Last Updated:
May 5, 2025

Click here to submit your article
Posts tagged "હરિલીલામૃત"
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૮

ઉપજાતિ:- દેવોજી તો દેવ સમાન રાજા, તે ગાદિયે વર્ષ ઘણાં વિરાજયા; અઢારસેં ને અડસઠ્ઠ  સાલે,  વૈકુંઠમાં વાસ  કર્યો નૃપાળે. 1 પામ્યા નથુજી પછી રાજપાટ, તેનેજ દેવા સિરપાવ માટ; મહાપ્રભુ ગોંડળમાં પધારી, કૈલાસ   બાગે ઉતર્યા વિચારી. 2 જૈ  ભૂપને યોગ્ય સુભેટ દીધી, ભૂપે ભલી ત્યાં બરદાશ કીધી; સુભાગ્ય  તે ગોંડળનાં વિચિત્ર, જે પાંચમીવાર કર્યું પવિત્ર. 3 ગયા  પ્રભુ ગોંડળ  છઠ્ઠીવાર, પ્રસંગ  તે હું કહું એહ  ઠાર; એકોનશીતેર  તણો દુકાળ, થશે વિચાર્યું વૃષભકિતલાલ. 4 સ્વભકતને ધાન્ય ભરી રખાવા, સ્વયં હરિ સોરઠમાં સિધાવ્યા; ચાલ્યા પ્રભુ દૂર્ગપુરીથી જયાંય, ગયા રહ્યું ગોંડળ કોશ ત્યાંય.5 ચાલ્યા તહાંથી જ સીધા જુનાણે, તે કોઇયે ગોંડળમાં ન જાણે; સુતાર કચ્છી જન દેવરામ, છે ગોંડળે તેનું નિવાસ ઠામ. 6 તેને ઘરે પ્રસ્તુત કાંઈ આવ્યું, વિપ્રાર્થ ત્યાં ભોજન તો કરાવ્યું; તૈયાર થૈ શુદ્ધ  રસોઈ  સારી, કહે પતિ આગળ તેની નારી. 7 રસોઈ  તો એવી રુડી જણાય, જમે પ્રભુ તોય  પ્રસન્ન  થાય; શું જાણીયે શ્રીહરિ તો વસે કયાં?, શું જાણીયે આ સમયે હશે કયાં? 8 પુષ્પિતાગ્રા:- અખિલ ભુવન નાથ કયાંથી આવે, નિજ જનના સુમનોરથો પુરાવે; પ્રિ ય અતિશુભ કયાંથી ભાગ્યા એવાં, વ્રજ વસનારી ૠષિની નારી જેવાં. 9 વૃષકુળપતિ જો સમીપ હોય, લઈ જઈ ત્યાંય જમાડું થાળ તોય; મુજ મન હરિકાજ આજ એવું, પ્રભુ ન મળે મુખ અન્ન તો ન લેવું. 10 મુજ […] read more
0 Views : 1402

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૭

ઉપજાતિ:- દેવાજીયે હેત  વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું; વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રીમુરારી. 1 શિખરિણી:- મંગાવ્યાં તે ટાંણે વસુ મણ  સુવૃંતાક  હરિયે, તથા  ઘી  તે તુલ્યે વસુ મણ  નહી  ન્યૂન  જરિયે; 2 મસાલો  રૂપાળો  તજ  લવિંગ  એલાયચી  તથા, વઘાર્યું તે સારૂં સરસપણની  શી  કહું કથા. 3 હરિદ્રાને સાટે ધરમકુંવરે કેસર     ધર્યું, સ્વહસ્તે સંભાળી  કદી  નવ  કરેલા  સમ  કર્યું; 4 જથો  જાવંત્રીનો  ભલી  વળી  ભુકી  જાયફળની, સુગંધી   ફેલાઇ   સકળ   પુરમાં તે સકળની. 5 ઉડીને આકાશે પરિમળ  પહોંચ્યો  સ્વરગમાં, પ્રશંસા  તેથી  થૈ સુરપતિ  સુરોના  વરગમાં; 6 સ્વહાથે શ્રીનાથે સુખદ  પિરસ્યું સંત  સહુને, જમાડ્યા જુકિતથી ભલી વિધિ બીજા ભકત બહુને. 7 ઉપજાતિ:- દેવોજી ત્યાં દર્શન કાજ આવ્યા, સાથે ભલા ચાર કુમાર લાવ્યા; નાથોજી કાનોજી સુમોતિભાઈ, સંજ્ઞા બીજી ચંદ્રસિંહે ગણાઈ. 8 છે ભાણભાઇ  સુચતુર્થ નામ,  બેઠા પ્રભુને કરી સૌ પ્રણામ; પૂછ્યું પ્રભુ આપ કુમાર આ છે, રાજા કહે તે સુત આપના છે. 9 ત્યાં મોતિભાઈ વળી ભાણભાઈ, બે શીશ મૂકયો કર સુખદાઇ; આ બે કહ્યું સેવક છે અમારા, આ બે બીજા તે સુત છે તમારા. 10 તે બોલનો મર્મ પ્રભુજ જાણે, જાણે ન બીજા જન તેહ ટાણે; જેને કહ્યું શ્રીહરિયે અમારા, તે તો થયા બે સતસંગી સારા. 11 પ્રસાદી દૈ તે સહુને જમાડ્યા, વાતો કરી મોદ ઘણા પમાડ્યા; હેતે […] read more
0 Views : 1383

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૬

દોહરા:- શ્રોતા  સત્સંગી  સુણો,  વદે વિહારીલાલ; વર્ણી ભૂપ  સંવાદ  શુભ, કહું હવે આ  કાળ. 1 વળી  તે વાઘજીભાઇ  પ્રતિ,  ભાખે ભૂમાનંદ; સુણતાં સુંદર  તે કથા,  ઉપજે ઉર  આનંદ. 2 જ્ઞાનબાગમાં એક  દિન,  વર્ણી અચિંત્યાનંદ; ધર્મ તનુજનું ધ્યાન  ધરી,  બેઠા  કરૂણાકંદ. 3 શિખરિણી:- અચિંત્યાનંદાખ્ય  પ્રવર  વરણીના  ગુણ  કહું, ભલા યોગાભ્યાસી જગ થકી  ઉદાસી દિલ બહું; 4 કર્યા કાવ્યો  કેવાં સુખકર  સુધાસાગર  સમાં, સદા  રાખી  વૃત્તિ  પ્રગટ  પ્રભુ કેરા  ભજનમાં. 5 કરે વાર્તા જયારે અમૃતરસ  ત્યારે મુખ  ઝરે, વિરાગી  ને ત્યાગી  સકળ  શ્રુતિના  અર્થ ઉચરે; 6 સદાચારી  સારી  મતિ  સુહિતકારી  સહુ તણી, મુખી  વિદ્વાનોના  સકળ  મુનિયોના  શિરમણી. 7 વળી  તે વર્ણીને બહુબહુ વખાણ્યા  નરવીરે, સ્વહસ્તે બેસાર્યા વટનગરમાં મેંગળશિરે; 8 કહે શ્રીજી  પોતે અધિક  વરષો  જેમ  જ  જશે, અમારા  શિષ્યોમાં સુરતરુ  સમા  આ  બટુ થશે. 9 પછી   નિત્યાનંદે ગુણજલધિ   ગોપાળમુનિયે, ગુણાતીતાનંદે રઘુવીરજી     આચારજજીયે; 10 અચિંત્યાનંદાખ્ય  સુરતરુ  ઉછેર્યું શુભ  સમે, પછી  પોષ્યું પાળ્યંુ ભગવતપ્રસાદે વળી  અમે. 11 દોહરો:- વળી  એ જ  વર્ણીન્દ્રનું,  કહંુ બીજંુ આ  ઠામ; કવિવર  કૃષ્ણાનંદજી,  નિર્મળ  છે ઉપનામ. 12 ઉપજાતિ:- તે બ્રહ્મચારીની સમીપમાંય, આવ્યા અભેસિંહ નરેશ ત્યાંય; તે કોણ કયાંના કુળ કોણ એનું,  કરૂં હવે વર્ણન કાંઇ  તેનું. 13 પવિત્ર  છે જાદવવંશ જેહ, જેમાં ધર્યો શ્રીહરિયે સ્વદેહ; માર્યો મથુરાપતિ કંસ મામો, સૌરાષ્ટ્ર આવ્યા કરી તેહ કામો. 14 દ્વારામતીમાં જનને વસાવ્યા, અંતે […] read more
0 Views : 1409

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦પ

ઉપજાતિ:- કહે ભૂમાનંદ સુણો સુભકત, એકાગ્ર રાખી મન  ઇંદ્રિયુકત; સંવાદ વર્ણીન્દ્ર નરેંદ્ર  કેરો,  જે સ્થાન  મધ્યે પ્રગટ્યો ઘણેરો. 1 તે સ્થાનનું વર્ણન  તેહ કાળે, કર્યુ મહારાજ વિહારીલાલે; તે હું હવેથી તમને સુણાવું, સુણાવવા અંગ ઉમંગ લાવું. 2 ઉપજાતિ:- વરતાલનું વર્ણન:- આચાર્ય બોલ્યા હરિભકત પાસ, સુણો તમે સૌ હરિકૃષ્ણદાસ; વૃત્તાલનું વર્ણન હું કરૂં છું, મોટો મહીમા મનમાં ધરૂં છું. 3 શી વર્ણવું વૃતપુરીની શોભા, જે દેખવા દષ્ટિ દિસે સલોભા; શ્રીલક્ષ્મીનારાયણ જયાં વસે છે, તેથી જ સર્વોત્તમ તે દિસે છે. 4 વસ્યા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્યતા કોણ કહેજ કાશી; માહાત્મ્ય  તેનું મનમાં વિચારે,  દ્વારાવતીને વળતી વિસારે. 5 નક્ષત્ર કોઇ  રવિતુલ્ય  નાવે,  મેરૂ સમો પર્વત  ના કહાવે; ચિંતામણિથી ધન સર્વ છોટું,  સર્વેથી વૃત્તાલય તીર્થ મોટું. 6 ગંગા રહી ગોમતિને સ્વરૂપે, ભાનુસુતા દૈવત જ્ઞાનકૂપે; સરસ્વતી ગોપિતળાવ ભાવે,  ત્રિવેણીનું તત્ત્વ ધનાતળાવે. 7 એ ચાર જે ગોમતિતીર્થ આદિ, પ્રત્યક્ષ કૃષ્ણે કરી છે પ્રસાદિ; તેથી મહિમા અતિશ્રેષ્ઠ એનો, વિસ્તારથી ભેદ કહીશ તેનો. 8 જુવો વળી ઉત્તમ તીર્થ જેહ, તડાગ છે ટાડણ નામ તેહ; શ્રીભકિતપુત્રે બહુ વાર સ્નાન, જેમા કર્યુ જાહ્નવિ તે સમાન. 9 ઈન્દ્રવંશા:- શ્રીનાથનું મંદિર શોભિતું ઘણું, વેગે કરૂં વર્ણન આજ તે તણું; પ્રાકારનું પૂરવ દ્વાર શ્રીધરે,  જોવા નિશાનાથ દિનેશ સંચરે. 10 વિઘ્નેશ સામા હનુમાન ત્યાં રહે, ભકતો તણાં સંકટ ભાંગવા ચહે; ભૂતાદિ ચૂડેલ  ડરે […] read more
0 Views : 1470
Powered By Indic IME