Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા અંત્ય ૨૦ : સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ અમાવાસ્‍યાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ર્ન પુછયો જે, હે મહારાજ ! ૧કાળ તો ભગવાનની શકિત છે, ને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્‍વભાવ તે વસ્‍તુગતે શું હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવે જે પૂર્વ જન્‍મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપકવ અવસ્‍થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્‍નિ પ્રવેશ થઈ જાય, તેમ પરિપકવ પણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્‍વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.” પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને સ્‍વભાવ તથા વાસના કરીને કહોછો એ વાસનાને ટાળ્‍યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ વાસના ટાળ્‍યાનો ઉપાય તો આત્‍મ-નિષ્‍ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભકિત કરવી એજ ભાસે છે. અને જો આત્‍મનિષ્‍ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણભગવાનની ભકિત હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્‍મનિષ્‍ઠા સહિત ભકિત કરવી એ જ વાસના ટાળ્‍યાનો ઉપાય છે. અને આત્‍મનિષ્‍ઠાવાળાને […] read more
0 Views : 209

ગઢડા અંત્ય ૨૧ : સોનાના દોરાનું – ધર્મમાં ભકિત સરખી ગૌરવતાનું

સંવત્ ૧૮૮૪ના ભાદરવા શુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદસ્વામીને ને શુકમુનિને પ્રશ્ર્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનની જે ભકિત છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે. અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્‍તિ થાય છે ને તે પુણ્‍યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્‍લાનિ થાય છે ત્‍યારે ત્‍યારે તે ધર્મને સ્‍થાપન કરવાને અર્થે થાય છે, પણ ભકિતના સ્‍થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્‍તિ ભકિતવતે થાય છે તે પ્રાપ્‍તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભકિત સરખી કયે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે ? એ પ્રશ્ર્ન છે.” પછી ગોપાળાનંદસ્વામીએ એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા માંડયો, તે જે જે વાત કરી તેમાં ધર્મ તે ભકિતનું અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભકિત સરખું ધર્મમાં ગૌરવ આવે નહિ, પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ અતિશય હસતા હવા. અને એમ  બોલ્‍યા જે, “એ પ્રશ્ર્નનો ઉત્તર ધણો કઠણ છે. માટે લ્‍યો. અમે […] read more
0 Views : 187

ગઢડા અંત્ય ૨૨ : સખી – સખાના ભાવનું

સંવત્ ૧૮૮૪ના ભાદરવા વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા. અને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા  ભરાઈને બેઠી હતી. ને પરમહંસ દૂકડ સરોદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “જેવું પ્રેમલક્ષણા ભકિતએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે. તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવાં અંગ હતાં, માટે અમે અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્‍સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમલક્ષણા ભકિતનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્‍મનિષ્‍ઠા રાખ્‍યા વિનાની જ રહે છે.” પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “નરસિંહ મહેતો તો સખાભાવે શ્રીકૃષ્ણભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે, એ બે પ્રકારના ભક્તમાં કેની ભકિત શ્રેષ્‍ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નરસિંહ મહેતો, ગોપીયો ને નારદ સનકાદિક, એમની ભકિતમાં બે પ્રકાર નથી. એ તો એક પ્રકાર જ છે, અને દેહ તો પુરૂષનો ને સ્‍ત્રીનો બેય […] read more
0 Views : 173

ગઢડા અંત્ય ૨૩ : માનસી પૂજાનું

સંવત્ ૧૮૮૫ના આસો શુદિ ૧૫ પૂનમને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ફળિયાની વચ્‍ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્‍યે બોલ્‍યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે નિત્‍યે ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વિકિત છે જે, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારૂં ટાઢું સુગંધિમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા ને પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ધાટો હોય તે પહેરવા આપવો, તે પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગઅંગને વિષે સુંદર મળિયાગર ચંદન ધસીને વાટકામાં ઉતારી રાખ્‍યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિષે ચચર્ીને લલાટને સારી પેઠે નીરખવું. તથા હાથને વિષે ચચર્ીને હાથને સારી પેઠે નીરખવા, તથા હૃદય, ઉદર, સાથળ, પીંડી એ આદિક જે અંગ તેને વિષે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નીરખવાં. તથા ચરણાવિંદની ઉપર ને તળે સુંદર કુંકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નીરખવાં, પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે […] read more
0 Views : 167

ગઢડા અંત્ય ૨૪ : સોળ સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું

સંવત્ ૧૮૮૫ના આસો વદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્‍તિનાં જે સાધન તે શાં છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રદ્ધા, સ્‍વધર્મ, વૈરાગ્‍ય, સર્વપ્રકારે ઈન્‍દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્‍મનિષ્‍ઠા, માહાત્‍મ્‍યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્વળ ભકિત, સંતોષ, નિદર્ંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરૂભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરીયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.” પછી શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, “આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિષે એવું કયું લક્ષણ છે જે, જેણે કરીને એમ જાણીએ જે એને આપત્‍કાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહિ ડગે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનાં જે જે નાનાં મોટાં વચન તેની ઉપર નિરંતર જેની દૃષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે […] read more
0 Views : 173

ગઢડા અંત્ય ૨૫ : શ્રીજીની પ્રસન્નતાનું -ખરા ભકતનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, ભગવાન સંબંધી ભકિત, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્‍ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્‍છા ન રાખવી. એમ સચ્‍છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી તો ઈચ્‍છા રાખવી જે, એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એટલી ઈચ્‍છા રાખવી. અને એવી ઈચ્‍છા રાખ્‍યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભકિત આદિક જે ગુણ તેણે કરીને ભગવત્‍પ્રસન્નતારૂપ ફળને ઈચ્‍છવું. અને જો એ વિના બીજી ઈચ્‍છા રાખે તો ચતુર્ધા મુકિત આદિક ફળની પ્રાપ્‍તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભકિત કરે તેની ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી, ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફુલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમકે, ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે. અને વળી, ભગવાનનો ખરો ભક્ત તે […] read more
0 Views : 237

ગઢડા અંત્ય ૨૬ : મન-ઈન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય એવા જે સંત તે કેવા હોય તો ઈન્‍દ્રિયો, અંત:કરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાનેજ કરે. ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત, તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે, એવી ક્રિયા દેવ મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય છે. માટે જેને કલ્‍યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી.  અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.” પછી શ્રીજી મહારાજને આત્‍માનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “આ સત્‍સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતા હોય ત્‍યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ. પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્‍સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન […] read more
0 Views : 205

ગઢડા અંત્ય ૨૭ : કોઈ જાતની આંટી ન પાડયાનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ પુનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે વાર્તા કરી જે, “શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્‍ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્‍થળ તેને વિષે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિનાં દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્‍ત થાય ને બીજા સ્‍પર્શ આદિક ચાર વિષય તેનું સુખ પણ પ્રાપ્‍ત થાય, તે એક જ સમયને વિષે થાય છે. અને બીજા માયિક જે પંચવિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્‍યારે એક વિષયનું જ સુખ પ્રાપ્‍ત થાય પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે, અને તે સુખ તો તુચ્‍છ છે ને નાશવંત ને અંતે અપાર દુ:ખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્‍ત થાય છે ને તે સુખ મહાઅલૌકિક છે, ને અખંડ અવિનાશી છે, તે સારૂં જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્‍ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્‍ય મૂર્તિ તેને વિષે સર્વ પ્રકારે જોડાવું.” અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે […] read more
0 Views : 213
Powered By Indic IME