ગઢડા પ્રથમ – ૫૯ : અસાધારણ સ્નેહનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ સુદિ ૧૪ ચતુર્દશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે હીરકોરનું ધોળું ધોતીયું બાંઘ્યું હતું ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રશ્ર્ન ઉત્તર કરો, પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ‘એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, આ મને મળ્યા છે તે નિશ્વે જ ભગવાન છે’ તથા આસ્તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરૂષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઇને આ બ્રહ્માંડના કરતા જાણે નહિ, એક ભગવાન પુરૂષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમઝણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્વય તેજ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે. પછી વળી મુકતાનંદ સ્વામીએ પુછ્યું જે, “એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય […]
read more