Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૯

અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ. ।।૧૮૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1216

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૦

અને કોઇની થાપણ ન રાખવી અને કયારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિષે કયારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. ।।૧૯૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1210

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૧

અને તે સાધુ તેમણે આપત્કાળ પડ્યા વિના રાત્રિને વિષે સંઘ સોબત વિનાનું ચાલવું નહિ તથા આપત્કાળ પડ્યા વિના  કયારેય પણ એકલા ચાલવું નહિ. ।।૧૯૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1198

શિક્ષાપત્રી શ્લોક – ૧૯ર

અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાત્યનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું-ઓઢવું નહિ. ।।૧૯૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1204

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૩

અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે  વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભકિત કરીને જ કાળ નિર્ગમવો.।।૧૯૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1211

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૪

અને જે ગૃહસ્થનાં ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરૂષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય. ।।૧૯૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1211

શિક્ષાપત્રી શ્લોક – ૧૯પ

તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઇ કરવી ને ભગવાનને નૈવેદ્ય રીને જમવું. ।।૧૯૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1218

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૬

અને પૂર્વે ૠષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. ।।૧૯૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1207
Powered By Indic IME