ગઢડા પ્રથમ – ૧૮. વિષય ખંડનનું, હવેલીનું સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૬ છઠને દિવસ રાત્રિ પાછલી પહોર એક બાકી હતી, ત્યારે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે “એક વાત કહું તે સાંભળો” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએજ અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તેજ મુકત થાય છે અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ, અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુકત થાય નહિ, તે વાત કહીએ તે સાંભળો જે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહિ. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય, એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભકતના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું […]
read more