Last Updated:
May 5, 2025

Click here to submit your article
Posts tagged "harililamrut"
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કહું  કૃષ્ણકથા  સુખકંદ; જે  સુણતાં  જન  જાતિના,  ટળે  જન્મ  મરણના  ફંદ.1 ચોપાઈ :- લાલદાસનું  કલ્યાણ  કરી,  મહીકાંઠેથી  ચાલિયા  હરિ; આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ.2 વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય; તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી.3 મારે  ઘેર  ચાલો  મહારાજ,  મારા  પૂરો  મનોરથ  આજ; એવું  સાંભળી  દેવના  દેવ,  તેને  ઘેર  ગયા  તતખેવ.4 પંડ્યે  પાટ  ઉપર  પધરાવ્યા,  પછી  નીર  ઉને  નવરાવ્યા; હેતે  પૂજીને  હાર  ચડાવ્યો,  ભાવે  ભોજનથાળ  ધરાવ્યો.5 રોટલો  અને  મઠની  દાળ,  જમ્યા  ભાવથી  જનપ્રતિપાળ; કોટિ  જજ્ઞ  તણું  ફળ  આપ્યું,  જન્મમરણનું  સંકટ  કાપ્યું.6 ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ; ત્યાંથી  નાથ  ગયા  છે  ડાકોર,  દીઠા  ડાકોરના  તે  ઠાકોર.7 કરી  રણછોડરાયની  ભેટ,  ત્યાંથી  નાથ  ગયા  ઉમરેઠ; જાગનાથની જગ્યા છે જયાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય.8 શિવદર્શને  સાયંકાળ,  આવ્યા  વિપ્ર  ત્યાં  બે  ખેડાવાળ; એક  તો  દવે  નરભેરામ,  બીજા  ઠાકર  તે  રૂપરામ.9 પ્રેમે  શંકરને  પગે  લાગે,  ભગવાનને  મળવાનું  માગે; દીઠા  તેઓએ  શ્રીઘનશામ,  મનવૃત્તિ  તણાણી  તે  ઠામ.10 જેમ લોહ ચમકભણી ચળે, સરીતા તો સાગર ભણી વળે; તેમ  જીવ  જે  દૈવી  જણાય,  પ્રભુમાં  તેનું  ચિત્ત  તણાય.11 બન્ને  બ્રાહ્મણોએ  તેહ  ઠામ,  પ્રેમે  કીધો  પ્રભુને  પ્રણામ; ફળાહાર  મંગાવીને  દીધો,  કૃપાનાથે  અંગીકાર  કીધો.12 બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ શ્રીભગવાન; વળી  ત્યાંથી  આવ્યા  વરતાલે,  પ્રભુ  બેઠા  તળાવની  […] read more
0 Views : 385

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો :- વર્ણી  કહે  વસુધાપતિ,  સુણો  અંતર  ધરીને  ઉમંગ; વળી  કહું  એક  વારતા,  શુદ્ધ  જાણી  કથાનો  પ્રસંગ.1 ચોપાઈ :- થયો  વિક્રમ  વસુધાધીશ,  વીત્યાં  વર્ષ  તો  શત ઓગણીશ; પછી  સોળમી  સાલ  ગણાઇ,  માસ  ચૈત્ર  આવ્યો  સુખદાઇ.2 કશિયાભાઇયે  કરી  પ્રીત,  રઘુવીર  તેડ્યા  રુડી  રીત; જાણ્યો ભકતનો ભાવ તે ઠામ, આચારજ ગયા નાવલી ગામ.3 ભાઇ  સદ્ગુરુ  આતમાનંદ,  શુકમુનિ  ગુણાતીતાનંદ; અદ્ભુતાનંદ  આનંદાનંદ,  અક્ષરાનંદ  પવિત્રાનંદ.4 વર્ણી  નારાયણાનંદ  નામ,  હતો  હું  પણ  સાથે  તે    ઠામ; હતાં  સંતનાં  મંડળ  ઘણાં,  વૃંદ  પાળા  ને  હરિજન  તણાં.5 સૌની  સેવા  ઘણો  સ્નેહ  ધરી,  કશિયાભાઇએ  બહુ  કરી; એક  અવસરે  પ્રભાતમાંય,  કથાવાર્તા  થતી  હતી  ત્યાંય.6 એક  ચોપડી  કીર્તનકેરી,  જેમાં  રેશમી  પાટી  ઘણેરી; લઇ  બેઠા  હતા  સાધુ  કોઇ,  આતમાનંદ  સ્વામીએ  જોઇ.7 ત્યારે બોલ્યા ઊંચો સ્વર તાણી, સુણો સદ્ગુરુ સૌ મુજ વાણી; સર્વ  છૈયે  શ્રીજીના  મળેલા,  ધર્મ  શ્રીજીમુખે  સાંભળેલા.8 દત્તપુત્ર  પ્રભુ  તણા  જેહ,  બિરાજે  છે  આ  પ્રત્યક્ષ  તેહ; તેમ  છતાં  રજોગુણ  લેશ,  કરે  ત્યાગીમંડળમાં  પ્રવેશ.9 એ  તો  અતિ  અઘટિત  કહેવાય,  ઘટે  સંત  તણો  મહિમાય; રવિ કિરણો છતાં અંધકાર, જયારે વ્યાપે તે મુલક મોઝાર.10 ત્યારે કિરણોનો શો મહિમાય, એમ બોલશે લોક બધાય; સંતે  માયાને  કીધી  ખુવાર,  વેર  વાળવા  તે  છે  તૈયાર.11 કળિજુગ રહ્યો લાગ તપાસે, ફાવશે તો તે બળવાન થાશે; સતસંગમાં  કરશે  પ્રવેશ,  માટે  ચેતતા  રહેવું  હંમેશ.12 એક અવસરે સાધુમાં કોઇ, ઓઢવા લાગ્યા છત્રિયો જોઇ; […] read more
1 Views : 326

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો :- કહે  અચિત્યાનંદજી,  સુણો  ભૂપતિ  થૈ  સાવધાન; ભકત સુકશીયાભાઇનું, એક કહું ભલું આખ્યાન.1 ચોપાઈ :- ચરોતરમાં  છે  નાવલી  ગામ,  લાલદાસ  રહે  તેહ  ઠામ; નાતે  લેઉવા  તે  પાટીદાર,  કરે  ખેતી  ને  ઘીનો  વેપાર.2 ઘૃત  કુંપી  ભરીને  વિશેષ,  કર્યો  વાંકળ  પ્રાંત  પ્રવેશ; તેથી  લાભ  ઘણેરો  તે  લાવ્યા,  મહી  ઊતરી  ઉત્તરે  આવ્યા.3 મહીતટમાં  પરમ  પાવન,  ભાઠામાં  છે  બાવળ  તણું  વન; ઇચ્છા થઇ લાલદાસને ત્યાંહી, બ્રહ્મભોજય કરાવું હું આંહી.4 આસપાસના  વિપ્ર  બોલાવી,  રુડી  રીતે  રસોઇ  કરાવી; થયું ભોજનનું ટાણું જયારે, એક જોગ બન્યો ભલો ત્યારે.5 જેમ  સોનાની  રજ  શોધનાર,  પામે  સોનાનો  મેરૂ  તે  ઠાર; જેમ  ઇચ્છે  પદારથ  કાંઇ,  કલ્પવૃક્ષ  તેને  મળે  ત્યાંઇ.6 પુણ્ય અલ્પનો આદર કીધો, પણ લાભ અલભ્ય તે લીધો; જે  છે  અક્ષરધામના  વાસી,  પુરુષોત્તમ  પરમ  પ્રકાશી.7 જેને  અર્થે  જોગી  જોગ  સાધે,  ઉમાઇશ  તે  જેને  આરાધે; મહી  ઊતરીને  મુનિવેષે,  આવ્યા  શ્રીહરિ  એ  જ  પ્રદેશે.8 લાલદાસે  દીઠા  બ્રહ્મચારી,  કર  જોડીને  વિનંતિ  ઉચ્ચારી; કરો  ભોજન  વરણીરાય,  મારું    દ્રવ્ય  સુફળ  ત્યારે  થાય.9 એવું  વચન  સુણી  ઉર  લીધું,  બ્રહ્માચારીએ  ભોજન  કીધું; કરી  ઇચ્છા  એવી  હરિરાય,  એને  પુત્ર  પવિત્ર  તે  થાય.10 મારી  ભકિત  ભલી  કરનાર,  આખા  કુળનો  કરે  ઉદ્ધાર; એવી  ઇચ્છા  કરી  ધર્મલાલ,  પછી  વીતી  ગયો  કાંઇ  કાળ.11 લાલદાસના  ઘર  મોઝાર,  એક  મુકતે  લીધો  અવતાર; પાડ્યું  નામ  તે  કશિયાભાઇ,  વધે  પ્રતિદિન  બુદ્ધિ  સવાઇ.12 સોળ  વર્ષ  થયાં  તેને  […] read more
0 Views : 320

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૪

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  રુડી  કથા  સુણાવું  કાન; વન  વિચરતા  આવિયા,  ભૂતપુરી  વિષે  ભગવાન.1 ત્યાં બે દિવસ વસી પછી, ગયા ક્ષેત્ર કુમારિકા માંય; પછી પામ્યા પદ્મનાભને, ગયા ત્યાંથી જનાર્દન જયાંય.2 ચોપાઈ :- ગયા  આદિકેશવ  જગદીશ,  હતો  ત્યાં  સુમતિ  અવનીશ; તેને  દેખાડ્યો  આપ  પ્રતાપ,  કર્યો  શિષ્ય  થયો  નિષ્પાપ.3 મળયાચળમાં  ગયા  માવ,  દીઠો  અદ્ભૂત  ત્યાંનો  દેખાવ; પછી ઝાડી વિલોકી વિશાળ, ગયા જયાં વિષ્ણુ સાક્ષિગોપાળ.4 કરી ત્યાં પાંચ દિવસ નિવાસ, કિષ્કિંધા ગયા શ્રીઅવિનાશ; પંપાસરને  પામ્યા  પછી  હરી,  પછી  પંઢરપુર  ગતિ  કરી.5 ચંદ્રભાગા  નદી  ત્યાં  વહે  છે,  દેવ    વિઠ્ઠલનાથ  રહે  છે; દૈવી  જીવને  કરવાને  દાસ,  મહારાજ  રહ્યા  ત્યાં  બે  માસ.6 વળી ત્યાં થકી લાગ્યા વિચરવા, ઘણા જીવનાં કલ્યાણ કરવા; રુડી  ઇચ્છા  ધરી  અતિ  ઉર,  પ્રભુ  ચાલિયા  બુરાનપુર.7 આવ્યું પ્રથમ જનાબાદ ગામ, એક વિપ્ર મળ્યો તેહ ઠામ; ઘેર  તેડી  ગયો  તતખેવ,  દહીં-સાકર  ત્યાં  જમ્યા  દેવ.8 આવ્યા  તાપીએ  શામશરીર,  દિસે  બુરાનપુર  સામે  તીર; જોયો  દક્ષિણતટ  તાપી  કેરો,  દિસે  શોભીત  સરસ  ઘણેરો.9 નદી મૌનાંનો સંગમ જયાં છે, સ્નાન કરવાનો મહિમા ત્યાં છે; હતો  દિવસ  એકાદશી  તણો,  મેળો  તેથી  ભરાયેલો  ઘણો.10 નાજાવા આવેલા બહુ નરનારી, સૌએ નિરખિયા હરિ સુખકારી; કર્યું સ્નાન  ત્યાં  ધર્મકિશોર,  અતિ  મૂર્તિ  દિસે  ચિત્તચોર.11 શિવાશાહ  ને  શેઠ  ગોવિંદ,  તેણે  નિરખ્યા  હરિ  સુખકંદ; જેમ  લોહ  ચમકભણી  જાય,  તેમ  તેઓની  વૃત્તિ  તણાય.12 જેમ  ચંદ્રને  દેખે  […] read more
0 Views : 320

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૩

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  હવે  કહું  હરિની  વાત; દૂધાધારી  વડતળે  છે,  રહ્યા  હરી  ત્યાં  રાત.1 જયારે ત્યાં હરિ આવિયા, ત્યારે આદિત્ય પામ્યો અસ્ત; જાઓ સાધુરામ ગામમાં, એમ બોલ્યા બાવા સમસ્ત.2 ડરઘણો  અહીં  વાઘનો,  વળી  ભાસે  ભયંકર  ભૂત; રાતે  અહીં  તો  રહીં  શકે,  કોઇ  જોગી  વડા  અવધૂત.3 હરિ કહે નહિ જાઊં હું, ગામ છે અહીંથી ગાઉ ચાર; રહો  ભલે  બાવે  કહ્યું,  જાણી  બાળક  તન  સુકુમાર.4 ચોપાઈ :- સુતા શ્રીહરિ આસને જયારે, બાવે જાણ્યું તે ઊંઘ્યા છે ત્યારે; ભોંયરામાંથી  સામાન  લાવી,  સારી  રીતે  રસોઇ  બનાવી.5 તેના  શિષ્ય  બીજા  જણ  ચાર,  વેષ  વિપ્ર  તણો  ધરનાર; દિવસે  તો  રહે  છે  તે  દૂર,  રાતે  આવે  બાવાની  હજૂર.6 ગામમાંથી જણસ લાવી દે છે, બાવો રાતે હિસાબ પૂછે છે; બેઠા જમવાને તે સહું જયારે, બાળ વર્ણીને બોલાવ્યા ત્યારે.7 પણ પાપીના હાથનું અન્ન, લેવા નાથ ન થયા  પ્રસન્ન; તેથી જમવાની ના કહી દીધી, બાવે તાણ ઝાઝી નવ કીધી.8 બાવા  જમતાં  કરે  બહુ  વાત,  સુતા  સાંભળે  હરિ  સાક્ષાત; કહે રોટી તો ખાની સકકરસેં, અૌર દુનિયા તો ખાની મક્કરસેં.9 સીધા ચાલે તે તો ન પોસાય, વાંકી આંગળિયે ઘી ચટાય; કળિજુગના  છે  લોક  કઠોર,  ઢોંગ  વગર  ન  દે  એક  બોર.10 ચંદ્ર  બીજનો  વાંકો  જણાય,  તેથી  માન  પામે  ને  પૂજાય; બાવા  ઊઠ્યા  કરીને  આહાર,  ગયા  ગામ  વિષે  જણ  ચાર.11 એક  […] read more
0 Views : 386

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૨

ચોપાઈ :- બ્રહ્મચારી  કહે  સુણ  ભૂપ,  કથા  પાવન  પરમ  અનૂપ; વેંકટાદ્રિનું  વન  છે  વિશાળ,  તેમાં  વિચરે  છે  દીનદયાળ.1 મળ્યો સાધુ ત્યાં સેવકરામ, તેની સાથે ચાલ્યા ધનશ્યામ; ભાગવત તો ભણ્યો હતો એહ, પછી રસ્તે માંદો પડ્યો તેહ.2 સેવા  શ્રીહરિએ  કરી  એવી,  બીજો  કોઇ  કરે  નહીં  તેવી; પછી જાણ્યો તે કૃતધ્ની જયારે, તેનો ત્યાગ કર્યો હરિ ત્યારે.3 કૃતિદની વિષે :- ઉપજાતિવૃત્ત :- કૃતધ્નિને તો ગુણ જે કરાય, તે સર્વ તેનો શ્રમ વ્યર્થ જાય; કૃતધ્નિ તો ગુણ કશો ન જાણે, અંતે વળી તે ઉર દ્વેષ આણે.4 જો ભકતનો વેષ ધરે તથાપિ, કૃતધ્નિ જેવો નહિ કોઇ પાપી; કૃતધ્નિ લેશે જળ અન્ન જેનું, અંતે બગાડે અતિ કામ તેનું.5 કૃતધ્નિનું  દીલ  દિસે  દગાળું,  કૃતિધ્નનું  મોં  કરીયેજ  કાળું; કૃતધ્નિ જેવો જન જે જણાય, તો સંગ તેનો તજીયે સદાય.6 જે અન્નદાતાની અકીર્તિ ગાશે, કલ્યાણ તેનું કદીયે ન થાશે; કરે કૃતધ્નિ તપ જાપ જેહ, તીર્થાદિ યાત્રા સઉ વ્યર્થ તેહ.7 કૃતધ્નિ જો સેવકરામ જાણ્યો, તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો; એવો  કૃતધ્ની  જન  જેહ  થાશે,  જરૂર  તેથી  હરિ  દૂર  જાશે.8 ચોપાઈ :- કહે  વર્ણી  સુણો  મહિપાળ,  ગયા  કાંચીપુરીમાં  કૃપાળ; ત્યાંથી શ્રીરંગક્ષેત્રમાં ગયા, માસ બે ત્યાં થઇ સ્થિર રહ્યા.9 ગયા  ત્યાં  થકી  શ્રીભગવાન,  સેતુબંધ  રામેશ્વર  સ્થાન; માસ બે ત્યાં રહી મહારાજ, ગયા જયાં વિષ્ણુ સુંદરરાજ.10 પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, ઘોર વન એકમાં […] read more
0 Views : 1214

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૧

પૂર્વછાયો :- વર્ણી કહે નૃપ સાંભળો, રતાબસિયાનું કહું આખ્યાન; જે  સુણતાં  સમજાય  છે,  કેવા  સમરથ  શ્રીભગવાન.1 ધર્મતનુજ  નરતન  ધરી,  વન  વિચરતા  વિખ્યાત; આદિકુરમ જયાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત.2 ચોપાઈ :- ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્રધર્મા છે ત્યાંનો ભૂપાળ; તેની  ઊપર  ઉર  દયા  લાવી,  તેને  સદ્ય  સમાધિ  કરાવી.3 એને  દેખાડ્યું  અક્ષરધામ,  કર્યો  આશ્રિત  સુંદરશામ; નૃપદ્વારે  વળી  તેહ  ઠાર,  કર્યો  અસુર  ઘણાનો  સંહાર.4 ગયા  શ્રીહરિ  તૈલંગદેશ,  કર્યો  ત્રિપદીપુરમાં  પ્રવેશ; ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર.5 તેનાં  આદરે  દર્શન  કરી,  વેંકટાદ્રિ  વિષે  ગયા  હરી; વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિષે ગયા ફરતા.6 તેમાં  ભૂલા  પડ્યા  ભયહારી,  કર્યું મનુષ્યચરિત્ર  મુરારી; આવી  ભૂમિ  ભયંકર  છેક,  સુતો  દીઠો  ત્યાં  રાક્ષસ  એક.7 તેના  મસ્તકમાં  લાત  મારી,  ત્યારે  ઉભો  થયો  તે  ખુંખારી; હતો  ક્રોધી  વિરોધી  તે  ઘણો,  પદસ્પર્શ  થયો  પ્રભુ  તણો.8 વળી  હરિની  ઇચ્છા  બળવાન,  પૂર્વભવનું  થયું  તેને  જ્ઞાન; પુરુષોત્તમ  પ્રભુને  પિછાણ્યા,  જગદીશ્વર  સાક્ષાત્  જાણ્યા.9 કર્યો  પ્રેમથી  દંડપ્રણામ,  સ્તુતિ  ઉચ્ચારી  ઉચ્ચર્યો  આમ; કૃપાનાથ  તમે  કૃપા  કરી,  મને  આવી  મળ્યા  આજ  હરી.10 સ્વામી  છો  સર્વજ્ઞ  સુજાણ,  તોય  આપું  મારી  ઓળખાણ; પૂર્વજન્મે  હતો  હું  નરેશ,  પ્રીતે  પાળતો  તૈલંગદેશ.11 એવે અવસરે બે દ્વિજ લડિયા, ન્યાય લેવા રાજદ્વાર ચડિયા; તેમાં  એકનું  જયદેવ  નામ,  કન્યા  કુંવારી  તેહને  ધામ.12 બીજો  નામે  મુકુંદદેવ  સારો,  તેને  એકજ  પુત્ર  […] read more
0 Views : 320

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૦

ઉપજાતિવૃત્ત :- કહે અભેસિંહ અહો મુનીશ, કહો કથા સ્નેહ ધરી સુણીશ; તમારી વાણી અતિ મિષ્ટ લાગે, ઇચ્છા સુણ્યાની ઉપજે અથાગે.1 વર્ણી કહે ભૂપતિ ધન્ય ધન્ય, ભકિત તમારી નિરખી અનન્ય; શ્રદ્ધા ઘણી કૃષ્ણકથા સુણ્યાની, સુરીતિ દીઠી વળી તે પુછ્યાની.2 શ્રવણભકિત વિષે :- કથા સુણે તે કહી આદિ ભકિત, તેથી વધે છે નવધાની વિકિત; હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.3 શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય; હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન.4 દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસે રીત નવાઇ જેવી; આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહિ તો મરે છે.5 અન્ને યથા જીવ થકી જીવાય, ભકિતતણું જીવન છે કથાય; જે અન્ન છોડે નહિ તેની આશ, કથા તજે ભકિત થશે વિનાશ.6 પ્રાણી પિયે છે પ્રતિદિન પાણી, તોયે અરૂચી ઉપજી ન જાણી; કથા સુણે એક જ વારવાર, ન ભકત પામે અરુચી લગાર.7 સમીપ આવે મરવાનું જયારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે; સત્સંગમાંથી  પડવાનું  થાય,  ધીમે  ધીમે  કૃષ્ણકથા  તજાય.8 જેને કથાકેરું અજીર્ણ થાશે, કથા સુણ્યાની રુચી ઊઠી જાશે; આળસ્ય આવે સુણતાં લગાર, તો જાણવું અંગ થયો વિકાર.9 શ્રીમુખ વાકયામૃતમાં કહ્યું છે, તે વાકય મારી સ્મૃતિમાં રહ્યું છે; જેને કથા અંતરમાં ન ભાવે, નહીં  જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે.10 […] read more
1 Views : 359
Powered By Indic IME