સંવત્ ૧૮૮૨ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મઘ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા,ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચિમનરાવજીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિ સમયને વિષે એ જીવોને સ્થૂલ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ. તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે. માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ર્ન તમને પુછતાં આવડયો નહિ. કેમ જે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂલ, સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે. માટે એને કારણ શરીર કહે છે. અને એજ કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે, ને અનાદિ છે, ને સંચિતકર્મે યુક્ત છે. અને જેમ બીજ ને ફોતરાને નિત્ય સંબંધ છે,અને […]
read more