Last Updated:
May 5, 2025

Click here to submit your article
1 પ્રથમ પ્રકરણ
Per Page :

ગઢડા પ્રથમ – ૯. ભગવાન વિના બીજું ન ઈચ્છિવાનું

ગઢડા પ્રથમ – ૯. ભગવાન વિના બીજું ન ઈચ્‍છવાનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્‍યક્ષપણે નિશ્વય કયર્ો હોય અને તેની ભકિત કરતો હોય અને તેનાં દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંત:કરણમાં ન્‍યૂનતા વર્તે જે, ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાણું નથી, ત્‍યાં સુધી મારૂં પરિપૂર્ણ કલ્‍યાણ થયું નથી” એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, અને જે પ્રત્‍યક્ષ ભગવાનને વિષે દ્ઢ નિષ્‍ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઇ નથી ઇચ્‍છતો, તેને તો ભગવાન પોતે બલાત્‍કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે, માટે જેને ભગવાનને વિષે અનન્‍ય નિષ્‍ઠા હોય તેને પ્રત્‍યક્ષ ભગવાન વિના બીજું કાંઇ ઇચ્‍છવું નહિ. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૯|| read more
0 Views : 1495

ગઢડા પ્રથમ – ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું

ગઢડા પ્રથમ – ૧૦. કૃતઘ્‍નીનું, સેવકરામનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્‍યાં એક સેવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ્ભાગવતાદિક પુરાણને ભણ્‍યો હતો. તે માર્ગમાં ચાલતાં માંદો પડયો, તેની પાસે રૂપિયા હજારની સોનામહોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઇ નહિ માટે રોવા લાગ્યો, પછી તેને અમે કહ્યું જે, ‘કાંઇ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું.’ પછી ગામને બહાર એક કેળાંની ફુલવાડી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજાર ભૂત રહેતાં હતાં. પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ અને અતિશય માંદો થયો, તે ઉપર અમને અતિશે દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઉચી પથારી કરી આપી  અને તે સાધુને લોહિખંડ પેટબેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ. પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપીયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરાવતા. અને અમો વસ્‍તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્‍તીમાં અન્ન મળતું નહિ ત્‍યારે અમારે ઉપવાસ થતો. […] read more
0 Views : 1475

ગઢડા પ્રથમ – ૧૧. વાસનાનું તથા એકાંતિક ભકતનું

ગઢડા પ્રથમ – ૧૧. વાસનાનું તથા એકાંતિક ભકતનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “પૂર્વે જે વિષય ભોગવ્‍યા હોય, દીઠા હોય અને સાંભળ્‍યા હોય તેની જે અંત:કરણને વિષે ઇચ્‍છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્‍યામાં ન આવ્‍યા હોય, તેની જે અંત:કરણને વિષે ઇચ્‍છા વર્તે તેને પણ વાસના કહીએ.” ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભકત કેને કહીએ ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને ભગવાન વિના બીજી કોઇ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરતો હોય તે એકાંતિક ભકત કહેવાય.” ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ||૧૧|| read more
0 Views : 1361

ગઢડા પ્રથમ – ૧૨. તત્ત્વોના લક્ષણનું

ગઢડા પ્રથમ – ૧૨. તત્ત્વોના લક્ષણનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૫ પુનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “જગતનાં કારણ એવાં જે પુરૂષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્ત્વાદિક ચોવીશ તત્ત્વ એમના સ્‍વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્‍યારે પોતાને વિષે રહી જે અવિદ્યા અને તેનાં કાર્ય એવાં જે ચોવીશ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે.” ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! એમનું સ્‍વરૂપ કેમ જાણ્‍યામાં આવે?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એમનાં સ્‍વરૂપ તો એમનાં લક્ષણને જાણવે કરીને જણાય છે, તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય, અખંડ, અનાદિ, અનંત, સત્‍ય, સ્‍વયંજ્યોતિ, સર્વજ્ઞ, દિવ્‍યવિગ્રહ, સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરૂષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્‍મક છે, જડચિદાત્‍મક છે, નિત્‍ય છે, નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્ત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શકિત છે, અને ગુણસામ્‍ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને  કાળ કહીએ. હવે મહત્તત્ત્વાદિક જે તત્ત્વ તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, ચિત્તને અને મહત્તત્‍વને અભેદપણે જાણવું અને જે મહત્તત્‍વને વિષે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું […] read more
0 Views : 1389

ગઢડા પ્રથમ – ૧૩. વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું

ગઢડા પ્રથમ – ૧૩. વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરને સમીપે લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેયર્ો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી સેલું બાંઘ્‍યું હતું અને કટીને વિષે સોનેરી શેલું બાંઘ્‍યું હતું અને કંઠને વિષે મોતીની માળાઓ પહેરી હતી અને પાધને વિષે મોતીના તોરા લટકતા મુકયા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને નિત્‍યાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે “દેહ દેહ પ્રત્‍યે જીવ એક છે કે અનેક છે ? અને જો એક કહેશો તો વડ, પીંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્‍યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કયર્ો ? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્‍યુત છે તે કપાણો કેમ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, લ્‍યો એનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરૂષ અને પ્રકૃતિ એ બે શકિતઓ છે. તે જગતની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરૂષને પ્રકૃતિરૂપ જે પોતાની બે શકિતઓ તેનું ગ્રહણ કરીને […] read more
0 Views : 1452

ગઢડા પ્રથમ – ૧૪. ‘અંતે યા મતિ: સા ગતિ:’નું

ગઢડા પ્રથમ – ૧૪. ‘અંતે યા મતિ: સા ગતિ:’નું સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાધ બાંધી હતી અને ધોળો ખેસ પહેયર્ો હતો. અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાધમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા અને તે ગુચ્‍છની ઉપર ગુલાબનાં પુષ્પ વિરાજમાન હતાં અને કંઠને વિષે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે “એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્‍યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્‍યાગી ભકત છે. અને તેને ભગવાનનો નિશ્વય પણ દઢ છે અને વળી બીજો ગૃહસ્‍થ ભકત છે તેને પણ ભગવાનનો નિશ્વય દઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્‍યાગીને જગતમાં વાસના છે, તેટલી તે ગૃહસ્‍થને પણ વાસના છે. એ […] read more
0 Views : 1403

ગઢડા પ્રથમ – ૧૫. ઘ્યાન કરવામાં કાયર ન થવાનું

ગઢડા પ્રથમ – ૧૫. ઘ્‍યાન કરવામાં કાયર ન થવાનું સંવત્ ૧૮૭૬ ના માગશર વદી ૩ ત્રીજને  દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે “જેના હઇયામાં ભગવાનની ભકિત હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જેજે વચન કહેશે તેમજ મારે કરવું છે,” એમ તેના હઇયામાં હિંમત રહે અને “આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય” એવું વચન તો ભૂલ્‍યે પણ ન કહે, અને વળી ભગવાનની મૂર્તિને હઇયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્‍ય નવી શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટસંકલ્‍પ થાય અને તે હઠાવ્‍યા હઠે નહિ તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્‍પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્‍વરૂપને હઇયામાં ધારતો રહે, તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઇને ભગવાનના સ્‍વરૂપને ધારવું તે મુકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, “અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ” તે માટે એમ ને એમ […] read more
0 Views : 210

ગઢડા પ્રથમ – ૧૬. વિવેકનું

ગઢડા પ્રથમ – ૧૬. વિવેકનું સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યા હતાં. અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે ભગવાનના ભકતને સત્ અસત્ નો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્‍યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્‍સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્‍યાગ કરીદે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્‍ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહિ, અને સંત કહે જે, ‘તું દેહ ઈન્‍દ્રિય મન પ્રાણથી જુદો છો અને સત્‍ય છો અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્‍ય છે’ એમ વચન કહે તેને સત્‍ય માનીને તે સર્વથી જુદો આત્‍મારૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટય આવે એવાં જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહિ. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર […] read more
0 Views : 231
Powered By Indic IME