પૂર્વછાયો :- મંદિર બદરીનાથનું, તહાં આસન કરીને અકાંત; ધ્યાનમુદ્રાએ ધર્મસુત, બેઠા શરીર મન કરી શાંત.1 ચોપાઈ :- એવે અવસરે બદરીનાથે, પૂરા હેતથી પોતાને હાથે; ધર્મપુત્રનું પૂજન કીધું, ધૂપ દીપ ને નૈવેદ્ય દીધું.2 પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી; અહો અક્ષરપતિ મહારાજ, ધર્યું તન ધર્મસ્થાપન કાજ.3 ભરતભૂમિમાં સઘળે ફરશો, સર્વે તીરથ પાવન કરશો; સારો ઉદ્ધવનો સંપ્રદાય, પ્રસરાવશો પૃથવીમાંય.4 તજે અષ્ટ પ્રકારે જે નારી, એવા કરશો સાધુ બ્રહ્મચારી; તમે પશ્ચિમ દેશ વિચરશો, મોટાં મંદિર સુંદર કરશો.5 ભરતખંડમાં આજ ઠેકાણે, મારી મૂર્તિ તે કોઇક જાણે; માટે ગુજરાત મધ્યે વિચારી, પધરાવશો મૂર્તિ અમારી.6 વળી લક્ષ્મીનારાયણ આદિ, પધરાવશો કૃષ્ણરાધાદિ; એવાં વચન કરીને ઉચાર, થયા અંતરધાન તે ઠાર.7 ઉપજાતિવૃત્તિ :- એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાકયો ઉચર્યો અનેક; ઉદાસી આત્મા અતિશે જ એનો, દુઃખે દિસે દુર્બલ દેહ તેનો.8 આંખેથી આંસુ અતિશે વહે છે, કષ્ટે ભરેલાં કથનો કહે છે; એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે તુજ દુઃખ શું છે ?9 તે વિપ્ર બોલ્યો કરીને પ્રમાણ, હે સ્વામી ! મારું સતયુગ નામ; મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજરાજ.10 ધર્મ પ્રવર્તાવનને જ કાજ, તમે ધર્યો છે પ્રભુ દેહ આજ; આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો.11 મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)