Last Updated:
May 5, 2025

Click here to submit your article
2 સારંગપુર પ્રકરણ
Per Page :

સારંગપુર ૧ : મન જીત્યાનું

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૫ પંચમીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ‘જિતં જગત્ કેન મનો હિ યેન’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ” જેણે પોતાનું મન જીત્‍યું તેણે સર્વ જગત જીત્‍યું, તે મન જીત્‍યું કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઇન્‍દ્રિયો પાછાં હઠે અને કોઇ વિષય પામવાની ઇચ્‍છા રહે નહિ, ત્‍યારે સર્વે ઇન્‍દ્રિયો વશ થાય છે અને જ્યારે ઇન્‍દ્રિયો વિષયનો સ્‍પર્શ જ ન કરે ત્‍યારે મન પણ ઇન્‍દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે એવી રીતે જેને પંચવિષયનો ત્‍યાગ અતિ દૃઢ પણે કરીને થયો ત્‍યારે તેનું મન જીત્‍યું જાણવું. અને જો વિષય ઉપર કાંઇ પ્રીતિ હોય તો મન જીત્‍યું હોય તો પણ જીત્‍યું ન જાણવું. પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “વિષયની નિવૃતિ થયાનું કારણ તે વૈરાગ્‍ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્‍મનિષ્‍ઠા છે અને બીજું માહાત્‍મ્‍યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે, તેમાં આત્‍મનિષ્ઠા તો એવી […] read more
0 Views : 349

સારંગપુર ૨ : ભગવાનની મૂર્તિમાં હેત થયાનું

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૬ છઠ્ઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્‍યો હતો તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે  વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્‍યે બોલ્‍યા જે ”માંહોમાંહી પ્રશ્ર્ન ઉતર કરો” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનના ભક્તને ૧ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયે પ્રકારે થાય ?” પછી  તે પ્રશ્ર્નનો ઉત્તર મુનિએ માંહોમાંહી કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર  કરવા માંડયો જે, સ્‍નેહ તો  રૂપે કરીને પણ થાય છે તથા સ્‍વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્‍નેહ થાય છે તેતો જ્યારે તેના દેહમાં પિત્ત નીસરે અથવા કોઢ નીસરે ત્‍યારે સ્‍નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ, કામ અને સ્‍વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્‍નેહ થયો હોય તેતો અંતે રહે છે. ત્‍યારે શ્રીજી મહારાજ પ્રત્‍યે સોમલો ખાચર બોલ્‍યા જે ”એ તે ગુણ કયા ઉપરલા કે માંહિલા ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ઉપરલે ગુણે શું થાય ? એતો વચને […] read more
0 Views : 322

સારંગપુર ૩ : શ્રવણ, મનન, નિદિઘ્યાસ અને સાક્ષાત્કારનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ ૧સાંજને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્‍તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”હે મહારાજ ! એક ભક્ત તો નાના પ્રકારની પૂજાસામગ્રી લઇને પ્રત્‍યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસીપૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્‍ઠ તે કોણ છે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જો ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઇને તથા ગદ્ ગદ્ કંઠ થઇને જો ભગવાનની પ્રત્‍યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતેજ ભગવાનની માનસીપૂજા કરે છે તો એ બેય શ્રેષ્‍ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદ્ ગદ્ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્‍યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્‍યૂન છે અને માનસીપૂજા કરે છે તોય ન્‍યૂન છે.” ત્‍યારે સોમલેખાચરે પુછયું જે ”એવી રીતે જે, પ્રેમ મગ્‍ન થઇને પ્રત્‍યક્ષ  ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસીપૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે ”જેને ભગવાનની સેવા પૂજાને વિષે તથા કથા, વાર્તા, કીર્તનને વિષે […] read more
1 Views : 472

સારંગપુર ૪. આત્મા-અનાત્મના વિવેકનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્‍તકે શ્વેત પાઘ બાંધી હતીને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ આત્‍મા અનાત્‍માની ચોખી જે વિકિત તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્‍મા અનાત્‍મા એક સમજાય જ નહિ.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખું સમજાય તે ઠીક છે, જે સમજાણા કેડે આત્‍મા અનાત્‍માના એકપણાનો લોચોજ રહે નહિ અને ચોખું સમજાઇ જાય તે સમજણ સુખદાઇ થાય છે, અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખું સમઝે જે, ”હું જે આત્‍મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી અને જડ દુ-:ખ અને મિથ્‍યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્‍ય તે મારે વિષે એકેય આવતો નથી’ એવી વિકિત સમજીને તે અત્‍યંત નિર્વાસનિક થઇને ચૈતન્‍યરૂપ થકો પુરૂષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ ચૈતન્‍યનો વિવેક તેને દૃઢ વિવેક જાણવો. અને ઘડીક પોતાને આત્‍મારૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને […] read more
0 Views : 283

સારંગપુર ૫ : અન્વયવ્યતિરેકનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૯ નવમીને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીયે ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતી તથા ભગવાનના સ્‍વરૂપનું માહાત્‍મ્‍ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઇ જાય છે, તેમાં પણ જો એક માહાત્‍મ્‍ય અતિશય દૃઢ હોય તો શ્રદ્ધા, વિશ્વાસ તથા પ્રીતી એ ત્રણ દુર્બળાં હોય તો પણ મહા બળવાન થાય છે અને માહાત્‍મ્‍ય વિનાની ભકિત જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઇ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્‍મ્‍ય વિનાની ભકિત હોય તે પણ પરિપકવ થતી થતી નાશ થઇ જાય છે અને જેના હૃદયમાં માહાત્‍મ્‍ય સહિત ભગવાનની ભકિત હોય તો બીજા કલ્‍યાણ-કારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો માહાત્‍મ્‍યે સહિત […] read more
0 Views : 305

સારંગપુર ૬ : એક અવસ્થામાં બબે અવસ્થાનું – ચાર પ્રકારની વાણીનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી નિત્‍યાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”એક એક અવસ્‍થાને વિષે બીજી બે બે અવસ્‍થાઓ કેમ રહી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, આ જીવાત્‍મા જે તે ‘જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે’તેને અવસ્‍થા કહીએ, તે અવસ્‍થા જાગ્રત, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ એ ત્રણ પ્રકારની છે, તેમાં જે જાગ્રત અવસ્‍થા છે તે વૈરાજ પુરૂષની જે સ્‍થ્‍િાતિ અવસ્‍થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્‍મક છે ને નેત્ર સ્‍થાનકને વિષે રહી છે એવી જે જાગ્રત અવસ્‍થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્‍મા તે જે તે સ્‍થૂળદેહના અભિમાન સહિત થકો દશ ઇન્‍દ્રિયો ને ચાર અંત:કરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્‍દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણપ્રધાન એવી જાગ્રત  અવસ્‍થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્‍મા ભ્રાંતિએ  કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિષે સ્‍વપ્ન કહીએ અને એ જીવાત્‍મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષયભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્‍તિ કહીએ. અને જે સ્‍વપ્ન […] read more
0 Views : 300

સારંગપુર ૭ : નૈમિષારણ્ય ક્ષેત્રનું

sassssaસંવત ૧૮૭૭ના શ્રાવણ વદી ૧૧ એકાદશીને દિવસ ૧રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજીમહારાજે શ્રીમદ્ભાગવત પુરાણના પ્રથમ સ્‍કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્‍યો હતો ત્‍યારે તેમાં એમ વાર્તા આવી જે, ‘જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્‍યાં નૈમિશારણ્‍ય ક્ષેત્ર જાણવું.’ એ વાર્તાને સાંભળીને મુકતાનંદસ્‍વામીએ પૂછયો જે, “હે મહારાજ ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દશ ઈન્‍દ્રિયો છે એમ જાણવું અને તે ઈન્‍દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂંઠી થઈ જાય તેને નૈમિશારણ્‍યક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ઘ્‍યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્‍યે વૃદ્ધિ પામે એવું જે નૈમિશારણ્‍યક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું અને જ્યારે મનોમય ચક્રની ઈન્‍દ્રિયો રૂપ જે ધારા તે બૂંઠી થઈ જાય ત્‍યારે શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે કયાંઈ પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્‍યારે […] read more
0 Views : 283

સારંગપુર ૮ : ઈર્ષ્યાના રૂપનું

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી ચૈતન્યાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! ઇર્ષ્યાનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઇર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ મત્‍સર ને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે, અને ઇર્ષ્યાનું એ રૂપ છે જે “પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્‍માન થાય ત્‍યારે તેને દેખી શકે નહિ,” એવો જેનો સ્‍વભાવ હોય તેને એમ જાણવું જે આના હૈયામાં ઇર્ષ્યા છે અને યથાર્થ ઇર્ષ્યા વાળો જે હોય તે તો કોઇની મોટાઇને દેખી શકે નહિ. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૮|| ૮૬ || read more
0 Views : 262
Powered By Indic IME