ચોપાઈ :- બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કહું હરિનાં ચરિત્ર અનૂપ; જાણ્યો મુકત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ.1 એહ દ્વારાયે જીવ અપાર, તારવાનો છે હરિનો વિચાર; નિજમહિમા જણાવાને માટે, રાખ્યો શ્રીહરિએ સાથે વાટે.2 ચાલ્યા કૃષ્ણને જયરામદાસ, તીર્થભૂમિમાં કરતા પ્રવાસ; એક ઝાડી માંહિ દીઠો કૂપ, તેનું નીર વખાણ્યું અનૂપ.3 જયરામને કહે નરવીર, ભરો એહ અવાડીમાં નીર; પછી ભરિયું અવાડીમાં પાણી, બોળ્યો હરિએ ચરણ દયા આણી.4 આવ્યાં સસલાં હરણ ને શિયાળ, આવ્યાં વાઘ ને સિંહના બાળ; પાણી સૌએ મળી સાથે પીધું, જાતિવૈર વિસારી જ દીધું.5 જુએ શ્રીહરિને દષ્ટિ સાંધી, સર્વે પ્રાણીને થઇ ત્યાં સમાધી; સૌને જગાડીને અવિનાશી, કહે જાઓ ચાલ્યાં વનવાસી.6 ગયાં પ્રાણી ચાલી ચારે પાસે, જોયું નજરે તે જયરામદાસે; દીઠો શ્યામનો મહિમા અપાર, તેથી નિશ્ચે થયો નિરધાર.7 તોય માત પિતા વૃદ્ધ જાણી, તેની સેવા વિષે પ્રીત આણી; જાણ્યું તેઓ જશે મોક્ષ જયારે, સ્વામી સંગે રહીશ હું ત્યારે.8 ત્યાંથી ચાલિયા પોતે બે મિત્ર, શિવમંદિર આવ્યું પવિત્ર; ત્યાં છે ધર્મશાળા અને ઝાડી, તોય ત્યાં રહી રાત્રી વિતાડી.9 ઇચ્છા જયરામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી; એને દેખાડ્યું અક્ષરધામ, પૂજે પ્રભુજીને મુકત તમામ.10 મળી મૂરતિ પોતાને જેહ, દીઠી અક્ષરધામમાં તેહ; બ્રહ્મા વિષ્ણુ ને શંભુ અપાર, ઊભા સ્તવન કરે છે ઉચ્ચાર.11 પછી જાગ્યા સમાધિથી જયારે, કર્યા દંડપ્રણામ તે ત્યારે; સ્તુતિ હાથ જોડીને ઉચ્ચારી, તમે અક્ષરાતીત […]
read more