ગઢડા પ્રથમ – ૧૨. તત્ત્વોના લક્ષણનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૫ પુનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે “જગતનાં કારણ એવાં જે પુરૂષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્ત્વાદિક ચોવીશ તત્ત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિષે રહી જે અવિદ્યા અને તેનાં કાર્ય એવાં જે ચોવીશ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે.” ત્યારે મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એમનાં સ્વરૂપ તો એમનાં લક્ષણને જાણવે કરીને જણાય છે, તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય, અખંડ, અનાદિ, અનંત, સત્ય, સ્વયંજ્યોતિ, સર્વજ્ઞ, દિવ્યવિગ્રહ, સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરૂષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે, જડચિદાત્મક છે, નિત્ય છે, નિર્વિશેષ છે અને મહદાદિક સમગ્ર તત્ત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શકિત છે, અને ગુણસામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. હવે મહત્તત્ત્વાદિક જે તત્ત્વ તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, ચિત્તને અને મહત્તત્વને અભેદપણે જાણવું અને જે મહત્તત્વને વિષે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું […]
read more