ગઢડા પ્રથમ – ૬૬ : શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુવ્ર્યૂહનીજ વાર્તા છે તે કોઇ ઠેકાણે એને સગુણ કરીને કહે છે અને કોઇ ઠેકાણે એને નિર્ગુણ કરીને કહે છે, તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે. અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરૂદ્ધ, પ્રદ્યુમ્નને કહેછે, માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમિ જાય છે અને એમ જાણે છે જે ‘ભગવાનનો તો આકાર નથી’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દછળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દછળ તો જે ‘ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.’ એવાં વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે.’ અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ […]
read more