ગઢડા પ્રથમ – ૨૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું – પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૫ પુનમને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્યો હતો. ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાધને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે “પ્રશ્ર્ન પુછો,” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પુછયું જે “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભકિત તેનું બળ વૃદ્ધિને કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એના ઉપાય ચાર છે, એક તો પવિત્ર દેશ, બીજો રુડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરૂષનો સંગ, તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે, ને દેશકાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમજે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યું ને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડીજ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આધું પાછું ખસી નીસરવું અને સંગ […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)