સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૬ છઠને દિવસ સંઘ્યા સમે શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે, તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે, પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંધાથે ચોટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દૃઢ થતી જાય, ત્યાં દૃષ્ટાંત છે જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઇને પાણી પીવે અને ચકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ધોડા, હાથી તથા મોટા મોટા મગર, મત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળીયા થાય છે પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી, અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે […]
read more