Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

૧૧. સત્‍પુરૂષની ને અસત્પુરૂષની સમજણનું

સંવત્ ૧૮૭૭ ના માગસરવદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં પ્રાત:કાળને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રીમદ્ભાગવત તથા ભગવદ્રીતા એ આદિક જે સત્‍શાસ્ત્ર તે થકી અસત્‍પુરૂષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ? ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનો ઉત્તર કરીએ છીએ જે. અસત્‍પુરૂષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિષે સ્‍થાવર જંગમરૂપ એવી જે સ્‍ત્રીપુરૂષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટરૂપ એવા જે આદિ પુરૂષનારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે, તે સારૂં જે મુમુક્ષુ કલ્‍યાણને ઇચ્‍છતો હોય તેણે પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્‍ત્રીઓ તથા પુરૂષરૂપ એવી ઉત્તમ, નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય ત્‍યારે તેને તેજ આકૃતિનું મનને વિષે ઘ્‍યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્‍પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે, સમગ્ર જગત તે બ્રહ્મ છે. એમ વિચાર કરીને તે સંકલ્‍પને ખોટો કરવો. એવી રીતે જે સત્‍શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્‍પુરૂષની સમજણ છે અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્‍ટ ભાવ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 150

લોયા ૧૨: છ પ્રકારના નિશ્વયનું – સવિકલ્પ -નિર્વિકલ્પ નિશ્વયનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને બીજાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન કર્યો જે ”ભગવાનનો નિશ્વય બે પ્રકારનો છે, એક સવિકલ્‍પ અને બીજો નિર્વિકલ્‍પ, અને તે બેમાં પણ ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને છ ભેદ થયા, તેનાં લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો” પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે  ”સવિકલ્‍પ નિશ્વયમાં કનિષ્‍ઠ ભેદ તો એ છે જે ભગવાન જે તે અન્‍ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્‍યાં સુધી તો ભગવાનનો નિશ્વય રહે પણ જો વધારો કરે તો ન રહે, અને મઘ્‍યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્‍યાં સુધી પણ નિશ્વય રહે અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્‍ત્રી, ક્રોધ, હિંસા ઇત્‍યાદિક ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહિ, કેમ  જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ભગવાન તો સર્વના કર્તા છે, ને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 211

લોયા ૧૩ : દેશકાળે પરાભવ ન થાય તેનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૦ દશમીને દિવસ પ્રાત:કાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતોને ચોફાળ ઓઢયો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું કે ”મોટેરા મોટેરા પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, કેવો પુરૂષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્‍યામાં તો એમ આવે છે જે, ‘બ્રહ્માને પણ સરસ્‍વતીને દેખીને મોહ થયો, ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.’ માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો.’ પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનો ઉત્તર એ છે જે નાડી પ્રાણ સંકેલાઇને નિર્વિકલ્‍પ સ્‍થ્‍િાતિએ કરીને શ્રીનારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્‍છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય. અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્‍થ્‍િાતિ ન થઇ હોય ને દેહમાં વર્તતા હોય તો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 238

લોયા ૧૪ : રુચિનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે,”પૂર્વે જે આચાર્ય થઇ ગયા છે તેમની પૃથક્ પૃથક્ રૂચિ છે, તેમાં શંકરસ્વામીને ૧અદ્વૈતજ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ”જીવ, માયા અને પુરૂષોત્તમ એ ત્રણે નિત્‍ય છે, ને પુરૂષોત્તમ છે, તે જીવ માયાના નિયંતા છે, ને સર્વના કારણ છે, ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્‍ય આકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તે તેના છે; એવા જે પુરૂષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્‍લભાચાર્યને કેવળ ભકિત ઉપર નિષ્‍ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રૂચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્‍યામાં આવે છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રૂચિ જણાય છે, અને જેમ સોય કેડે દોરો ચાલ્‍યો જાય છે. ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સુંસરો છે, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 219

લોયા ૧૫ : ભૂંગળી તથા ગાયના દૃષ્ટાંતે આત્મદર્શનનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૩ તેરસને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગાં કરીને ઓઢયાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્‍યા જે, ”આ જીવ છે તે અઘ્‍યાત્‍મ, અધિભૂત અને અધિદૈવ ૪પણે કરીને સર્વ દેહમાં નખશિખાપર્યંત૫ વ્‍યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્‍દ્રિયોરૂપે કરીને જીવનું ભોકતાપણું છે પણ દેવતા ઇન્‍દ્રિયોથી પૃથક્પણે ભોકતા નથી.” ત્‍યારે નિત્‍યાનંદસ્વામીએ આશંકા કરી જે, ”હે મહારાજ ! ત્‍યારે એમ કહેવાય છે જે જીવ જે, તે સામાન્‍યપણે સર્વ દેહમાં વ્‍યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. ત્‍યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્‍યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્‍યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાંચની ભૂમિ હોય તથા સ્‍વચ્‍છ નિર્મળ પાણી હોય ત્‍યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી, એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્‍યૂન […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 181

લોયા ૧૬ : વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું

સંવત્ ૧૮૭૭ ના માગસર વદિ ૧૪ ચૌદશને દિવસ સંઘ્‍યા આરતી થયા કેડે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” એમ કહીને પોતેજ પ્રશ્ર્ન પુછયો જે, ”જેને વાસના કુંઠિત ન થઇ હોય, ને જેને વાસના કુંઠિત  થઇ ગઇ હોય, ને જેને વાસના નિમર્ૂળ થઇ ગઇ હોય, તેનાં શાં લક્ષણ છે ?” પછી મુકતાનંદ સ્વામીએ એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેની વાસના કુંઠિત ન થઇ હોય તેની ઇન્‍દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોટી જાય. તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ, અને જેને કુંઠિત વાસના થઇ ગઇ હોય તેની વૃત્તિ વિષયમાં તત્‍કાળ પ્રવેશ કરે નહિ, અને કદાચિત્‍વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહિ. અને જેને વાસના નિર્મૂળ થઇ ગઇ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્‍તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બેય સમાનપણે વર્તે. ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ પુછયું જે, ”વાસના […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 245

લોયા ૧૭ : સ્તુતિનિંદાનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ અમાસને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો. ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી. તથા ગરમ પોસની રાતી ડગલી માંહેલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી. તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઇ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. એવી રીતે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમે વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્‍યા જે, ”જુવોને ભગવાનની માયાનું બળ કેવું છે જેણે કરી વિપરીતપણું ઘણું થાય છે, કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશે ભૂંડો થઇ જાય છે.” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ‘આજ તો પ્રશ્ર્ન પુછો તો વાર્તા કરીએ.’ ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્‍તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ, વિષમ થાય તો પણ સારો ને સારોજ રહે પણ કોઇ રીતે વિપરીત મતિ થાય નહિ. તે શાણે કરીને થાય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને દેહનો અનાદર હોય, ને દૃઢ આત્‍મનિષ્‍ઠા હોય, ને પંચવિષયમાં વૈરાગ્‍ય હોય અને ભગવાનનો માહાત્‍મ્‍યે સહિત યથાર્થ નિશ્વય હોય, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 209

લોયા ૧૮ : નિશ્વયનું

સંવત્ ૧૮૭૭ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઇ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયમાં સંઘ્‍યા આરતી તથા સ્‍તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ”કીર્તન ગાઓ.” પછી વાજીંત્ર વજાડીને મુકતાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયાં. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું, અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પુછજ્યો.” એમ કહીને બોલ્‍યા જે, ”ભગવાનનો નિશ્વય થવો તે સૌથી મહા કઠણ છે. તે નિશ્વયની વાર્તા અતિ અટપટી છે માટે કહેતાં બીક લાગે છે જે, ‘શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઇને અવળું પડે ? ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય,’ અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતાં ન આવડે તો દુષણ પણ ધણાં આવે, અને આ વાત સમજે નહિ ત્‍યાં લગણ તેના નિશ્વયમાં પણ કાચ્‍યપ ઘણી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 274
Powered By Indic IME