સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને બીજાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન કર્યો જે ”ભગવાનનો નિશ્વય બે પ્રકારનો છે, એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ, અને તે બેમાં પણ ઉત્તમ, મઘ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને છ ભેદ થયા, તેનાં લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો” પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે ”સવિકલ્પ નિશ્વયમાં કનિષ્ઠ ભેદ તો એ છે જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્વય રહે પણ જો વધારો કરે તો ન રહે, અને મઘ્યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્વય રહે અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિક ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહિ, કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ભગવાન તો સર્વના કર્તા છે, ને […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)