Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૭

પંચ જ્ઞાનઇન્દ્રિયો વશ રાખી હોય, તો એની વાંસે ઓલી પાંચ છે. માટે ઝાઝો પંચવિષયનો જોગ જ થાવા દેવો નહિ ને જોગ થયે પાછું સમુ રહે તેવું નથી. માટે જેટલું અવશ્ય હોય તે કરવું, બાકી પડ્યું મૂકવું ને તેમાં દોષ જોવા એને જ્ઞાની કહ્યો છે. ને કેટલાક તો કાનમાં પૂંમડા ઘાલી મૂકે છે, તે સાંભળવું ઘટે તે ટાણે કાઢી લે ને જોવું ઘટે તે જુએ, પણ પાંચ હાથથી છેટે દષ્ટિ જાય નહિ, એમ જ સૂંઘે નહિ, તેમજ ત્વચાને એક ઓછું પાથરી દેવું પણ વધુ નહિ. તે વિના ન ચાલે તો એકલશૃંગીની પેઠે થાશે, માટે બીતા રહેવું ને પાપ મૂકવાં ને પ્રભુ ભજવા એ સિદ્ધાંત રાખવો. ।।૨૧૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૮

અને છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં વાત આવી જે, ‘તપ, ત્યાગ, યોગ અને યજ્ઞે જેવો વશ નથી થાતો, તેવો સત્સંગે કરીને થાઉં છું.’ એમ શ્રીકૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યુંછે. એ વાત આવી ત્યારે સ્વામી કહેઃ ‘આ વાત સાંભળો, હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે. એ વંચાવીને કહ્યું કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞે વશ નથી થતા તે સત્સંગે કરીને થાય છે. એ સત્સંગ આપણને મળ્યો છે પણ જણાતો નથી,સાધુ મળવા તો દુર્લભ છે ને આ સહુ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે, સહુને સમજાય નહિ. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે, તે કાંઇ સમજતા નથી.તે રઘુવીરજી મહારાજ આદિ મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા તેને મૂકીને ત્રણસો માણસ દરિયો જોવા દોડ્યું. ત્યારે તો દરિયા જેવાયે રઘુવીરજી મહારાજ આદિ નહિ ને ? પણ જ્ઞાન કયાં ? આને મૂકીને બીજાને વળગે છે,તેમાં શું પાકશે? સાધુ મળે એમ કયાં છે ? તે કહ્યું છે જે – પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ,મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે, કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ,સકલ વિનાશવંત અંતર વિચારિયે; સબ હિ જહાનમેં હિ દૂસરો ઉપાય નાહિં,ચરનુંમે શિશ મેલી દીનતા ઉચ્ચારિયે, કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી,કુને એસી ભેટ ગુરુરાજ આગે ધરિયે ? હે તો સો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૧૯

પછી ચૈતન્યાનંદસ્વામીની વિસ્તારે વાત કરીને કહ્યું જે,‘એવો રજોગુણ હતો તે બાળમુકુંદાનંદસ્વામીએ ધીરે ધીરે પુરુષોત્તમપણાની વાતો કરીને સાધુનું માહાત્મ્ય કહીને બધુંયે કઢાવી નાખ્યું તે એક આસન ઉપર સૂવું ને ઠાકોરજી આગળ ઊભા રહીને સ્તુતિ કરે જે, ‘તમારા સાધુ ઓળખાતા નથી તે ઓળખાવો.’ એવા કરી દીધા; તે સાધુથી થાય.’ ।।૨૧૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨ર૦

એક જણે પ્રશ્ન પૂછ્યું જે,‘જીવમાં કાચપ તો ઘણી છે તેથી આત્યંતિક મોક્ષ તો નહિ થાય, તે જયારે કસર ટળશે ત્યારે થાશે તે કસર ટાળવા કયાં રાખશે ? ને જો કોઇક લોકાંતરમાં ભગવાન મેલે તો તો આંહીના થી ત્યાં વધુ વિષય ભોગ છે, ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય ? એમાં તો રહેવાય એવું જણાતું નથી તે હમણાં આવા સાધુનો જોગ મળ્યો છે, ત્યાં જ કસર મંદ શ્રદ્ધાથી નથી ટળતી; પણ દેહ મૂકયા પછી આવા સાધુનો જોગ મળે તો કસર ટળે. માટે એવાનો જોગ મેળવશે કે નહિ, કેમ કરશે ?’પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, જયાં આવા સાધુ હશે, ત્યાંજ રાખીને કસર ટાળશે. હમણાં જણાતું નથી, પણ આ દેહ મૂકીને જીવ બહુ બળિયો થાશે તેના ભગવાન ફળપ્રદાતા છે.તે એવો જોગ મેળવી દેશે, આપણે કાંઇ કરવું રહ્યું નથી. આવા સાધુની ઓળખાણે થઇ રહ્યું. ।।૨૨૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨ર૧

આ તે કાંઇ વાતો છે ? આ તો અમૃત છે ! તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે પણ આંહીં પીવા નવરો નહિ, આતો પ્રાપ્તિનોય પાર નહિ, ને જીવમાં ખોટનોય પાર નહિ.ઓહો ! આ શ્રીજીમહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઇ દિવસ આવ્યા નથી ને આવશે પણ નહિ, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધુંય આવી ગયું. ।।૨૨૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨રર

સંવત્ ૧૯૨૨ના કાર્તિક સુદિ પૂનમથી આ સંતમાં જીવ તણાય છે, તે તો ‘શબ્દે પરે ચ નિષ્ણાતા બ્રહ્મણ્યુપશમાશયાઃ’ એવા ગુરુ છે એટલે તણાય છે, નીકર ન તણાય, એમ કહીને ગુરુના અંગના સવૈયા બોલાવ્યા જે, માન મદ મારવેકિ કર્મનકું જારવેકિ;અધમ ઉધારવેકિ ટેક જીને ઠાને હે, ગહન અગાધ ગતિ પૂરન પ્રતાપ અતિ;મતિ બળ કાહુસેતિ જાત ન પિછાને હે. શરનાગત બંધ છેદ જગકો કિયો નિષેધ;વેદ રુ વેદાંત હું કે ભેદ સબ જાને હે, કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી;એસે ગુરુરાજ હમેં ઇશ કરી માને હે. એ બોલાવીને કહ્યું જે, એવા ગુરુ છે ત્યારે જ જીવ તણાય છે.એમ વાતમાં મર્મ કહ્યો. ।।૨૨૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨ર૩

પછી વળી સ્વામી કહે,‘મારે ને મહારાજને પાંચ વર્ષનું છેટું છે. તે મહારાજનો જન્મ સંવત્ ૧૮૩૭માં ને મારો જન્મ સંવત્ ૧૮૪૧માં શરદ પૂનમ, તે આસો સુદી પૂનમ તે આ હમણાં ગઇ શરદ પૂનમ ત્યારે ૮વર્ષ પૂરાં થયાં ને ત્ર્યાશીમું બેઠું.’ એમ બોલ્યા તે સ્મૃતિ સારુ લખ્યું છે.।।૨૨૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨ર૪

માગશર માસમાં સ્વામીએ વાત કરી જે, ‘એમ મહારાજની આજ્ઞા કોઇ દિવસ લોપી નથી ને લોપાવિયે નથી. ને આ જૂનેગઢ પાંચસે સાધુમાંથી કોઇ આવતું નહોતું; પછી મને કહ્યું, ત્યારે હું આવ્યો, તે મને શું થઇ ગયું ? કાંઇ કોઇ દુઃખ આવ્યું નહિ, ને આ જૂનાગઢના તો મહારાજ જમાન થયા છે. તે જુઓને, આવી વાતોચીતોનો જોગ કયાંય છે ? પૂછો, આ પરદેશી હરિજનને.’ ત્યારે તેણે કહ્યું જે, ‘ના મહારાજ ! આવો જોગતો આંહીં જ છે’ પછી સ્વામી બોલ્યા જે, ‘આંહીં તો સંત ભેગા પ્રગટ સહજાનંદસ્વામી પોતે બિરાજે છે; તેણે એમ છે. નીકર આમ કેમ રહે ?’ ।।૨૨૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 89
Powered By Indic IME