આપણને ભગવાન ભજવામાં વિઘ્ન કરનારની વિકિત જે,એક તો લોક, બીજા સગાં, બાયડી, છોકરાં, મા-બાપ, રૂપિયાને દેહ એ સર્વે છે. તે જો બળિયો મુમુક્ષુ હોય તો ન ગણે;પણ આ અંતઃકરણ ઇન્દ્રિયોરૂપે જે માયા છે તે બહુ કઠણ છે,તે અનંત ભાતે કરીને ફેર પડાવી નાખે, માટે તેને ન માનીનેતેનો નિષેધ કરીને આત્મનિષ્ઠ થાય ત્યારે સુખે ભજન કરવાદે છે;નીકર તો વાસના રહી જાય; તે સો વરસે કે હજાર વરસેબાયડી જોઇએ. તે ઉપર સૌભરિ આદિકનાં દષ્ટાંત દીધાં.વાસના હોય તો ભગવાન તેડી તો જાય, પણ ઇલાવ્રત ખંડમાં મૂકે છે. તે ઉપર લવાનું કહ્યું જે, મહારાજ તેડવા આવ્યા ત્યારેકહ્યું જે, ‘હમણાં તો મેં કરકું (સ્ત્રી) કર્યું છે, તે નહિ આવું.’એમ થાય છે, માટે એ વાત જ એવી છે, તેનો કોઇ પ્રકારેવિશ્વાસ કરવો નહિ. કેમ જે, મશાણના લાડવામાં એલચીનીવાસ હોય જ નહિ , એતો સ્થાનક જ એવાં છે. રહો તો રાજા રસોઇ કરું, જમતા જાઓ જોગી રાજજી ; ખીર રે નિપજાવું ક્ષણ એકમાં, તેતો ભિક્ષાને કાજજી…જંગલ. એણે એમ વિચાર્યું જે, ખીર ખવરાવું તે હજાર બાયડીહૈયામાં ભરાય જાય. એનો એવો ઠરાવ ને ઓલ્યાનો એમજે,આહાર કારણે ઊભો રહે, કરી એકની આશજી; તે જોગી નહિ ભોગી જાણવો, અંતે થાશે વિનાશજી… જંગલ. માટે એનું કોઇ વાતે ન માનવું. એ વાતનો કતોહળ પ્રકૃતિપુરુષ સુધી છે. ને બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ એ બેમાં નહિ;ને […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)