Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા મઘ્ય ૧૦. નિશ્વયરૂપી ગર્ભના જતનનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ વદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ અસવાર થઇને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફુલવાડીને મઘ્‍યે આંબાના વૃક્ષની હેઠે વેદિ છે તે ઉપર ઉત્તરાદું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને શ્રીજી મહારાજે સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભકિત ન હોય તો ભગવાનનું સ્‍વરૂપ શ્રીમદ્ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્‍કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્‍યાં પણ ભગવાનનું સ્‍વરૂપ ભકિતહીન હોય તેને નિરાકાર સમજાય છે પણ ભગવાનનું સ્‍વરૂપ નિરાકાર નથી, કાં જે, ભગવાન થકી જ સર્વ સ્‍થાવર જંગમ સૃષ્‍ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્‍ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્‍વી થકી ધટાદિક આકાર થાય તેવા થતા નથી. તેમ બ્રહ્માદિક જે સૃષ્‍ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અઘ્‍યાત્‍મ, અધિભૂત અને અધિદૈવ, એ ત્રણનો જે આધાર છે તે ભગવાનનું સ્‍વરૂપ છે એમ કહ્યું છે, તેની વાત કરીએ તે સાંભળો. અઘ્‍યાત્‍મ જે વિરાટ પુરૂષનાં ઇન્‍દ્રિયો અને અધિભૂત જે તેનાં પંચમહાભૂત અને અધિદૈવ […] read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 476

ગઢડા મઘ્ય ૧૧ : કર્મ માત્ર ભકિતરૂપ થયાનું, આમયો યેન ભૂતાનાંનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદી ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેનેજ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્‍યુલોક તેને વિષે ભોગવીને પછી ત્‍યાંથી પડે છે. ને નરક ચોરાશીમાં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વ સાત્‍વિકી, રાજસી ને તામસી થાય છે, ને તે કર્મનું ફળ સ્‍વર્ગ, મૃત્‍યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહિ, અને જ્યારે મોક્ષ ન થાય ત્‍યારે જન્‍મ મરણ અને નરકનું દુ:ખ તે મટે નહિ. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્‍છા તેનો ત્‍યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એજ શુભ કર્મ છે તે ભકિતરૂપ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 380

ગઢડા મઘ્ય ૧૨ : રાજનીતિનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એક વાર્તા કરીએ છીએ તે સર્વે સાંભળો અને આ જે વાર્તા કરીશું તેમાં એકજ સાધન કલ્‍યાણને અર્થે કહીશું. તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્‍યાણનું સાધન છે તે કહીએ છીએ જે, દેહને વિષે જે જીવ છે તે એમ જાણે છે જે, ‘કામ-ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે.’ એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્‍ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્‍યાદિક કુલક્ષણે યુક્ત માને છે. પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહિ.  એતો જીવે મૂર્ખાઇએ કરીને પોતાને વિષે માની લીધાં છે. માટે જેને પરમપદ પામવા ઇચ્‍છવું તેને કાંઇક પોતાને વિષે પુરૂષાતન રાખવું પણ છેક નાદાર થઇને બેસવું નહિ અને એમ વિચાર કરવો જે,”જેમ આ દેહમાં ચાર અંત:કરણ છે,દશ ઇન્‍દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્‍મા છું.” તે પણ આ દેહને વિષે છું, તે સર્વ થકી અધિક છું, ને એ સર્વનો નિયંતા છું, પણ એમ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 250

ગઢડા મઘ્ય ૧૩ : તેજનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદિ અમાવાસ્‍યાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળા ઉપર  વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પોતાના બે ભુજ ઉચા ઉપાડીને સર્વેને છાના રાખ્‍યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્‍તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્‍યે શ્રીજીમહારાજ એમ બોલતા હવા જે, ” હે સંતો ! જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો, ને આ એક વાત કરૂં છું તે સર્વે ચિત્ત દઇને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઇ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારૂં નથી કરવી. એતો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઇને સમજાઇ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારૂં કરીએ છીએ. અને આજે વાત છે તે મારી દીઠેલ છે ને મારાઅનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, મારે સહજ સ્‍વભાવે એમ વર્તે છે જે, આ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 256

ગઢડા મઘ્ય ૧૪ : નિર્વિકલ્પ સમાધિનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી. ને મસ્‍તક ઉપર શ્વેત ફેંટો બાંઘ્‍યો હતો, ને ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું, અને સુંદર કુંકુમનો ચાંદલો ભાલને વિષે વિરાજમાન હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “ભગવાનના સ્‍વરૂપને વિષે જે સંત તદાત્‍મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઇ બીજો પણ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” જેણે ભગવાનનું સ્‍વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્‍યું હોય ને તેમાં કોઇ જાતનું ઉત્‍થાન રહ્યું ન હોય; જેમ આ લીંબડાનું વૃક્ષ છે તે એક વાર જાણી લીધું છે પછી કોઇ રીતે મનમાં સંકલ્‍પ થતો નથી, જે લીંબડો હશે કે નહિ હોય ? એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવાં શાસ્ત્ર સાંભળે પણ કોઇ રીતે કરીને ભગવાનના સ્‍વરૂપનો જે નિશ્વય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહિ, એવો જે નિરૂત્‍થાનપણે ભગવાનનો નિશ્વય એને અમે તદાત્‍મકપણું કહીએ છીએ, અને એવું જે એ તદાત્‍મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિએ કરીને નથી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 328

ગઢડા મઘ્ય ૧૫ : સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “ગમે તેવો કઠણ સ્‍વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્‍વભાવનો નાશ થઇ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્‍વભાવ હોય તે ટળે નહિ એવો તે કયો વિચાર છે, તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો? પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઇથી કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે કહીએ જે,” “જેમ બાહેર કોઇક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઇક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા-બેન સામી ગાળો દે, તેનો જેમ અતિશે અભાવ આવે છે અને જે ઉપાયે કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઇક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશે રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્‍ન કરતા હોય ને તેમાં જે કામક્રોધાદિક માંહેલો શત્રુ વિઘ્‍ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો કયારેય પણ ટળે નહિ. એવો વિચાર જેને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 236

ગઢડા મઘ્ય ૧૬ : સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરપાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્‍વરૂપનિષ્‍ઠા અને બીજી યુધિષ્‍ઠિરની પેઠે જે ધર્મનિષ્‍ઠા એ બે નિષ્‍ઠા છે, તેમાંથી જે સ્‍વરૂપનિષ્‍ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્‍ઠા મોળી પડી જાય છે, અને જે ધર્મનિષ્‍ઠાનું બળ રાખે તેને સ્‍વરૂપનિષ્‍ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,   પૃથ્‍વીનો ને ધર્મનો શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે સંવાદ છે તેમાં એમ કહ્યું છે જે, ‘સત્‍ય-શૌચાદિક જે કલ્‍યાણકારી એવા ઓગણચાળીસ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્‍વરૂપ છે.’ માટે સર્વેધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂં ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂતપુરાણીને પુછયું છે જે, ‘ ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતધર્ાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો ?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારૂં જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્‍ઠા રાખે તેને ભગવાનનું સ્‍વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 281

ગઢડા મઘ્ય ૧૭ : ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું – સ્થિતપ્રજ્ઞનું

સંવત્ ૧૮૭૮ ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે ઓરડાની  ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાની આગળ મશાલ બે બળતી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને કીર્તન ગવાતાં હતાં. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન ગાવવાં રહેવા દ્યો, પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્‍યા જે, “ઘણું સારૂં મહારાજ.” પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનું સ્‍વરૂપ છે તેને કોઇક ભક્ત તો માયાનાં ચોવીશ તત્ત્વે સહિત સમજે છે અને કોઇક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્‍યમય ભગવાનનું સ્‍વરૂપ સમજે છે, એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી, અને ભગવાનનું સ્‍વરૂપ માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્‍યમય સમજે તેની સમજણ ઠીક છે.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “સાંખ્‍યવાળે ચોવીશ તત્ત્વ કહ્યાં છે તે સાંખ્‍યને મતે ત્રેવીશ તત્ત્વ ને ચોવીશમો ક્ષેત્રજ્ઞ જે જીવ ઇશ્વરરૂપ ચૈતન્‍ય છે, તે એ રીતે ચોવીશ તત્ત્વ કહ્યાં છે. કેમ જે, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞને તો અન્‍યોન્‍ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ. […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 271
Powered By Indic IME