સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “જેને ભગવાનના સ્વરૂપનો નિશ્વય પ્રથમ થઇને પછી મટી જાય છે, તેને પ્રથમ નિશ્વય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને પોતાના જીવાત્માને વિષે નિશ્વય થયો હોય તે તો કોઇ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્વય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્વય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થ પણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે, માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યુ હશે, જેણે કરીને એનો નિશ્વય ટળી ગયો ? એ પ્રશ્ર્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “શાસ્ત્ર બહાર તો કોઇ ચરિત્ર નથી, માટે હે મહારાજ ! એ જીવને નિશ્વય થઇ ને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘જેને ભગવાનનો નિશ્વય થાય છે, તેને શાસ્ત્રે કરીને જ થાય છે, કાં જે શાસ્ત્રમાં પરમેશ્વરનાં પણ લક્ષણ કહ્યાં હોય, અને […]
read more