Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો :- ભૂપ અભેસિંહ સાંભળો, કહું હરિ  ચરિત્રની વાત; મહાપ્રભુ મહાહૃદ થકી, પછી ચાલ્યા ઉઠીને પ્રભાત.1 ચોપાઈ :- હૃદકાંઠે  ચાલ્યા  દિનરાત,  મળી  ત્યારે  જોગીની  જમાત; શત  પાંચ  દિગંબર  દિસે,  ગુરુ  એક  મોટો  તેહ  વિષે.2 તેણે  સાધેલો  જોગ  કહાવે,  સર્વ  શિષ્યોને  જોગ  સધાવે; એક  શિષ્યે  કહી  એવી  વાત,  ગુરુ  સિદ્ધ  છે  આ  સાક્ષાત.3 એણે  સિદ્ધ  કર્યો  હઠજોગ,માટે  નવ  નડે  કાળ  કે  રોગ; જયારે  કાળ  લેવા  તેને  આવે,  બ્રહ્મરંધ્રે  તે  પ્રાણ  ચડાવે.4 તેથી  કાળ  ન  ફાવે  લગાર,  થયાં  જોગીને  વર્ષ  હજાર; મળ્યા  જોગીને  શ્રીઘનશામ,  પાંચ  દિવસ  ઠર્યા  તેહ  ઠામ.5 એક દિવસ તે બોલ્યા જોગીશ, ગામ છે અહિંથી કોશ વીશ; ત્યાંનો રાજા મહાસિદ્ધ જે છે, મોટો શિષ્ય અમારો જ એ છે.6 હઠજોગ  તો  સાધ્યો  છે  એણે,  નથી  રાખી  કચાશ  જ  તેણે; ક્રિયા જે જે કરું છું હું અત્ર, તે તો જાણે રાજા રહ્યો તત્ર.7 ક્રિયા  જે  જે  કરે  છે  તે  રાય,  અહિં  બેઠાં  મને  તે  દેખાય; મળ્યા  આપણે  બે  સાક્ષાત,  તે  તો  રાજાએ  જાણી  છે  વાત.8 માટે નિર્ખવા મૂર્તિ તમારી, નૃપ આવે છે સજી અસવારી; ત્યારે પૂછે પોતે હરિરાય, તમે કોણ ને વિચરો છો કયાંય ?9 સિદ્ધ બોલ્યો ત્યારે શિર નામી, તમે જાણો છો અંતરજામી; તોય  પૂછો  છો  નરતનું  ધારી,  માટે  હું  કહું  વાત  અમારી.10 આ છે હિમગિરિ તટનો પ્રદેશ, કોઇ જનનો ન […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 376

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો :- મંદિર  બદરીનાથનું,  તહાં  આસન  કરીને  અકાંત; ધ્યાનમુદ્રાએ  ધર્મસુત,  બેઠા  શરીર  મન  કરી  શાંત.1 ચોપાઈ :- એવે  અવસરે  બદરીનાથે,  પૂરા  હેતથી  પોતાને  હાથે; ધર્મપુત્રનું  પૂજન  કીધું,  ધૂપ  દીપ  ને  નૈવેદ્ય  દીધું.2 પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી; અહો  અક્ષરપતિ  મહારાજ,  ધર્યું  તન  ધર્મસ્થાપન  કાજ.3 ભરતભૂમિમાં  સઘળે  ફરશો,  સર્વે  તીરથ  પાવન  કરશો; સારો  ઉદ્ધવનો  સંપ્રદાય,  પ્રસરાવશો  પૃથવીમાંય.4 તજે  અષ્ટ  પ્રકારે  જે  નારી,  એવા  કરશો  સાધુ  બ્રહ્મચારી; તમે  પશ્ચિમ  દેશ  વિચરશો,  મોટાં  મંદિર  સુંદર  કરશો.5 ભરતખંડમાં  આજ  ઠેકાણે,  મારી  મૂર્તિ  તે  કોઇક  જાણે; માટે  ગુજરાત  મધ્યે  વિચારી,  પધરાવશો  મૂર્તિ  અમારી.6 વળી  લક્ષ્મીનારાયણ  આદિ,  પધરાવશો  કૃષ્ણરાધાદિ; એવાં  વચન  કરીને  ઉચાર,  થયા  અંતરધાન  તે  ઠાર.7 ઉપજાતિવૃત્તિ :- એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાકયો ઉચર્યો અનેક; ઉદાસી આત્મા અતિશે જ એનો, દુઃખે દિસે દુર્બલ દેહ તેનો.8 આંખેથી આંસુ અતિશે વહે છે, કષ્ટે ભરેલાં કથનો કહે છે; એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે તુજ દુઃખ શું છે ?9 તે વિપ્ર બોલ્યો કરીને પ્રમાણ, હે સ્વામી ! મારું સતયુગ નામ; મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજરાજ.10 ધર્મ  પ્રવર્તાવનને  જ  કાજ,  તમે  ધર્યો  છે  પ્રભુ  દેહ    આજ; આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો.11 મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 354

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૩

ઉપજાતિવૃત્ત :- હે  ભૂપતિ  શ્રીહરિ  છે  સુજાણ,  પ્રભાતમાં  ઊઠી  કરે  પ્રયાણ; કદાપિ માગે જનપાસ ભિક્ષા, કદાપિ દે છે વળી સારી શિક્ષા.1 આહાર કયારે ફળનો કરે છે, કયારેક તો પેટ જળે ભરે છે; કરે  પ્રભુજી  દિવસે  પ્રવાસ,  વસે  નિશાયે  વનમાં  જ  વાસ.2 એવી  રીતે  તે  વિચર્યા  વિદેશ,  ઉલંઘિયાં  ગામ  પુરો  વિશેષ; વીત્યા ઘણા વાસર એમ જયારે, તે નૈમિષારણ્ય ગયા જ ત્યારે.3 કાલિંદિ ગંગાતટ ભાગ એહ, ગણાય છે પૃથ્વી પવિત્ર જેહ; જયાં નિર્મળી ધેનુમતિ નદી છે, નિવાસ ત્યાં સૌ સુરસાથ ઇચ્છે.4 મુનિ તણા આશ્રમ ત્યાં અનેક, મળ્યા મુનિ સૌ ગણિ ઇષ્ટ એક; લેતાં  સગાં  દર્શનસુખ  જેહ,  દીધું  મુનીને  લઇ  ત્યાંથી  તેહ.5 સર્વે  મુનિને  મન  ધૈર્ય  દીધું,  વિજોગનું  કષ્ટ  વિનાશ  કીધુ; કરી  તહાં  વાસર  ચાર  વાસ,  પછી  પધાર્યા  કરવા  પ્રવાસ.6 આવ્યું જતાં શ્રીપુરનામ ગામ, આદિત્ય અસ્તંગત એહ ઠામ; સમીપ દીઠો મઠ એક સારો, ત્યાં ઓટલે આવી કર્યો ઉતારો.7 મહાંતજી  તે  મઠમાં  રહે  છે,  તે  આવીને  શ્રીહરિને  કહે  છે; હે બ્રહ્માચારી મઠ માંહી આવો, કાં તો તમે ગામ વિષે સિધાવો.8 આવો જમો ભોજન રૂડીભાતે, સુવો સુખેથી મઠ માંહી રાતે; ભાસે નિશામાં ભય સિંહ કેરો, તે પ્રાણીનો નાશ કરે ઘણેરો.9 કહું દયા અંતર માંહિ આણી, માનો મહારાજ અમારી વાણી; કહે હરિ કાંઇ ધરૂં ન ત્રાસ, વસ્તિ વિષે તો ન ગમે નિવાસ.10 ઇચ્છા નથી ભોજનની  અમારે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 344

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૨

પૂર્વછાયો :- હે  નરપતિ  હું  હવે  કહું,  હરિના  વિચરણની  વાત; ચાલ્યા  પ્રભુ  વટ  વૃક્ષથી,  થયું  પ્રગટ  જયારે  પ્રભાત.1 ચોપાઈ :- જયારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ; પ્રભુ  તીર્થોને  પાવન  કરશે,  સઉ  અસુર  તણો  મદ  હરશે.2 વેદધર્મનો  કરશે  પ્રકાશ,  થશે  દેવોનાં  સંકટ  નાશ; સર્વ  દુષ્ટનો  કરશે  સંહાર,  ભૂમિકેરો  ઉતારશે  ભાર.3 પ્રભુ ચાલ્યા જયાં કરવા પ્રવાસ, સર્વે અસુરને ઉપજિયો ત્રાસ; થઇ પૃથવી તો મનમાં પ્રસન્ન, મને પદ રજે કરશે પાવન.4 તીર્થ લાગ્યાં હરખ મન ધરવા, પ્રભુ આવશે પાવન કરવા; મન  નિશ્ચે  કરે  શેષનાગ,  મારાં  પ્રગટિયાં  પૂરણ  ભાગ્ય.5 જે  મેં  પૃથ્વી  ધારી  છે  શીશ,  તેના  ઉપર  ફરશે  મુનીશ; પૃથ્વી  કરશે  ચરણરજરૂપ,  સદા  તે  શિર  ધરીશ  અનૂપ.6 વસે નભમાં જે સૂરજ ચંદ, એને ઉપજયો વિશેષ આનંદ; પ્રભુ  પોઢતા  મંદિરમાંય,  ત્યારે  નવ  થતાં  દર્શન  ત્યાંય.7 વન વિચરશે વસ્તિને ત્યાગી, તેથી દર્શનની આડ ભાંગી; હવે સાંભળો નૃપ ચિત્ત ધારી, ચાલ્યા જાય છે વનમાં મુરારી.8 જવા ઇચ્છા હિમાચળ ભણી, વાટ લીધી ઉત્તર દિશ તણી; જે જે મારગે શ્યામ પધારે, રસ્તો તે આવી પવન સુધારે. 9 વળી  મેઘ  કરે  છંટકાવ,  ભલો  પ્રભુપદમાં  ધરી  ભાવ; વળી  મંદ  સુગંધ  ને  શીત,  એવો  વાયુ  વહે  હરિ  હીત.10 જયારે સૂરજનો તાપ તપે છે, શિર છાયા ત્યાં મેઘ કરે છે; જયારે વાદળાં નભમાં છવાય, ત્યારે દર્શન રવિને ન થાય.11 શોષે  મેઘનું  […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 287

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૧

વનવિહારનામ તૃતીય કલશ પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ  શ્રીવરણીન્દ્રવેષ  ધરીને  જે  તીર્થમાં  જૈ  ફર્યા, દૈવીને  નિજજ્ઞાનદાન  દઇને  દુષ્ટો  વિનષ્ટો  કર્યા; હીમાદ્રી  પુરુષોત્તમાખ્ય  પુરી  જૈ  શ્રીસેતુબંધે  ગયા, કાંચીથી  ગુજરાત  પ્રાંત  થઇને  જે  લોજમાં  જૈ  રહ્યા.1 ઉપજાતિવૃત્ત :- વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું અયોધ્યાપુર કેરી વાત; શ્રીશામ જયારે ઘરથી સિધાવ્યા, પ્રભુ તણા મિત્ર પછીથી આવ્યા.2 જયારે ન જોયા ઘરમાં હરિને, જોયાં બીજાં સ્થાનક તે ફરીને; સરિત્તટે  ને  સુરમંદિરોમાં,  ક્રીડા  કર્યાની  સઘળી  જગોમાં.3 આશા મળ્યાની મનથી તજીને, કહ્યું જઇ રામપ્રતાપજીને; જોયું અમે સ્થાન બધે ફરીને, દીઠા નહીં કોઇ સ્થળે હરિને.4 તે સાંભળીને પડી પેટ ફાળ, લાગી રુદેમાં વિરહાગ્નિ ઝાળ; ભોજાઇ ભાઇ ભયભીત થૈને, રુએ ઘણાં સાસ ઉસાસ લૈને.5 પછી  જઇ  રામપ્રતાપજીયે,  જોયું  પુરીમાં  વળતી  નદીયે; જોઇ જઇને સહુ ફૂલવાડી, જોવા તણી સર્વ મણા મટાડી.6 પછી ઉદાસી થઇ ઘેર આવ્યા, પ્રભુ તણી ભાળ કશી ન લાવ્યા; કુટુંબ  સૌને  ઉપજયો  કલેશ,  રહી  નહીં  ધીરજ  ચિત્ત  લેશ.7 થયા ઉદાસી પુરવાસી લોક, સૌને થયો ચિત્ત અથાગ શોક; રહ્યાં ઘરોઘેર સુઅન્ન રાંધ્યાં, શોકે સહુ ઊપર બાણ સાંધ્યાં.8 દિસે અયોધ્યાપુર આજ કેવું, આત્મા વિના હોય શરીર જેવું; રુવે જનો બાળક ને જુવાન, વૃદ્ધો તણી તો ગઇ શુદ્ધ સાન.9 રુએ અતિશે વળી ભાઇ છોટા, ભાઇ ગયા કયાં મુજથી જ મોટા; માતા પિતા તો ગતબાળ મેલી, મેં જાણ્યું મારો ઘનશામ બેલી.10 […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 591

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૮

ઉપજાતિવૃત્ત :- હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી; જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે.1 શ્રીશામને અષ્ટમ વર્ષ જયારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે; શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય.2 વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય; માટે  નહી  હું  બહુ  વર્ણવીશ,  અપૂર્વ  લીલા  તુજને  કહીશ.3 સર્વજ્ઞ  છે  શ્રીહરિ  બ્રહ્મચારી,  તથાપિ  છે  માનવ  દેહધારી; સર્વે જનોનું હિત ચિત્ત જાણી, વિદ્યા વિશેષે જનકે વખાણી.4 વિદ્યા ભણવા વિષે :- હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી; પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે.5 ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય; બાળાપણે  જે  ન  ભણેજ  જૈને,  જરૂર  પસ્તાય  જુવાન  થૈને.6 જે  પત્ર  નિર્જીવ  દિઠે  જણાય,  વિદ્વાનની  પાસ  સજીવ  થાય; આકાશ  પાતાળ  ભવિષ્યવાત,  કહી  બતાવે  જડપત્ર  જાત.7 જે  પુત્રને  તાત  નહીં  ભણાવે,  બાળાપણે  લાડ  ઘણાં  લડાવે; તે  પુત્રનો  શત્રુ  પિતા  ગણાય,  જુવાન  થાતાં  સુતને  જણાય.8 આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો; પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો.9 વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહિ તે સમાન; પાંખો તથા બે પગ દોડવાના, કયાંથી મળે ભૂતળ બેય વાનાં.10 પક્ષી છતાં પોપટ જો ભણે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 364

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો :- સુણો અભેસિંહ ભૂપતિ, હરિકૃષ્ણનાં ચરિત્ર વિચિત્ર; બ્રહ્મા ભવ સનકાદિ મુનિ, સુણી કરે છે કર્ણ પવિત્ર.1 ચોપાઈ :- પ્રભુ પેખે કળા કોઇ પાસ, એનો અલ્પ કર્યાથી અભ્યાસ; તે તો સર્વ શિખી લે છે આપ, જન આશ્ચર્ય પામે અમાપ.2 કળા  ચોસઠ  જે  કહેવાય,  તે  તો  સર્વે  શિખ્યા  હરિરાય; એ  છે  સર્વજ્ઞ  સર્વના  સ્વામી,  અક્ષરાતીત  અંતરજામી.3 એ  છે  અનંત  કળાઓનું  પાત્ર,  કળા  ચોસઠ  તે  કોણમાત્ર; જનજાતિને  જાણવા  કામ,  કળા  ચોસઠનાં  કહું  નામ.4 જયારે  એવી  કળાઓને  જાણે,  તેને  વિશ્વના  લોક  વખાણે; મોટા  માણસ  દે  સનમાન,  સુખે  પામે  સદા  ધન  ધાન.5 પેહેલી  ગાનકળા  તે  ગણાય,  જેથી  જનમન  રંજન  થાય; જન  ગાઇ  જાણે  રુડો  રાગ,  ઉપજે  સહુને  અનુરાગ.6 રાગે  બાળક  પણ  રહે  છાનું,  રાગે  રીઝે  છે  મન  દેવતાનું; કળા  ગાનની  કલેશ  હરે  છે,  અતિ  આનંદ  અંગ  કરે  છે.7 બીજી  વાદ્યકળા  કહેવાય,  શીખે  તે  જન  ચતુર  ગણાય; નરઘાં  ને  સારંગી  સતાર,  શીખે  એવાં  વાજિંત્ર  અપાર.8 ત્રીજીનું  નૃત્યકળા  છે  નામ,  એ  છે  ચતુરપણાનું  કામ; પ્રભુ  આગળ  નાચવું  ગાવું,  ગમે  ઇશ્વરને  પણ  આવું.9 ચોથી  નાટ્યકળા  ભલી  ભાઇ,  રહે  એમાં  ઘણી  ચતુરાઇ; જેમ  દોર  ઉપર  નટ  ચાલે,  વળી  વિવિધ  રીતે  અંગ  વાળે.10 કળા પાંચમી આલેખ્ય કહિયે, તે તો સ્નેહસહિત શીખી લહિયે; સારા  અક્ષર  લખવાનું  કામ,  ઉપયોગીછે  તે  તો  તમામ.11 ભાલે તિલક રુડું કરી જાણે, વળી તેમાં વિચિત્રતા આણે; […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1491

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૬

 પૂર્વછાયો :- થયું  આંબલીયા  ગામમાં,  ઇચ્છારામનું  સગપણ  જેહ; તેહ  કથા  તમને  કહું,  નરપતિ  સુણો  ધરી  નેહ.1 સગા  જાણી  બળદેવના,  વિશ્રામને  મળવા  કામ; આંબલીયાથી  આવિયા,  જેનું  મંછામિશર  છે  નામ.2 પુત્રી  તેને  એક  વર્ષની,  તેનું  નામ  છે  વરિયાળી  બાઇ; તેના  પિતાએ  ઇચ્છા  કરી,  વૃષવંશમાં  કરવા  સગાઇ.3 ઉત્તમ  કુળ  વૃષદેવનું,  દીઠા  સગા  તેના  કુળવંત; તેથી  સગા  કરવા  તણી,  ઉર  ઉપજી  ચાહ  અત્યંત.4 વાત  પૂછી  બળદેવને,  મન  જાણીને  નિજ  મિત્ર; તે  પણ  બોલ્યા  તે  સુણી,  વૃષવંંશ  છે  પરમ  પવિત્ર.5 કન્યા  દેવા  યોગ્ય  છે,  માટે  કરો  સગાઇ  શુભ  પેર; ભાગ્ય ભલાં હોય આપણાં, ત્યારે આવે એવાં સગાં ઘેર.6 ઉત્તમકુળના  કુંવરને,  દેવા  ઇચ્છે  ઘણા  કન્યાય; મોટો  કુંવારો  નવ  મળે,  શિશુપણ  વિષે  વરી  જાય.7 તે  માટે  શિશુપણ  વિષે,  સહુ  કન્યાની  કરે  છે  સગાઇ; લગ્ન  કરે  છે  તે  પછી,  જયારે  લગ્નલાયક  થાય  બાઇ.8 તે  માટે  તમે  આજથી,  શુભ  કરવા  ધાર્યું  કામ; મુજને  પણ  મનમાં  ગમ્યું,  એવું  ન  મળે  બીજું  ઠામ.9 ઉપજાતિવૃત્ત :- શ્રીમંતની  જે  દુહિતા  ગણાય,  ગરીબને  ઘેર  નહીં  સમાય; જે  સિંધુ  હીમાચળ  કેરી જાઇ,  તળાવમાં  કેમ  રહે  સમાઇ  ?10 કન્યા દિસે જેવી ગરીબ ગાય, જયાં દાન દે ત્યાંજ બિચારી જાય; જોતે જઇ ત્યાં બહુ દુઃખ લે છે, દેનારને શાપ હમેશ દે છે.11 જો કોઇ સારું કુળ તો ગણાય, તથાપિ ત્યાં પુત્રી સુખી ન થાય; સંસારમધ્યે પડી સાક્ષી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1613
Powered By Indic IME