Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા પ્રથમ – ૫૫ : ભજન, સ્મરણને વર્તમાનના દ્રઢાવનું

ગઢડા પ્રથમ – ૫૫ : ભજન, સ્‍મરણને વર્તમાનના દ્રઢાવનું સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “જીવને ભજનસ્‍મરણનો તથા વર્તમાનનો એક દઢાવ કેમ રહેતો નથી?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે દ્ઢાવ પણ ત્રણ પ્રકારનો છે, ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ. તેમાં જો ઉત્તમ દઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દઢતાને પણ ટાળી નાખે તો મઘ્‍યમ અને કનિષ્‍ઠ દઢતાની તો શી વાત કહેવી ? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય, ને તેમાં પણ દઢતા જેમ છે એમને એમ જો રહે તો, એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્‍ય છે. અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઇ જાય છે તો એને પૂર્વજન્‍મનું તથા આ જન્‍મનું કોઇ મોટું પાપ છે, તે નડે છે, અથવા કોઇ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 151

ગઢડા પ્રથમ – ૫૬ : પોલા પાણાનું

ગઢડા પ્રથમ – ૫૬ : પોલા પાણાનું સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સાંઝને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજ-માન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન કસુંબલ રેંટો ઓઢયો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી અને નારાયણ ધુન્‍ય કરીને મુનિ ઝાંઝ, મૃદંગ લઇને કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કીર્તન રાખો, અને ઘડીક પ્રશ્ર્ન ઉત્તર કરીએ” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો હું પ્રશ્ર્ન પુછું છું જે,” “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્‍વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્‍વરૂપ વિના બીજી મનમાં કાંઇ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે, તેને ભગવાનનો નિશ્વય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 207

ગઢડા પ્રથમ – ૫૭ : અસાધારણ મોક્ષનું કારણ

ગઢડા પ્રથમ – ૫૭ : અસાધારણ મોક્ષનું કારણ સંવત્ ૧૮૭૬ ના ફાગણ શુદિ ૨ દ્વિતીયાને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને પ્રશ્ર્ન ઉત્તર કરતાં આવડે તે એક એક પ્રશ્ર્ન પુછો. પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “ભગવાનના સ્‍વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્‍મ્‍ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે.” પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પૂછયું જે, “ભગવાનને વિષે જે સ્‍નેહ તેનું શું રૂપ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૧સ્‍નેહનું રૂપ તો એ છે જે સ્‍નેહમાં કોઇ જાતનો વિચાર ન જોઇએ અને જ્યારે જે ગુણ વિચારીને સ્‍નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્‍યારે તેનો સ્‍નેહ ત્રુટી જાય. માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્‍થાપન ઉત્‍થાપન કરવું નહિ. અને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું. અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ માટે હેત તો જેમ દેહના સંબંધી સંધાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું, અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ. અને ભગવાનનું માહાત્‍મ્‍ય જાણીને જે હેત થાય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 166

ગઢડા પ્રથમ – ૫૮ : દેહ, કુસંગ ને પૂર્વસંસ્કારનું, મોટાને જાણે તેવો થાય

ગઢડા પ્રથમ – ૫૮ : દેહ, કુસંગ ને પૂર્વસંસ્‍કારનું, મોટાને જાણે તેવો થાય સંવત્ ૧૮૭૬ ના ફાગણ સુદી ૫ પંચમીને દિવસ સંઘ્‍યા આરતીને સમે સ્‍વામીશ્રી સહજાનંદજી મહારાજ, શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્‍યાં વિરાજમાન હતા. અને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ‘પ્રશ્ર્ન કરો.’ પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જ્યારે ભજનસ્‍મરણ કરવા બેસે ત્‍યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્‍યારે ભજન સ્‍મરણનું સુખ આવતું નથી. તે એ ગુણના ૧વેગ કેમ ટળે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વના સંસ્‍કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવત્‍યર્ા હોય તે તો આત્‍મા અનાત્‍માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે, તે તો કોઇક પૂર્વના ભૂંડા સંસ્‍કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે.” પછી આનંદાનંદ સ્‍વામીએ પુછયું જે “પૂર્વના સંસ્‍કાર મલિન હોય તે કેમ ટળે ?” ત્‍યારે  શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અતિશે મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્‍કાર હોય તો નાશ પામે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 187

ગઢડા પ્રથમ – ૫૯ : અસાધારણ સ્નેહનું

ગઢડા પ્રથમ – ૫૯ : અસાધારણ સ્‍નેહનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ સુદિ ૧૪ ચતુર્દશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે હીરકોરનું ધોળું ધોતીયું બાંઘ્‍યું હતું ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, પ્રશ્ર્ન ઉત્તર કરો, પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ‘એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, આ મને મળ્‍યા છે તે નિશ્વે જ ભગવાન છે’ તથા આસ્‍તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરૂષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઇને આ બ્રહ્માંડના કરતા જાણે નહિ, એક ભગવાન પુરૂષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમઝણે સહિત જે પ્રત્‍યક્ષ ભગવાનના સ્‍વરૂપને વિષે નિશ્વય તેજ પરમેશ્વરને વિષે અસાધારણ સ્‍નેહનું કારણ છે. પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછ્યું જે, “એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 163

ગઢડા પ્રથમ – ૬૦ : એકાંતિક ધર્મ પાળ્યાનું – વાસના ટાળ્યાનું

ગઢડા પ્રથમ – ૬૦ : એકાંતિક ધર્મ પાળ્‍યાનું – વાસના ટાળ્‍યાનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૧ પ્રતિપદાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાઘને વિષે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિકિત છે જે, શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય, તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિષે વાસના છે તેટલી જગતને વિષે છે કે ઓછી વધુ છે ? તેની પરીક્ષા કરવી, ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્‍દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, તો એમ જાણવું જે ‘ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે.’ એવી જ રીતે સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો, અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ધટાડતો જાય, ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિષે સમ બુદ્ધિ થઇ જાય છે. ને સમબુદ્ધિ થયા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 171

ગઢડા પ્રથમ – ૬૧ : બળિ રાજાનું

ગઢડા પ્રથમ – ૬૧ : બળિ રાજાનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે  ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું  શ્વેત ધોતિયું મસ્‍તકે બાંઘ્‍યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાયછે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ‘હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્‍મા તે છું.’ એવી રીતે આત્‍મનિષ્‍ઠા તે જ્યારે અતિશે દૃઢ થાય, ત્‍યારે કોઇ રીતે કરીને ધીરજ ડગે નહિ, અને આત્‍મનિષ્‍ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “જે આત્‍મનિષ્‍ઠા હોય તે અંત સમે કેટલીક સહાય કરે છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમ નદી તરવી હોય ત્‍યાંતો જેને તરતાં આવડતું હોય તે તરી જાયને જેને તરતાં ન આવડતું હોય તે તો ઉભો થઇ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્‍યારે તો તે બેયને વહાણનું કામ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164

ગઢડા પ્રથમ – ૬૨ : સત્ય શૌચાદિક ગુણ આવ્યાનું

ગઢડા પ્રથમ – ૬૨ : સત્‍ય શૌચાદિક ગુણ આવ્‍યાનું સંવત્ ૧૮૭૬ ના ફાગણવદી ૪ ચતુર્થિને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્‍ચે ઢોલિયા ઉપર વિરા-જમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પુછયું જે, “શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે :- સત્‍યં શૌચં દયા ક્ષાન્તિસ્ત્યાગ: સંતોષ આર્જવમ્ | શમો દમસ્‍તપ: સામ્યં તિતિક્ષોપરતિ: શ્રુતમ્ || જ્ઞાનં વિરકિતરૈશ્વર્યં શૌર્યં તેજો બલં સ્‍મૃતિ: | સ્‍વાતંત્ર્યં કૌશલં કાન્તિ ધૈર્યં માર્દવમેવ ચ || પ્રાગલ્‍ભ્‍યં પ્રશ્રય: શીલં સહ ઓજો બલં ભગ: | ગામ્‍ભીર્યં સ્‍થૈર્યમાસ્તિકયં કીર્તિમાનોઅનહંકૃતિ: || એ જે ઓગણચાલીસ કલ્‍યાણકારી ગુણ તે ભગવાનના સ્‍વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ ગુણ સંતમાં આવ્‍યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્‍વરૂપનો યથાર્થ નિશ્વય થાય તો એ કલ્‍યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે, તે નિશ્વય કેવો હોયતો જે ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્‍વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરૂષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 155
Powered By Indic IME