્ણીન્દ્રને,  અનુકંપા  કરો  વળી  આજ; અદ્ભુત લીલા હરિ તણી, સંભળાવો મને મુનિરાજ.1 ચોપાઈ :- વરણીન્દ્ર  કહે  સુણ  રાય,  કહું  પારણાની  રચનાય; જેમાં  પોઢે  છે  સુંદર  શામ,  તે  તો  છે  ઘણી  શોભાનું  ધામ.2 સાવ સોનાનું શોભે અથાગ, માંહિ કોતર્યા સુર નર નાગ; માંહિ  કોતયાર્ં  ચિત્ર  વિચિત્ર,  વૃક્ષ  વેલી  ને  પુષ્પ  પવિત્ર.3 માંહિ  પર્વત  મેરુ  રહે  છે,  માંહિ  સાગર  સરિતા  વહે  છે; હંસ    પોપટ  ઉપર  જે  છે,  જાણે  પક્ષી  સજીવન  તે  છે.4 જોઇ  ચિત્તમાં  કરતા  વિચાર,  ભાસે  બ્રહ્માંડનો  જ  આકાર; મોરવાયા  દિસે  છે  બે  કેવા,  ધ્રુવ  ઉત્તર  દક્ષિણ  જેવા.5 દાંડી  છે  શિશુમાર  સમાન,  તેમાં  હીરા  છે  તેજનિધાન; શોભે  ઝુમ્મર  સૂરજ  ચંદ,  હીરા  તે  તો  તારા  તણાં  વૃંદ.6 તેમાં  પારણું  પૃથ્વી  અનૂપ,  દોરી  હીરાની  શેષ  સ્વરૂપ; આખા વિશ્વના અંતરજામી, તે તો પોઢ્યા છે પારણે સ્વામી.7 ઊંચે  નીચે  તેને  ચારે  પાસે,  મણિ  માણેક  જડિત  પ્રકાશે; એક  સમય  સુવાસિની  બાઇ,  લેવા  હરિને  ગયાં  હરખાઇ.8 જઇ પારણામાં જોયું જયાંય, અતિ અચરજ દીઠું છે ત્યાંય; ઘણા  હીરામાં  હરિવર  કેરાં,  પ્રતિબિંબ  પડ્યા  છે  ઘણેરાં.9 ઊપજયો  ઉર  સંભ્રમ  એવો,  કયા  બાળકને  તેડી  લેવો; તે  તો  બાઇ  છે  બુદ્ધિનિધાન,  તેણે  કેમ  જાણ્યા  ભગવાન.10 જમણે  ગાલે  ટિબકડી  છે  જેહ,  પ્રતિબિંબે  ડાબે  દીઠી  તેહ; તેથી  સત્ય  સ્વરૂપને  જાણી,  તેડી  લીધા  અતિપ્રેમ  આણી.11 સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, અહો આશ્ચર્ય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1473

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો :- હે  અભેસિંહ  સુણો  હવે,  કહે  વર્ણી  અચિંત્યાનંદ; જે  સંસ્કાર  વૃષે  કર્યા,  તે  કહું  ધરી  આનંદ.1 ચોપાઈ :- જાતસંસ્કાર  પેહેલો  જાણું,  જિહ્વામાર્જન  બીજો  પ્રમાણું; મેધાજનન  ત્રીજો  કહેવાય,  તે  મેં  તમને  કહ્યા  છે  રાય.2 ચોથો સંસ્કાર પયપાન જે છે, માસ બીજો બેસે ત્યાં કરે છે; શુદિ  દશમી  ગુરુવાર  જયારે,  પયપાન  કરાવિયું  ત્યારે.3 શુદિ  વૈશાખની  એકાદશી,  ભૃગુવારી  પિતા  મન  વશી; ત્યારે  પારણે  પોઢાડ્યો  બાળ,  પાંચમો  સંસ્કાર  નૃપાળ.4 વિશ્વકર્મા  તે  પારણું  લાવ્યા,  દિસે  હીરા  હજારો  જડાવ્યા; તેનું  વર્ણન  અધિક  ઉમંગે,  સંભળાવીશ  બીજે  પ્રસંગે.5 ચોથા  માસમાં  શાસ્ત્ર  પ્રમાણે,  કર્યું  નામકરણ  શુભ  ટાણે; માસ  અષાઢ  છે  નિરધાર,  વદી  સાતમ  ને  ગુરુવાર.6 માસ પાંચમો તે બેઠો જયારે, શુદી એકાદશી આવી ત્યારે; ભૂમિ  ઉપર  પ્રથમ  બેસાર્યા,  એમ  સંસ્કાર  સાત  સુધાર્યા.7 છઠે  માસે  આસોશુદિ  બીજે,  આઠમો  સંસ્કાર  કહીજે; અન્નપ્રાશન  પ્રથમ  કરાવ્યું,  જેવું  વેદે  વિધાન  બતાવ્યું.8 શરદ  પૂનમ  ને  ગુરુવાર,  કર્ણવેધ  કર્યો  સંસ્કાર; આવ્યો જન્મ દિવસ વળી જયારે, કર્યો અદ્ભુત ઉત્સવ ત્યારે.9 ક્રિયા  સર્વે  તે  શાસ્ત્ર  પ્રકાર,  કરી  ને  દાન  દીધાં  અપાર; લેવા દાન જાચક બહુ આવ્યા, ધર્મ ભકિતએ સૌને રીઝાવ્યા.10 ઉપજાતિવૃત્ત :- શ્રીદેવશર્મા તણી ભકિત દારા, દે છે ઘણાં દાન થઇ ઉદારા; કરે  જનો  જાચક  વારતા  છે,  સુદારતા  સાથ  ઉદારતા  છે.11 દિધા થકી દાન વળી વિશેષ, કીર્તિ વધી ત્યાં સરવારદેશ; ઘણા દ્વિજોની મનવૃત્તિ એવી, પોતાની કન્યા વૃષઘેર […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 490

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦પ

 ઉપજાતિવૃત્ત :- ધર્મપ્રિયા પુત્ર વિજોગ પામી, તેથી થયો ખેદ રહી ન ખામી; કરી  તહાં  તો  સ્તુતિ  તર્તખેવ,  જે  જે  દયાળુ  હનુમંત  દેવ.1 અથ હનુમંતાષ્ટકઃ વસંતતિલકાવૃત્ત :- જે  જે  દયાળુ  હનુમંત  પવિત્ર  દેવ, સ્નેહે  સજે  સકળ  દેવ  તમારી  સેવ; છો  કષ્ટ  નષ્ટ  કરનાર  સહાયકારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.2 સીતા  તણી  તરત  સૂધ  તમે  જ  લીધી, લંકાપુરી  પણ  તમે  જ  પ્રજાળી  દીધી; લીધો  વિભીષણ  સુભકત  તમે  ઉગારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.3 દ્રોણાચળે  પવનપુત્ર  તમે  સિધાવ્યા, બુટ્ટી  વિશલ્યકરણી  બળવંત  લાવ્યા; પીડા  તમે  તરત  લક્ષ્મણની  નિવારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી. 4 ઐરાવણે  વળતિ  સાનુજ  રામ  લીધા, પાતાળમાં  વિચરી  ત્રાસ  વિશેષ  દીધા; ત્યાં  જૈ  તમે  ભલું  પરાક્રમ  કીધ  ભારી, હે  રામદૂત  હનુમંત  વિપત્તિહારી.5 જે  જે  કરે  સ્મરણ  સંકટ  સૌ  હરો  છો. ભીતિ  મટાડી  બધી  નિર્ભયતા  કરો  છો; છોજી  તમે  પરમ  નૈષ્ટિક  બ્રહ્મચારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.6 કીધી  તમે  સ્થિતિ  કપિધ્વજની  ધજામાં, કીધો  જઇ  સુજય  કૌરવની  પ્રજામાં; સેના  સમસ્ત  રિપુની  રણમાં  વિદારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.7 છોજી  કૃપાળુ  કુળદેવ  તમે  અમારા, પૂજયાં  અમે  ચરણ  ચિત્ત  ધરી  તમારાં; માટે  હરો  સકળ  આ  વિપદા  અમારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.8 આવે    સમે  સમરતાં  તતકાળ  આવો, જયાં  હોય  ત્યાંથી  મુજ  બાળક  તર્ત  લાવો; કૃત્યા  કુપાત્ર  હરી  લૈ  ગઇ  છે  નઠારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.9 ઉપજાતિવૃત્ત :- સ્તુતિ સુણી ત્યાં હનુમાન […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1604

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૪

અથ અસુરોપદ્રવકથનમ્ વસંતતિકાવૃત :- દૈવી  જનોને  દિલમાં  થઇ  શુદ્ધ  બુદ્ધિ, છે  ઇન્દુમાં  અમૃતતા  થઇ  તેની  વૃદ્ધિ; હર્ખ્યા  મુનીન્દ્ર  વળી  સૌ  નર  નાગ  દેવો, જન્મ્યા  જગત્પતિ  વધ્યો  અતિ  હર્ષ  એવો.1 જેઓ  અધર્મિ  ગુરુઓ  ધન  ધૂતનારા, જન્મ્યા  હતા    અસુરઅંશ  મહા  નઠારા; શ્રીધર્મના  તનુજનો  અવતાર  જાણી, પામ્યા  વિશેષ  પરિતાપ  ઉદાસી  આણી.2 પાખંડી  નાશિ  ગત  પર્વતની  ગુફામાં, ને  કૂડપંથિ  પડીયા  જઈને  કુવામાં; નાસ્તિક  ઝાળ  દવની  વચ  ઝંપલાય, વામી  વિશેષ  દુઃખથી  વિખ  ખૂબ  ખાય.3 જે  મંત્ર  જંત્ર  અભિચાર  વિચારવાળા, તે  તો  થયા  વદન  ને  તન  વર્ણ  કાળા; વેદાંત    શુષ્ક  મતવાદિ  મુઆ  બળીને, શોધે  ઉપાય  વળી  કોઈ  ખળો  મળીને.4 પાપી  કળિ  નિજ  તણો  પરિવાર  લૈને, ભાતુ  કર્યું  નિકળવા  તન  સજ્જ  થૈને; જે  કામ  ક્રોધ  મદ  મોહ  અધર્મવંશ, બીના  બધાય  હરિજન્મથી  જેમ  કંસ.5 ઉપજાતિવૃત્ત :- સંસ્કાર જીહ્વાપરિમાર્જનાખ્ય, બીજો સુમેધાજનનાખ્ય દાખ્ય; તે  જાતસંસ્કાર  કરી  કરાય,  તાતે  કર્યા  જેમ  યથાર્થ  થાય.6 દેવો કરી દર્શન સૌ સિધાવ્યા, માંચી વિષે શ્રીહરિને ધરાવ્યા; આનંદમાં વાસર વીતિ જાય, માતા પિતાને પળમાત્ર થાય.7 છઠ્ઠે  દિને  પૂજન  ષષ્ઠિકાનું,  કર્યાથી  હૈયું  હરખ્યું  પિતાનું; તેવે  સમે  દાનવ  કાળિદત્ત,  પ્રસિદ્ધ  જે  માંત્રિકમાં  પ્રમત્ત.8 શ્રીકૃષ્ણનો  શત્રુ  ગણાય  એહ,  લેવા  થયો  તત્પર  વૈર  તેહ; કહે અભેસિંહ અહો સુધર્મી, એતે હતો કોણ મહા અધર્મી ?9 શિખરિણીવૃત્ત :- કહે  વર્ણી  વાણી  અભયનૃપતિ  તે  કહું  તને,તમે  પૂછો  છો  તે  પ્રથમ  પણ  પૂછ્યું  હરિજને; […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1500

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૩

દોહરો :- ધર્મ  ભકિત  સ્તુતિ  ઉચ્ચરે,  પ્રેમે  જોડી  પાણ; જય  જય  સમસ્ત  જીવન,  પ્રભુજી  જીવનપ્રાણ. કોકિલવૃત્ત-વેદસ્તુતિનું :- જયજય  જીવના  પરમ  જીવન  પ્રાણ  પ્રભો, નિજજન પાળ છો વરદ વિશ્વનિવાસ વિભો; નિજકર  મોરલી  ધરણ  હે  કરુણાયતન, રમણીય  રાધિકારમણ  શ્યામ  સુખાયતન.2 મુનિપતિ  માવજી  અકળ  ઇશ  અજેશ  હરી, નિજજનના  મનોરથ  પ્રપૂર્ણ  દીધા  જ  કરી; સદગુણના  નિધિ  જગદધીશ  જયાધિપતિ,તવ  પદપદ્મને  પ્રણમીયે  પ્રિયજાણી  અતિ.3 ભવભીત  ભાંગવા  ભજન  ભકત  તમારું  કરે,તવ  પદ  માનીને  સુખદ  દિલ  સદૈવ  ધરે; મુનિ  જન  ઇંદ્રિયો  વશ  કરી  તમને  જ  ભજે,તવ  પદ  પામવા  જગની  આશ  સમસ્ત  તજે.4 જય  નવ  મેધના  સમ  શરીર  નવીન    નિધી, અમપર  નેહની  નજર  આપ  અમાપ  કિધી; નખમણિ  કોટિધા  રવિ  શશાંક  સમાન  લસે, હરિજનના  સદા  હૃદયમાં  જ  નિવાસ  વસે.5 અજ ભવ આદિને અતિ અસહ્ય તમારી અજા, તવ  પદનાવથી  તરી  શકાય  તરે  ન  ભુજા; પરમ  પવિત્ર  તે  ચરણ  આજ  દીઠાં  જ  અમે, અમ  પર  રીઝિયા  અધિક  હેત  ધરી  જ  તમે.6 શ્રુતિગણ  સાંગ  જે  ચરણના  ગુણ  ગાય  સદા, શરણ  લીધું  અમે  ચરણનું  મન  માંહિ  મુદા; તજી  ન  જશો  કદી  પ્રણતપાળ  દયાળ  તમે, પદ  નમી  માગિયે  વદનથી  વર  એ  જ  અમે,7 પ્રભુ  તવ  રૂપનો  સુરથી  નિર્ણય  થાય  નહીં, જુગજુગ  જન્મનું  ધરણ  એ  જ  નિમિત્ત  અહીં; ચરિત  રુડાં  કરો  સ્વજનને  સુખદેણ  વળી, ગુણગણ ગાય તો ભવની ભીતિ ગણાય ટળી.8 દઇ  નિજ  જ્ઞાનને  જન  તણી  […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1514

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૨

અથ શ્રીહરિજન્મસમયે વસંતાગમનવર્ણન :- દ્રુતવિલંબિત :- ઉપવને પવને ત્રિવિધી ધરી, સરસતા  રસતાની બહુ કરી; ખગ રુડાં ગરુડાદિ ગણાય છે, સુમનથી મનથી હરખાય છે.1 વન વિષે નવિ શેવતિયો દિસે, બહુ લસે હુલસે જન તે વિષે; ઉચરતી ચરતી વળી કોકિલા, ઠીક થતી કથતી જશ શું ઇલા.2 જનમતી નમતી લતિકા બહુ, અગણિતો ગણિતો ગણિ શું કહું; અભવ સંભવ સંધિથી રાચતી, વનટકી નટકી કિશું નાચતી.3 ભ્રમરજી  મરજી  મનમાં  ધરી,  રવ  કરે  વકરે  મધુતા  હરી; ભજનમાં જનમાં મલકાય છે, ખચિતથી ચિત્તથી ગુણ ગાય છે.4 કમળતો મળતો ગુણ સંઘરે, વિમળતા મળતા તજીને ધરે; અમિતમાં મિતમાં જળમાં સહી, વશિ રહે શિર હેઠું કરે નહી.5 સકળિયો કળિયો સુપલાશની, વનફુલી ન ફુલી કળિ ઘાસની; દ્રુમલતા મળતા રિતુમાં ખિલે, પથરના થર ના કદીયે ફુલે.6 અસુરની સુરની સહુ સંપદા, પ્રસરવા સરવાર વિષે તદા; વિદિશથી દિશથી વશિ નેહથી, અચળ થૈ ચળ થૈ ખળ ગેહથી.7 સુકવિ તો કવિતો રિતુના કરે, રચિરચી ચિર ચિત્ત વિષે ધરે; વસુમતી સુમતી જન જે સજે, અચરના ચરના પતિને ભજે.8 ઉપજાતિ :- વસંતમાં  સંત  તથા  અસંત,  આનંદ  પામે  ઉરમાં  અનંત; ભાનુ પ્રકાશે સુખ થાય ભારી, ક્રિયા જુદી સજ્જન ને શિકારી.9 ભકિત તણા અંગનું તેજ જેહ, વસંતથી ઓપ્યું વિશેષ તેહ; તે  જેમ  કાંતિ  જળજાત  કેરી,  ભાનૂ  પ્રકાશે  પ્રગટે  ઘણેરી.10 તેવે સમે સૌ સુર વજ્રપાણિ, પ્રભુ તણો પ્રાદુરભાવ જાણી; અજાદિ તે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1447

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૧

બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ   શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ  શ્રીહરિકૃષ્ણ  ધર્મસદને  જૈ  જન્મ  જેણે  ધર્યો, કૃત્યાનો વળી  કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. દોહા :- હરિલીલામૃતનો   હવે,  બીજો    કળશ    રસાળ; કહું   સુણો   શ્રોતા   સહુ,   કહે   વિહારીલાલ.2 કહે  અચિંત્યાનંદને,  અભયસિંહ  ભૂપાળ; કથા  સુણાવો  શુભ  મને,  કરુણા  કરી  કૃપાળ.3 ધર્મ  ભકિત  ને  શ્રીહરિ,    દેહ  ધર્યા  જે  દેશ; બાળલીલા  બહુનામીની,  વરણન  કરો  વિશેષ.4 ભાવ  ભાળી  ભૂપાળનો,  ઉચર્યા  વરણીરાજ; સુણવા ઇચ્છો શુભ કથા, ધન્ય ભકત શિરતાજ.5 હરિચરિત્ર  સુણવા  તમે,  ચિત્ત  ધરો  છો  ચાહ; તો  તે  કહેવા  છે  મને,  અંતરમાં  ઉત્સાહ.6 બીજા  ગ્રંરથોમાં  બહુ,  છે  જેનો  વિસ્તાર; વિશેષ  વર્ણન  તેહનું,  નહીં  કહું  આ  ઠાર.7 અધિકપણે  હું  આજ  તો,  ઉચરીશ  અપૂર્વ  વાત; વૃદ્ધ  જનોના  વદનથી,  સુણેલી  જે  સાક્ષાત.8 જે  જે  સ્થાને  જનમીયા,  ધર્મ  ભકિત  મહારાજ; કહું  કથા  હું  તે  વિષે,  વિશેષ  કહેવા  કાજ. વર્ણિરાજનાં વચન સુણી, સુરસિક સુધા સમાન;9 ભાવિક  ભૂપતિ  ભકતનું,  ચિત્ત  થયું  ગુલતાન. જેમ  લોભીને  ધન  જડે,  જડે  અંધને  નેણ;10 તેમ  કથામૃત  પ્રાપ્તિ  તે,  દિલ  લાગી  સુખદેણ. છીપ  સ્વાતિ  જળ  ઝીલવા,  ઉંચી  ઉછળે  જેમ;11 ઉછળે  લોહ  ચમકભણી,  થયું  ભૂપ  મન  તેમ. શંકર  સમ  વર્ણીય  છે,  ભગીરથ  સમ  નરનાહ;12 વચ્ચે  કથાગંગા  તણો,  પ્રગટ્યો    પુનિત  પ્રવાહ. પાવન  કૃષ્ણચરિત્ર  જળ,  ધર્મ  જ્ઞાનતટ  જાણ;13 ભેદ  ભકિત  વૈરાગ્યના,  […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1470

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૨૦

પૂર્વછાયો:- ભાખે અભેસિંહ ભૂપતિ,  સુણો વિનતિ  વરણીરાય; ઈચ્છા અધિક ઉર ઊપજી, આપ મુખથી સુણવા કથાય. 1 ચોપાઈ:- પ્રશ્ન પૂછું તે ઉત્તર આપો, મારા મન  તણો સંશય  કાપો; સંપ્રદાય આ  ઉદ્ધવી કેરાં, મોટાં મંદિર તો છે ઘણેરા. 2 ધાતુ પાષાણની પ્રતિમાય, ભલી ભાસે છે મંદિર માંય; શ્રીજીયે જ સ્વહસ્તે જે થાપી, કયાં કયાં પ્રેમીને પૂજવા આપી. 3 અનુક્રમથી કહો મને આજ, સ્થાપી પ્રથમથી કયાં મહારાજ; બોલ્યા વર્ણી રાજી થઈ  બહુ,  તમે સાંભળો તે હવે કહું. 4 સ્થાપ્યા પ્રથમ તો ગઢપુર જયાંય, વાસુદેવને ઓરડામાંય; ધર્મભકિત તેની જોડે સ્થાપ્યાં, એનાં ઐશ્વર્ય વિશ્વમાં વ્યાપ્યા. 5 એ છે ઓરડો ઉત્તર દ્વારે,  તેનો મહિમા મુનિ મન  ધારે; પછી વરતાલમાં પ્રભુ આવ્યા, નરનારાયણ પધરાવ્યા. 6 અમદાવાદમાં બહુનામી, સ્થાપ્યા નર ને નારાયણ સ્વામી; સંપ્રદાય થવા દઢ ધારી,  સ્થાપિ મૂર્તિયો જન  હિતકારી. 7 ભુજમાં તે પછી તતખેવ,  સ્થાપ્યા નર ને નારાયણ દેવ; વરતાલ વિષે કરી ધામ, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ નામ. 8 બીજા ખંડમાં માતા-પિતાની, ત્રીજી મૂર્તિ તો સ્થાપી પોતાની; વૃંદાવનવિહારી ખંડ  ત્રીજે, જોડે રાધિકા દેવી  કહીજે. 9 પોતાની છબીને કૃષ્ણ સાથે,  પધરાવી છે પોતાને હાથે; અવરતાની  મૂર્તિયો  ત્યાંય,  પધરાવી  છે મંડપ  માંય. 10 મત્સ્ય  કચ્છને વળી  વારાહ, જન જોઈ કહે વાહવાહ; શેષશાયી ને નરસિંહ નામ,સ્થાપી સૂર્યની મૂર્તિ તે ઠામ. 11 હનુમાન  તથા  ગણનાથ,  સ્થાપ્યા  શંકર  પાર્વતીસાથ; હતા નર ને નારાયણ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 2063
Powered By Indic IME