ગઢડા પ્રથમ – ૪૪ : બળબળતા ડામનું, ડગલાનું સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૮આઠમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં, શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે, ઓટા મઘ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંઘ્યો હતો, ને તે ફેંટાને એક આંટે કરીને બોકાની વાળી હતી, ને તે પાઘ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનને વિષે સ્નેહ હોય તેનું શું રૂપ છે?” પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડયું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમને તો સ્નેહની દિશજ જડી નહિ, અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો, એ સ્નેહનું રૂપ નહી, એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે. એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પજ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઇક ઘાટ થાય તો, જેમ પંચામૃત […]
read more