Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬પ

વળી બીજુ એ જે, કોઇ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય, ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વઘારે,ને એક દિવસ આત્માનદં સ્વામી માંદા હતા.તેણે કહ્યું કે‘ શાક કરો’ ત્યારે ઓલ્યે સાૈ આગળ હોહો કર્યું, તે વાત મહારાજ પાસે ગઇ એટલે કહે, ‘ઓહો ! એણે એના જીવનું બહું ભુંડું કર્યું જે, મોટા સાધુમાં અવગુણ પરઠ્યો.’ ને મુકતાનંદસ્વામી જમતા હતાં, તે એક જણે એમ ચિંતવ્યું જે આવા મોટા સાધુ આમ કેમ જમે છે ? પછી એ જે અન્ન દેખે તે કીડા થઇ જાય ! તે પંદર દિવસ લગી એમ થયું, પછી દાંતે તરણા લઇને પગે લાગ્યો ત્યારે સમું થયું. તે માટે કોઇ સાધુનો અવગુણ ન લેવો. અરે ! કેટલાક તો ‘ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી’ એમ કહેતા. તે ગયા , તે પણ દીઠા. ।।૬૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૬

કરોડો રૂપિયા હશે તે કાંઇ કામ નહિ આવે, તે જયાં હશે ત્યાં એમ થાશે ને એમ જાશે, ને આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે, પણ એટલા રૂપિયાના ઘઉં લઇને ભગવાન ભજયા હોય ને કથા કરી હોય તો કેટલી શાંતિ થાય ? ઘણા સાંતી તો સો વધારીએ પણ એણે શું થાય ? દુઃખ થાય. એ સાધુનો માર્ગ નહિ, ને કથાએ તો કેટલો સમાસ થાય જે ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઇઓ નીકળી ગઇ , નોખા આસન નીકળી ગયાં, એમ પડઘા પડે. અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી; નસીબમાં હોય તો રહે. માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિઃસ્વાદી થાવું; ત્યારે ભગવાન રાજી થાય. ।।૬૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૭

આ સમાગમ મળ્યો છે તે કોઇક પૂર્વનો સંસ્કાર ભારે છે;તે સમાગમ કરવા સારુ આવ્યા છો, ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજ, કાલ, મહિને કે વર્ષે પણ મળશે; ને સમાસ ઘણો કરશે. ને કોઇ જાણતા હશે જે કરીએ છઈએ, ને કેમ કાંઇ થાતું નથી ? પણ આ તો મેળવણ નાખીએ છઈએ, તે દહીં થઇને ઘી તો વલોવ્યા પછી નીકળશે; ને આ વાત તો બહુ દુર્લભ છે. ને આ સત્સંગ તો ઘણો થયો છે,ને પૃથ્વીના સર્વે માણસ કરશે, પણ આવા કહેનારા કયાંથી મળશે ? ને રૂપિયા તો ગાડે ગાડે આવશે, ને હવેલીઓ પણ થાશે, પણ આ નહિ મળે. ને હવે તો કોઇ વાતની કલ્પના રાખવી નહિ.આ જીવ સમજવા મંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી,વેપાર કર્યો, તો પણ રોટલા ને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો ભળાણો નહિ; માટે શા સારુ ઝાઝું કરીએ ? અને કેદીક ઢગલો મળે તો શું થાય ? દુઃખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થાશે; ને દાળ, રોટલા નેવસ્ત્ર તો ગળામાં લીધા છે તે દેશે. ને મોરે તો કટક , ધાડાં ,મિયાણાં ને માળિયાના હાટી એવા કૈક લૂંટી લેતા ને ખાવા અન્ન મળતું નહિ ને કાળ પડતા ને કાંતો ટીડડાં, ઉંદર ને રોગએ પણ કૈક આવતાં, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૮

ગાડી સારુ જે આશા રાખે છે તેમાં શું છે ? તેણે ભજનતો થાતું નથી અને અકળાય છે. જેમ ‘બાવરો બેસાડ્યો વળી વહાણે રે’ એમ ન કરવું. એનુ તો મોટા સાધુને પૂછવું જે, ‘મને આમ થાય છે, તે મારા જીવનું સારું થાય તેમ કહો.’ ‘હું બલહારીએ વૈરાગ્યને’ અહો ! હું કોણ ? એમ વિચારવું. એવો ઠરાવ કરવો તે ખરો કહેવાય. ।।૬૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 192

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૯

વળી આ શરીર તો માટીનો ઢગલો છે, તે સાજું હોયત્યાં સુધી કીર્તન કે ભજન થાય. ને ‘શનૈઃ શનૈઃ પંથાઃ ’ જેમરાજાના દીકરાને એક દિવસે ઝાઝું ખવરાવે તેમાં મોટો ન થાય,ને રોજ ભૂખ પ્રમાણે ખવરાવે તો વધે. એમ જ્ઞાન પણ ધીરેધીરે સમાગમે થાય છે. ને જોગ વિના રસોઇ થાય નહિ, એમજોગ વિના પ્રભુ ભજાય નહિ. ને જે વાતો સાંભળે તે વૃદ્ધિપામે. નીકર તો ઝાઝું ખાય તો ઊંઘ ઝાઝી આવે, ને શું કાંઇખાઇ ખાઇને સૂઇ રહેવાને ભેળા થયા છઈએ ? તે આજ, કાલ,મહિનેકે છ મહિને સાધુનો સમાગમ કર્યે છૂટકો છે. ।।૬૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૦

ગુજરાતમાં તળ સુધી ખોદીએ તોપણ તેમાં પાણો નહિ,ને આ દેશમાં પે’લે ઘાએ જ પાણો. એમ આત્મનિષ્ઠાનો માર્ગતે પાણા વિનાનો છે; ને બીજા માર્ગમાં તો પાણા છે ને આપણેતો આત્મા મોઢેથી શીખીને કથનમાત્ર થયા છઈએ, તે આઘડી જો ચીભડાનું, કેરીનું કે તુંબડાનું ગાડું આવે તો આત્માપણુંરહે નહિ ને તે ટાણે રહે એ ખરો. ને જ્ઞાને કરીને એમ થાવુંજે, જડ, દુઃખરૂપ ને મિથ્યા એવો જે દેહ તે હું નહિ ને હુંતો સચ્ચિદાનંદ છું, આત્માનંદ છું, ને અખંડાનંદ છું એમ બોલ્યા.ને કહે જે,‘રજોગુણ, તમોગુણ ભેળું ભળી જાવું નહિ, નિર્ગુણથાવું.’ એ ઉપર -પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ।।એ શ્લોક બોલીને કહ્યું જે, ‘આગળથી તો એ વાતો કરે,ને જયારે આવો જોગ આવે ત્યારે આસન સારુ કે ખાધા સારુબખેડો થાય, તે ઠીક નહી.’ ।।૭૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૧

ગૃહસ્થને તો આમ સમજવું જે, કોઇ વાતની ચિંતા નરાખવી; જે આમ થાય તો ઠીક, એમ ન કરવું. અને સહેજેજોઇએ તેટલુ દ્રવ્ય પેદા કરવું; પણ ઝાઝું થાય તેમાં તો કાંઇસુખ નહિ. તે ચાર જણ હતા, તે રોજ ‘દ્રવ્ય થાઓ, દ્રવ્ય થાઓ’એમ રટણ કરે. ત્યારે આકાશવાણી થઇ જે, ‘ભાઇ, દ્રવ્ય તોઘણું મળશે પણ દુઃખ થાશે.’ ત્યારે કહે કે, ‘બ્રહ્માંડમાં જેટલુંદુઃખ હોય એટલું અમને થાઓ, પણ દ્રવ્ય મળો.’ ત્યારે કહે,‘ઠીક.’ પછી ચાર મણ સોનું રસ્તામાંથી મળ્યું , તેમાં બબ્બેજણ સંપ્યા જે,‘ઓલ્યા બેને મારી નાખીએ તો બબ્બે મણ આવે;પછી ઓલ્યા બેને ગામમાં મોકલ્યા ને કહે જે,‘તમે લાડવા કરીનેલાવો તો એ જમીએ.’ પછી એમ ધાર્યું જે,‘એ બન્ને આવેત્યારે પાણી ભરવા વાવમાં મોકલીને પાણા નાખીને મારીનાખશું.’ અને જે લાડવા લેવા ગયા, તે બે જણ પણ સંપ્યાજે,‘ઓલ્યા બેને ઝેરના લાડવા ખવરાવીને મારી નાખીએ, તોઆપણે બબ્બે મણ સોનું રહે.’પછી ઝેરના લાડવા ઘીમાં લચપચતા કરાવ્યા ને પોતાસારુ સાધારણ કરાવ્યા, તે લઇને ગયા. એટલે ઓલ્યો કહે,‘વાવમાંથી પાણી ભરી આવો પછી જમીએ.’ ત્યારે તે બે જણાવાવમાં પાણી ભરવા ગયા. તેને પાણા નાખીને મારી નાખ્યા.પછી ઓલ્યા બે જણ ખાવા બેઠા, લાડવા તપાસે ત્યાં તો બેજાતનાં દીઠા. તે કહે,‘જો ! પોતા સારુ સારા કર્યા છે, હવેતે આપણે ખાઇએ.’ પછી ખાધા એટલે તે પણ ખાઇને મરીગયા ને સોનું પડ્યું રહ્યું. જુઓને સુખ..! આ એમ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭ર

વળી અમદાવાદમાં એક એંશી વર્ષના વાણિયાને છોકરોથયો તે ગાંડો થઇ ગયો; એમ કેટલાકને થઇ જાય છે. માટેભગવાન ભજવા તેમાં સો સો વિચાર જોઇએ, ને વેપાર કરેતેમાં ખોટ પણ જાય, વૃદ્ધિ પણ થાય, વિવાહ પણ થાય, નેકાયટું પણ થાય, તે બધું વિચાર્યુ જોઇએ. ને જે થાય તેનોહર્ષ પણ ન કરવો ને શોક પણ ન કરવો. ને શોક કરે તો જ્ઞાનસ્રવી જાય, ને સત્સંગમાંથી પાછું પડી જવાય, બુદ્ધિમાં જડતાઆવી જાય ને તમોગુણ વૃદ્ધિ પામી જાય; કલેશે કરીને તો ગોળાનુંપાણી સુકાય જાય છે. તે માટે જે જે ધંધો કરો તેમાં એમ કહેવુંજે, આપણે આંહીં રહેવું નથી એટલેએ નાશ થઇ જાય, અરે !દ્રવ્ય સારુ તો ઓલ્યો શ્લોક છે -ભૂમિર્યાતુ રસાતલં ગુણગણસ્તસ્યાપ્યધો ગચ્છતુશીલં શૈલતટાત્પતત્વભિજનં સંદહ્યતાં વહ્નિના।શૌર્યે વૈરિણિ વજ્રમાશુ નિપતત્વર્થોઽસ્તુ નઃ કેવલંયેનૈકેન વિના ગુણાસ્તૃણલવપ્રાયાઃ સમસ્તા ઇમે।। પૃથ્વી રસાતળ જાઓ પણ દ્રવ્ય મળો; એમ ન કરવું. ।।૭૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103
Powered By Indic IME