Last Updated:
May 5, 2025

Click here to submit your article
2 સારંગપુર પ્રકરણ
Per Page :

સારંગપુર ૧૭ : મુકતના ભેદનું-આંબલીની ડાળીનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૬ છઠને દિવસ સંઘ્‍યા સમે શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે, તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્‍યારે ભગવાનને જાગ્રત, સ્‍વપ્ન, સુષુપ્‍તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્‍વપ્ન, સુષુપ્‍તિ થકી પર માને ત્‍યારે ભગવાન તે થકી પર ભાસે છે, પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંધાથે ચોટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દૃઢ થતી જાય, ત્‍યાં દૃષ્ટાંત છે જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઇને પાણી પીવે અને ચકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ધોડા, હાથી તથા મોટા મોટા મગર, મત્‍સ્‍ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળીયા થાય છે પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી, અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે […] read more
0 Views : 219

સારંગપુર ૧૮ : ખાર ભૂમિનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા શુદિ ૮ આઠમને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે શ્રદ્ધાવાન પુરૂષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો  એના હૃદયને વિષે સ્‍વધર્મ, વૈરાગ્‍ય, વિવેક, જ્ઞાન, ભકિત આદિક જે કલ્‍યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઇ આવે છે અને કામ, ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે, અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્‍ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે, જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેધ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતાં ન હોય અને તેજ ખાર ભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઇ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળાં વડ, પિંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્‍યાં હોય તે બીજ ઉગીને મોટાં મોટાં વૃક્ષ થાય છે, તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દૃઢ હોય […] read more
0 Views : 290
Powered By Indic IME