સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંઘ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી ને હસ્તકમળને વિષે તુલસીની માળા ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”પ્રથમ તો ભગવાનનો નિશ્વય હોય ને ભજનસ્મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્વયમાં સંશય થઇ જાય છે તેનું શું કારણ છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ ઝાઝીવાર વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, ”એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ, ઇત્યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે, તે કહ્યું છે જે, ભગવાન કેવા છે ? તો આ ચક્ષુ ઇંદ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્િંકચિત્રૂપ તે જેવું તેમનું રૂપ નથી, અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે જે કાંઇ શબ્દમાત્ર, તે જેવો એ ભગવાનનો શબ્દ નથી, અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ. તે જેવો એનો સ્પર્શ નથી, અને […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)