Last Updated:
May 5, 2025

Click here to submit your article
2 સારંગપુર પ્રકરણ
Per Page :

સારંગપુર ૯ : યુગના ધર્મ પ્રવર્ત્યાનું – સ્થાનનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્‍યા તે ગામ શ્રીકુંડળ પધાર્યા અને તે કુંડળ મઘ્‍યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”હે મહારાજ ! જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્‍વગુણ વર્તતો હોય ત્‍યારે તેના હૃદયમાં સત્‍યયુગની પ્રવૃતિ હોય અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે તેના હૃદયમાં ત્રેતાયુગની પ્રવૃતિ હોય અને જ્યારે રજોગુણ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્‍યારે તેના હૈયામાં દ્વાપરયુગની પ્રવૃતિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્‍યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃતિ હોય, એમ ગુણે કરીને યુગની પ્રવૃતિ છે. પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે,”ગુણની પ્રવૃતિ થયાનો શો હેતુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે, તે જેવાં પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે, માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો […] read more
0 Views : 266

સારંગપુર ૧૦ : આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું-પાંચ ખાસડાનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૪ચૌદશને દિવસ શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઇને ગામ કુંડળથી ચાલ્‍યા તે વાટમાં ગામ ખાંભડે આવ્‍યા ને ત્‍યાં પીપરના વૃક્ષ હેઠે ઉતર્યા પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્‍યા અને તે સમે શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાને ચારે કોરે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા બેઠી હતી. અને સાધુ કીર્તન ગાતા હતા તે કીર્તન રખાવીને શ્રીજીમહારાજે તે ગામના માણસ આગળ વાત કરી જે, આ સંસારને વિષે ધર્મવાળા ને અધર્મી એ બે પ્રકારના માણસ છે, તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્‍ત્રીનો સંગ તથા ચાડીચુગલી એ આદિક સર્વે પાપનો ત્‍યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મમર્યાદામાં ચાલે છે, તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઇ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્‍યજ ભાસે અને એવા જે ધર્મવાળા હોય તેનેજ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્યમાંસનું ભક્ષણ, વટલવું, વટલાવવું એ આદિક સર્વે કુકમર્ો તેને વિષેજ ભરપુર હોય ને તેનો સંસારમાં કોઇ વિશ્વાસ કરેજ નહિ ને એનાં સગાં હોય તે પણ કોઇ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમેજ નહિ અને જો કોઇ બીજો તે સંતનો સમાગમ […] read more
0 Views : 331

સારંગપુર ૧૧ : પુરૂષપ્રયત્નનું, પરમેશ્વરની કૃપાનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૩૦ અમાસને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”પુરૂષપ્રયત્‍ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરૂષપ્રયત્‍ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સદ્રુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દૃઢ વૈરાગ્‍યને પામ્‍યો હોય અને દૃઢ શ્રદ્ધાવાન હોય અને અષ્‍ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દૃઢ પાળતો હોય અને અંિહંસા ધર્મને વિષે દૃઢ પ્રીતિવાન હોય અને આત્‍મનિષ્‍ઠા પણ અતિ પરિપકવ હોય તો તેને માથેથી જન્‍મમરણની નિવૃત્તિ થઇ જાય છે જેમ શાળને માથેથી ફોતરૂં ઊતર્યુ તે શાળ પાછી ઉગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છુટે છે ને જન્‍મમરણ થકી રહિત થાય છે ને આત્‍મસત્તાને પામે છે, આટલું તો પુરૂષપ્રયત્‍ને કરીને થાય છે. અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપરજ થાય છે અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્‍યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે અને શ્રુતિએ કહ્યું છે જે “નિરંજનઃ પરમં સામ્યમુપૈતિ” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે […] read more
0 Views : 204

સારંગપુર ૧૨ : આત્માના વિચારનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧ પડવાને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”સાધુને વિષે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો આત્‍મનિષ્‍ઠા અને બીજો સ્‍વધર્મ અને ત્રીજો ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને ૪પાછા જાય પણ ખરા, માટે બીજા ગુણ તો આવ્‍યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે. પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ”દેહની ને આત્‍માની નોખી વિકિત સમજાણી હોય તોય પણ તે વિકિતને ભુલીને પાછો દેહાભિમાની કેમ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, દેહ અને આત્‍માની વિકિત એકવાર ચોખી સમજાણી હોય તો પછી પાછી ભુલાય નહિ અને એમ માને જે, ‘હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાયજ નહિ, અને ભગવાનનો નિશ્વય પણ જો એકવાર દૃઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહિ. અને એમ જણાય છે જે આત્‍મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એતો ખોટો ખોટો મનમાં ભ્રમ […] read more
0 Views : 196

સારંગપુર ૧૩ : નિશ્વય ટાળ્યા – ન ટાળ્યાનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૨ બીજને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “જેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય પ્રથમ થઇને પછી મટી જાય છે, તેને પ્રથમ નિશ્વય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામી બોલ્‍યા જે, “જેને પોતાના જીવાત્‍માને વિષે નિશ્વય થયો હોય તે તો કોઇ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્વય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્‍યારે ભગવાનનો નિશ્વય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થ પણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે, માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યુ હશે, જેણે કરીને એનો નિશ્વય ટળી ગયો ? એ પ્રશ્ર્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્‍યા જે, “શાસ્ત્ર બહાર તો કોઇ ચરિત્ર નથી, માટે હે મહારાજ ! એ જીવને નિશ્વય થઇ ને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘જેને ભગવાનનો નિશ્વય થાય છે, તેને શાસ્‍ત્રે કરીને જ થાય છે, કાં જે શાસ્ત્રમાં પરમેશ્વરનાં પણ લક્ષણ કહ્યાં હોય, અને […] read more
0 Views : 221

સારંગપુર ૧૪ : પ્રમાદ અને મોહનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૩ ત્રીજને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર વિરાજમાન હતા,  અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, અને પાઘમાં પીળા પુષ્પનાં છોગાં ધારણ કર્યા હતાં અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર નાભિ સુધી હિંડળતો વિરાજમાન હતો,અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજીમહારાજ વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે,”ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,”કોણ ભગવાનના ધામને પામીને પાછો પડયો છે એક તો બતાવો ?” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ કહ્યું જે,”એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડયા, અને ગોલોકમાંથી રાધીકાજી ને શ્રીદામા પડયા” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,”જય વિજય પડયા એતો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારૂં પાડયા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરેતો વૈકુંઠાદિક જેવા ધામને પામ્‍યો હોય તોય પણ પડી જાય છે અને જય વિજય તો પાછા ત્રીજે જન્‍મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહાંચ્‍યા માટે એ કાંઇ પડયા ન […] read more
0 Views : 209

સારંગપુર ૧૫ : મુગ્ધા્, મઘ્યા અને પ્રૌઢાનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, લ્‍યો અમે પ્રશ્ર્ન કરીએ છીએ જે ”બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્‍યંત પ્રીતિ છે અને ભગવાનનાં દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ધણો દીઠામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્‍મનિષ્‍ઠા પણ છે અને વૈરાગ્‍ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કહ્યો તેને તો આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય એ બેય નથી તો પણ એની ભકિત અતિશે શોભે છે. અને આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍યે યુક્ત છે તો પણ તેની ભકિત તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી, એ બે પ્રકારના ભક્તમાં કેની ભકિત શ્રેષ્‍ઠ છે ? ને કેની ભકિત કનિષ્‍ઠ છે ? એ પ્રશ્ર્ન છે” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામી બોલ્‍યા જે, આત્‍મનિષ્‍ઠા અને વૈરાગ્‍ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશે પ્રેમ છે તેજ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ”જેને વૈરાગ્‍ય ને આત્‍મનિષ્‍ઠા નથી તેને શ્રેષ્‍ઠ કહો છો તે શી […] read more
0 Views : 191

સારંગપુર ૧૬ : નરનારાયણના તપનું

સંવત્ ૧૮૭૭ ના ભાદરવા સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી પરમાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ” શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રી નરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્‍યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્‍યારે સર્વે મનુષ્ય કલ્‍યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતાં ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્ભાગવતના પંચમ સ્‍કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે તો આ ભરતખંડને વિષે અતિશે દુર્લભ એવું જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભકિત કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્‍વિના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિષે નિરંતર અધિક પણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ઉપશમ, ઐશ્વર્ય આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્‍યાં સુધી બદરીકાશ્રમને વિષે રહ્યા છે અને ભરતખંડને […] read more
0 Views : 198
Powered By Indic IME