Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૩

અને ભગવાનની કથા તો કેવી છે ? તે ચોકિયાત આવીને કહે જે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય તેમ કથા એવી છે. ૩૩૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1243

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૪

શિક્ષાપત્રી છેલ્‍લો શ્લોક નિત્‍યે બોલે છે તેમાં કહ્યું છે : જે – નિજાશ્રિતાનામ્ સકલાર્તિહંતા, સદ્ધર્મભકતેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુકૃષ્ણોડખિલ મંગલમ્ ન: પોતાના આશ્રિત જે ભકતજન તેમની સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો. ૩૩૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1235

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩પ

અને એક રુચિવાળા બે જ હોઇએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના હજારો ને લાખો હોઇએ તો પણ એ કલા જ છીએ એમ સમજવું. ૩૩૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1237

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૬

અને ભગવાનને પોતાના ભકતને મારીકૂટીને પણ બ્રહ્મરુપ કરવા છે. ૩૩૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1296

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૭

અને શાસ્ત્રમાં કહ્યું છે : ‘શ્રેયાંસિ બહુ વિઘ્‍નાનિ’ ને લોકમાં કહે છે : જે ‘સારા કામમાં સો વિઘ્‍ન’ માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્‍વરુપ સમજવામાં બહુ અંતરાય છે, તે અંતરાયને ઓળખીને તેથી મુકાઇને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સંમુખ ચાલે, નીકર ચલાય એવું નથી, કેમ જે આ લોકમાં અનેક અંતરાય છે. ૩૩૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1223

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૮

અને પૂર્વનો સંસ્‍કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્‍કાર તે પૂર્વજન્‍મનું કરેલું હોય તેને કહેવાય, પણ એમ ન સમજવું. ત્‍યારે પૂર્વનો સંસ્‍કાર તે શું ? જે આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય, એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. ૩૩૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1263

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૯

અને આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભારી રાખવી : જે : ‘ઉધો ! સંત સુખી રહે સંસારમેં, રાજા બી દુ:ખિયા રંક બી દુ:ખિયા, ધનપતિ દુ:ખિત વિકારમેં, બિના વિવેક ભેખ સબ દુ:ખિયા, જુઠા તન અહંકારમેં – ઉધો..’ માટે સમજણવાળાને સંત કહે છે. તે અંબરીષ, પ્રહ્લાદ ને જનકાદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. ૩૩૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1255

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૪૦

અને જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે. કેની પેઠે ? જે એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગામીએ તો ભાગી જાય, ને એક તો કાઠિયાવાડનું પળોટેલ ઘોડું હોય તે તો તરવારો, બરછીઓ, બંદૂકોનો વરસાદ થાતો હોય તેમાં પણ સામું ચાલે, એ રીતે જ્ઞાન જ્ઞાનમાં ભેદ છે. ૩૪૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1246
Powered By Indic IME